________________
R
s
श्री
વિવેચકો
(પાક્ષિક)
-: ઉદેશ :વાર્ષિક લવાજમ : રૂા. ૨-૦-૦
છુટક નકલ રૂા. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રીઆચામાસ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्हद्दष्टिप्रमुखैः सिद्धं भव्यौ धहल्लीनम् ।।१।। અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-સિદ્ધચક્ર પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
આગમોદ્ધારક.” દ્વિતીય વર્ષ. વે મુંબઈ, તા. ૨-૧૧-૩૩ ને ગુરૂવાર વીર-સંવત્ ૨૪૬૦ અંક ૩ જો. કાર્તિક-પૂર્ણીમા.
વિક્રમ સંવત ૧૯૯૦ વિહારની આવશ્યકતા. જગત અનેક ધર્મોથી ભરેલું છે. વિવિધ પ્રકારના સત્યાસત્યતાથી ભરેલાં તત્વજ્ઞાનને નામે અનેક પ્રકારના વિચારોથી સંસાર રંગભૂમિ શૃંગારાયેલી છે, અને એ રંગબેરંગી ધર્મો ઘણીવેળાએ બહારથી સુશોભિત દેખાતી વસ્તુ અંદરખાનેથી પૂર્ણ રીતે સડેલી હોય તેજ પ્રમાણે અંદરખાનેથી સડી જઈને સંસારની શાંતિને નવપલ્લવિત કરવાને બદલે જગતમાં અશાંતિની આગને વધારી મૂકે છે. વિવિધ ધર્મો અને સંપ્રદાયોમાં પ્રવર્તેલા આ દોષો જોઇનેજ શાંતિ પામવી એ પુરુષોનું લક્ષણ નથી. માત્ર છિદ્રોજ જોવા