________________
તા. ૧૯-૧૧-૩૩
૮૩
શ્રી સિદ્ધચક્ર બીજી રીતે જનતાના માનસને ચુંથવાનો પ્રયત્ન કરે છે અને એમ કરીને તે પોતાની સત્તાને દઢીભૂત કરવામાં કારણ બને છે, તે પ્રમાણે શ્રીમતી ઇચ્છાદેવી પણ સ્થળે સ્થળે માહ મદિરારૂપી કેફી પીણા વડે આત્માને પાયમાલ કરવાનો પોઈટ રચે છે. મોહ મદિરા તેણે એટલો બધો સસ્તો બનાવી મૂકયો છે કે ન પૂછો વાત ! દારૂ કે જે ખરેખરો આત્માના સગુણોનો નાશ કરે છે, તેનાથી પણ મોહરૂપી દારૂની અસર વધારે કાતિલ છે. દારૂના નશામાં આવેલા માણસ તો થોડા સમય પછી પણ એ નિશામાંથી છુટીને મૂકિત મેળવી શકે છે પરંતુ ઇચ્છાના પાશમાં ઘેરાયેલો માણસ નથી તો એથી છૂટો થઈ શકતો કે નથી મોહરૂપી મદિરા તેનો ભક્ત હોય તેને છુટો કરતી !
ઇચ્છાનું આ અધિરાજ કેવું મોટું અને કેટલું ભયાનક છે તે સમજી લો જ્યારે તમે એ વાત પૂર્ણ રીતે સમજશો ત્યારેજ તમારી શાસ્ત્રના વચનો ઉપર વધારે શ્રદ્ધા જાગૃત થતી જશે અને જ્યારે એવી વધારે શ્રદ્ધા તમારામાં જાગશે ત્યારેજ તમો તમારા આત્માનું સાચું હિત કરવાને પંથે પ્રેરાશો. જીવને ધર્મ, મોક્ષ અર્થ અને કામ એ ચારે ઇચ્છાની જરૂર ન હતી તો એ ચારે ઇચ્છાઓને પાળવા ઇચ્છતોજ ન હતો તેનો વધારે ઝોંક કયાં છે? વધારે પ્રીતિ કયાં છે તે પારખો તો તમને માલમ પડશે કે આત્માનો વધારે ઝોંક અર્થ અને કામ તરફ છે. અર્થ અને કામ એ બેજ ચીજ આત્માને અતિ વહાલી છે, પણ વહાલી ચીજને પાળતા ઘણીવાર અળખામણી ચીજને પાળવી પડે છે તેજ પ્રમાણે અહીં પણ છે. રાજાઓ ઘણી પત્નિઓ પરણે છે, તેમાં થોડી વહાલી પણ હોય છે, અને થોડી અળખામણી રાણીઓને પણ પાળવી જ પડે છે એજ પ્રમાણે જીવને સ્વભાવથી વહાલી વસ્તુ તો બે અર્થ અને કામ, પણ ધર્મ અને મોક્ષ પણ સાથે લેવા પડયા છે ! પણ એ ઉડી જાય તેનો વાંધો નથી. તેને જરૂર તો બેની અર્થ અને કામનીજ છે. ત્યારે હવે અર્થ અને કામને પોષનારી જે ઇચ્છા છે તેને દુર શી રીતે કરવી તેનો વિચાર કરો. અંતિમ સંદેશ
તમારા શરીરમાં રોગ ઉદ્ભવે છે. ત્યારે તમે શું કરો છો ! રોગના પણ પુગલો છે એ પુગલો તમારા શરીરને જીતી લે છે ત્યારે તેનાથી બચવા માટે તમે તમારા શરીરમાં ઔષધના પુદ્ગલો દાખલ કરો છો ! એજ પ્રમાણે ઇચ્છાનો નાશ કરવાનો વિચાર કરો ! જીવ નિરંતર શાની ઇચ્છા કરે છે અર્થ અને કામની ! હવે પહેલાં તમો એ કબુલ કરો કે એ ઇચ્છા ઠગનારી છે, તમોને સંસારચક્ર પર માર ખવડાવનારી છે અને તમારી આત્મ શક્તિનો વિનાશ કરનારી છે. જો તમો એટલું કબુલ રાખશો તોજ તમારાથી આગળ ચલાશે. બંગલો બાંધવો હોય તો સુથાર કડીયા મજુર એ સઘળાને બોલાવો છો ! એ માર્ગ છે, પણ માર્ગ શા માટે ? બંગલો બાંધવો છે માટે ! અર્થાતુ બંગલાની આવશ્યકતા તમોએ સ્વિકારી છે. જેમ બંગલાની આવશ્યકતા તમોએ માન્ય રાખી છે તે પ્રમાણે ઇચ્છાને ટાળવી જોઇએ એનો પહેલો નિશ્ચય કરો ત્યારે આ નિશ્ચય કર્યા પહેલાં તમારે એ વાત નક્કી કરવી પડશે ભવભ્રમણ એ નકામું છે અને મોક્ષ એજ તમારી પરમારાધ્ય ચીજ છે મોક્ષ એ પરમારાધ્ય ચીજ છે. એ વાત તમો સમજી લ્યો નક્કી કરી લ્યો, કે એ પછી તમારે બીજું પગલું આગળ મૂકવાનું. બીજું પગલું એ કે મોક્ષ મેળવવામાં અર્થ કામની ઇચ્છા આડે આવે છે. જો આટલું તમો નક્કી કરી લો તો પછી વાધો નથી. સમજી લ્યો કે તમારી હુંડી પાકી છે અને હવે માત્ર તે વટાવવા જેટલોજ વાર છે જો તમોએ આ નક્કી કર્યું તો તેનો અર્થ એ છે કે તમારી દશા આકાશમાંના વાદળા જેવી નથી તમારી દશા સુધરી છે અને તમારે ક્યાં