SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ શ્રી સિદ્ધચક્ર તા.૧૯-૧૨-૩૩. આકાર માન્ય કરવો એ ન્યાયપુર:સર છે વળી જેઓ શાસ્ત્રકથન આદિને કરનારા પરમેશ્વરો છે એમ માને છે, તેઓને પરમેશ્વરની સાકારતા માન્યા સિવાય છૂટકો નથી. પરમેશ્વર જો એકાંત, નિરંજન, નિરાકાર સ્વરૂપજ હોય તો તેઓને કર્મ ન હોવાથી, શરીર ન હોય, અને શરીર ન હોવાથી મુખનો સદ્ભાવ ન હોય, અને મુખનો અભાવ હોવાથી તે પરમેશ્વરો ઉપદેશક બની શકે નહિ, અને તેથી શાસ્ત્રોનું કથન ખુદ્દે પરમેશ્વરનું કરેલું નહિ પણ તદિતર કોઈ સામાન્ય વ્યક્તિનું આ કથન છે એમ માનવું પડે. કદાચ કહેવામાં આવે કે પરમેશ્વરના પ્રતિનિધિ એવા કોઈ જ્ઞાનીએ, પરમેશ્વરનું જ્ઞાન જાણીને શાસ્ત્રોનું કથન કરેલું છે, એમ કહેવામાં પણ ને તદિતર જ્ઞાનીઓનું પ્રામાણિકપણું અને શાસ્ત્રકથન ગણાય, પણ ખુદ્દે પરમેશ્વરનું તો તે કથન ગણાય જ નહિ, અને સર્વશક્તિમાન પરમેશ્વર માનેલો હોવાથી સાક્ષાત્ સર્વ જીવોને તત્ત્વોપદેશ નહિ કરતાં કોઈક સામાન્ય મનુષ્યદ્વારા એ શાસ્ત્રોનો ઉપદેશ શા માટે કરે ? તત્વથી, પરમેશ્વરે કહેલાં શાસ્ત્રો છે એમ માનનારાઓએ પરમેશ્વરને સાકાર માન્યા સિવાય છૂટકોજ નથી, અને પરમેશ્વરને સાકાર માનવાથી, પરમેશ્વરે સાક્ષાત્ કહેલાં તત્ત્વોની પરમેશ્વરની વાણી તરીકે માન્યતા રાખવી તે યોગ્ય ગણાય. કોઈ સામાન્ય વ્યક્તિદ્વારા એ શરીર નહિ હોવાથી અસંભવિતપણે કહેવાતી પરમેશ્વરની વાણીની માન્યતા અંધશ્રદ્ધા સિવાય કરી શકાય જ નહિ. વળી જેઓ સર્વકર્મ રહિત હોવાથી વીતરાગ સર્વજ્ઞની સિદ્ધપણાની અવસ્થાને નિરંજન, નિરાકાર માને તેઓને પણ સિદ્ધપણાની અવસ્થા પ્રાપ્ત કરવાના પ્રયોગો અને પરિણામો સાકાર અવસ્થામાં જ થયેલા માનવા પડે, અને તેથી નિરંજન, નિરાકાર એવા સિદ્ધની સ્થાપના પણ સાકારપણાના છેલ્લા ભાવને અનુસાર માનવી જ પડે. આ નિરંજન, નિરાકાર સિદ્ધ મહારાજની સ્થાપના, તેમના સમગ્ર ગુણીપણાને લીધે ગુણો ઉપર બહુમાન ધરનારાઓને અવશ્ય વંદનીય, નમનીય અને પૂજય ઠરે એમાં આશ્ચર્ય જ નથી. હવે જેઓ સાકાર પરમેશ્વરને માને છે, તેમજ તે સાકાર પરમેશ્વરને વિતરાગ અને સર્વશપણે માનવા સાથે શાસ્ત્ર અને તત્ત્વોના નિરુપક માને છે, તેઓને તે તે સાકાર પરમેશ્વરની, તે તે ઉત્તમદશા વંદનીય, નમનીય અને પૂજનીય છે કે નહિ? તેઓ તેવી ભાવદશાને વંદનીય, નમનીય અને પૂજનીય ન ગણે તો તેઓ ગુણના સમુદાયવાળા પુરુષને પણ આદર આદિક દેવામાં નિષ્ફળ નીવડયા ગણાય એટલું જ નહિ પણ તેઓના ઉપદેશદ્વારા એ થયેલા ઉપકારને પણ જાણનારા ન થયા એમ સ્પષ્ટ કહેવામાં કોઇને પણ સંકોચ થવાનો નથી, અને તેવી દશા કૃતનોજ હોય છે એમ વિદ્વત્ સમાજે સ્પષ્ટ માનેલું છે. હવે ગુણબહુમાનની સાથે કૃતજ્ઞપણાને અંગે સર્વજ્ઞ વિતરાગ તત્ત્વોપદેશક પ્રભુની વંદનીયતા, નમનીયતા અને પૂર્નીયતા સ્વીકૃત થઈ, તો પછી ભક્તોનાં કરેલાં વંદન, નમન અને પૂજનથી તેવા વીતરાગ પ્રભુને કોઈપણ જાતનો ઉપકાર નહિ છતાં આરાધક મનુષ્યને પોતાના સદવર્તનવાળા શુભ પરિણામથી કર્મનિર્જરા વિગેરે ફળ મળે છે, અને તેમાં ભગવાનની વીતરાગતા હોવાથી તેના રાજીપાને કોઈપણ પ્રકારે કારણપણું નથી. જ્યારે ખુદ વીતરાગ સર્વજ્ઞ ભગવાનની ભાવઅવસ્થામાં તેમનું કરાતું પૂજન, આરાધકના ગુણોના બહુમાન અને કૃતાપણાને આભારી હોઈ ફળદાતા બને છે, તો પછી તેઓની મૂર્તિદ્વારા એ આરાધના કરનારો મનુષ્ય ગુણોના બહુમાન અને
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy