________________
તા. ૨-૧૧-૩૩
શ્રી સિદ્ધચક્ર
૫૨
મહાપવિત્ર તીર્થાધિરાજના પુણ્યદર્શનો પામવા જાત્રાળુઓના ટોળે ટોળા ત્યાં આવતા રહ્યા હતા અને તેમણે એ પવિત્ર સ્થાનને નિહાળીનેજ તેથી અમોઘ સંતોષ અને સાચી આત્મશાંતિ મેળવી હતી. ચૈત્રી પુનમના શુભ દિવસે એજ સ્થળે મહાત્મા પુંડરિકસ્વામી સાથે પાંચ કરોડ મહાત્માઓ સિદ્ધિ પદને પામ્યા હતા અને તેમણે પોતાનો ગૌરવવંતો ઇતિહાસ સદાકાળને માટે જૈન સાહિત્યને ચોપડે નોંધાવ્યો હતો મહાત્મા શ્રીપુંડરિક સ્વામીજીના આવા અનન્ય બળને લઈને તેજ સમયથી તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચળજીને “પુંડરિરિ ' એવું પુનિત નામ મળ્યું હતું કે જે નામ આજ પર્યન્ત અવ્યાહતરીતે ચાલી રહ્યું છે હજારો આત્માઓના પવિત્ર હૃદયમાં અપ્રતિમ ધર્મ ભાવનાને જાગૃત કરે છે, પ્રિય ! વાંચકો ! એ પુનિતકાર્તિકી પૂર્ણિમાનો આજનો પ્રસંગ પણ શ્રી તીર્થાધિરાજની એ વિશિષ્ઠિતાનેજ પુકારી રહ્યો છે. ભાવ તીર્થકરની સંસારમાં હયાતી છતાં, તેમના પુનિત નામની સુવાસ વિશ્વમાં વ્યાપેલી હોવા છતાં, અને તેમની કીર્તિ પ્રતિભાથી વિશ્વ ભરપૂર હોવા છતાં ભાવતીર્થંકર મહારાજ સાહેબ પોતે જ પોતાના પૌત્રને શ્રી સિદ્ધાચળજીમાં જઈને રહેવાને કહે છે, ત્યારે આપો આપજ એ પુનિત તીર્થસ્થાનની મહત્તા સિદ્ધ થાય છે. ભાવતીર્થંકર મહારાજ હયાત હોવા છતાં તેઓશ્રી પોતાના પવિત્ર મુખવિંદથીજ તીર્થભૂમિને માટે માન ધરાવીને ત્યાં જઈને સ્થિરતા કરવાની પોતાના પૂર્વાશ્રમી પૌત્રને આજ્ઞા આપે છે. ત્યારે તીર્થકર મહારાજ સાહેબોની ગેરહાજરી અને આ પાંચમાં આરાનો કાળ એમાં તો એ તીર્થાધિરાજની મહત્તા કેટલી ગણવી જોઇએ. પ્રિય! વાંચક! આજે તો એ સ્થાનની મહત્તા અપૂર્વ હોઈ, એ અપૂર્વતા તારી પાસે જવાબ માંગે છે કે તે એ તીર્થાધિરાજને આરાધવાની આજે શી સામગ્રી રાખી છે અને કેટલી તૈયારી કરી છે ? 婆婆器瓷瓷瓷器瓷器瓷器鉴邀邀邀路器婆婆露露露露
B
વી. પી. થઈ ચૂકયાં છે. જે
બહારગામના- ગ્રાહકોને વી. પી. સ્વીકારી લેવા વિનંતિ છે. સુરતના- ગ્રાહકોએ દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધારક ફંડની ઓફીસમાંથી લવાજમ
ભરી ભેટનું પુસ્તક લઈ જવું. ઠે. ગોપીપુરા. મુંબઈના ગ્રાહકોએ પત્રની ઓફીસમાં લવાજમ ભરી ભેટનું પુસ્તક લઈ જવું. તા.ક. જેને આ પાક્ષિક ભેટ જરૂર હોય તેમને ભેટનું પુસ્તક કિંમતથી મંગાવી લેવું.