________________
- ૧૦૦
તા.૧-૧ર-૩૩
શ્રી સિદ્ધચક 涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨
श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः
- સાગર સમાધાન કર
涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨 સમાધનાર-સકલશાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સ્ત્રાવી, આગમના અખંડઅભ્યાસી, આગમોદ્વારકા આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ.
પ્રશ્નકાર- ચતુર્વિધ સંઘ (રૂબરૂ અગર પત્રદ્વારાએ પૂછાયેલા પ્રશ્નો.)
સંચયકાર- પૂ. મુનિવર્ય શ્રીચંદ્રસાગરજી મહારાજ. પ્રશ્ન પ૭૫- સમ્યગુદૃષ્ટિ, દેશવિરતિ પ્રતિમાપારીઓ, ક્રોડપૂરવ સુધી ચારિત્ર પાળવાવાળા જે નિર્જરા કરે તેના કરતાં અસંખ્યાત ગુણી નિર્જરા સમ્યકત્વ પામતી વખતે હોય એ શું? ચોથે-પાંચમે છટ્ટ ગુણઠાણે રહેલો જે કર્મ તોડે તેના કરતાં સમ્યકત્વ પામતી વખતે અસંખ્યાત ગુણાકર્મ તોડે એ શું? આતો ચોથા પાંચમા છઠ્ઠા ગુણગણાની મહત્ત્વત્તા ઘટાડો છો-એમ નથી સમજાતું ?
સમાધાન- દુનિયાદારીની અપેક્ષાએ સમજો એક દરિદ્રી મનુષ્ય છે કે જેને પૈસાનું શાક લાવવું હોય તો પાંચની પાસે તેને હરદમ આંસુ ઢાળવા પડે છે. તેવા દરિદ્રને ભાગ્યશાળી પરોપકારી મળ્યો, મળતાં જ તેણે ચોપડો દેખાડયો અને ચોપડામાં રહેલી નજરે ન પડે તેવી એક લાખની રકમ બતાવી, તે વખતે તે દરિદ્રીના હૃદયનો ઉલ્લાસ તપાસો. જો કે તે ઉઘરાણી જશે. સામો માણસ આનાકાની કરશે, આનાકાની કરતી વખતે અને તે પછી દાવો કરવો પડશે, હુકમનામું થશે, બજવણી થશે, ત્યારે રૂપિયા ઘર ભેગા થાશે પણ તે બધા કાળમાં જે ઉલ્લાસ થાય તેના કરતાં લાખની રકમ નજરે પડે તે આનંદમાં મહાન ફરક છે. તેવી રીતે આ આત્મા દરિદ્રી થઈ બેઠો છે, તે વખતે શાસ્ત્રકારોએ ચોપડારૂપ શાસ્ત્ર દ્વારા અમૂલ્ય વારસારૂપ વ્યક્તિગત રહેલું કેવળજ્ઞાનાદિ દેખાડયું તે વખતે સમ્યગદર્શન પામવાની અમોઘ પળ છે. અપૂર્વદર્શનની અલ આથીજ એ સિદ્ધ થયું કે સમ્યગુદર્શન પામવાવાળા, દેશવિરતિવાળા અને સર્વવિરતિવાળા કરતાં અસંખ્યગુણી નિર્જરા સમ્યગુદર્શન પામતી વખતે છે. આશામી સદ્ધર દેખ્યા પછી હકનો વારસો વસુલ કરવામાં વિલંબ જરા કે થતો નથી, તેવી રીતે સમ્યકત્વ શાસ્ત્રાધારે નક્કી થયા પછી આ આત્મા શાહુકાર છે તે પોતાનો સર્વ ગુણમય અમોઘ વારસો હસ્તગત કરશે તેમાં શંકાને સ્થાન નથી. પ્રશ્ન પ૭૯- સમ્યકત્વ પામતી વખતે પ્રથમ મનોરથ કયા હોય?
સમાધાન- સમ્યકત્વ પામતી વખતે કેવળજયોતિ પ્રગટાવવાના અમોધ મનોરથ આવિર્ભાવ પામે છે. પ્રશ્ન ૫૭૭- સમકતી બાપની પ્રવૃત્તિ પુત્ર પ્રત્યે કેવી હોય ?
સમાધાન- ચાણાક્યનો જન્મ થયો ત્યારે તે દાંત સહિત અવતર્યો. દાંત સહિત કોઇપણ બાળક અવતરતું નથી, અવતર્યું હોય તેમ સાંભળ્યું પણ નથી, છતાં દાંતસહિત બાળક અવતર્યો એ આજે નજરો નજર જોયું એટલે તેને આશ્ચર્ય થયું !! પાસેના મકાનમાં ગ્રામાનુગ્રામ વિહાર કરીને શ્રીઆચાર્યદેવ જ્ઞાનવાન આવેલ હતા તેમને પૂછયું, ઉત્તરમાં રાજા થશે એમ કહ્યું, રાજા થશે એ સાંભળીને આજે ઢોલ પીટવા મંડી જાઓ છો, પણ તે વખતે તેમ ન બન્યું. ત્યારે શું બન્યું? તે તપાસો. રાજા થશે. એ શબ્દ સાંભળતાંજ શ્વાસ ઉડી