________________
તમે સિદ્ધચક્ર મંગાવો છો કે?
ના ! આજના જે કામ છે તે, કાલ માટે પરહરો !
જે આજનું પ્રિય કાર્ય છે, તે આજ અત્યારે કરો ! અને એવું કામ તે શું છે તે તમે જાણો છો? તમારું આજનું કાર્ય એ જ છે કે નીચેનો ગ્રંથ
મેળવવા આજે જ સિદ્ધચક્રના ગ્રાહક થાઓ. એ પરમ પવિત્ર ગ્રંથ
તે “આગમોદ્ધારક આચાર્યદેવે શ્રીમદ સાગરાનંદસૂરીશ્વરજીનું જીવન ચરિત્ર છે.
(સિધ્ધચક્રની પહેલી ભેટ). આ ગ્રંથમાં અક્ષરે અક્ષરે આચાર્યશ્રીના જીવન પ્રસંગો વહે છે ! આ ગ્રંથમાં શબ્દ શબ્દ વિરતા ઉપજાવતા પ્રસંગો છે ! આ ગ્રંથમાં વાક્ય વાક્ય મહારાજશ્રીના ધર્મોપદેશની અમીરસ ધારા રેલે છે ! ' આ ગ્રંથ લીટીએ લીટીએ આચાર્ય દેવનું જીવન તમોને ઓળખાવે છે ! આ ગ્રંથ પાને પાને તમોને પ્રેરણા આપે તેવો છે ! આ ગ્રંથ પ્રકરણે પ્રકરણે તમોને જૈનત્વ માટે મહારાજશ્રીની પ્રીતિ દર્શાવે છે.
ટૂંકમાં આ ગ્રંથ તે શ્રી આચાર્યદેવના જીવનનું સંપૂર્ણ રીતે એક મનુષ્યને હાથે પડી શકે તેવું કાળજી
પૂર્વક પાડેલું પ્રતિબિંબ છે ! એક સામાન્ય બાળક સામાન્ય મટી મહાત્મા થાય ?
એક સામાન્ય માણસ, સામાન્ય મટી આગમોદ્ધારક થાય ?
એક સામાન્ય મુનિ, મુનિ મટી અદ્વિતીય આચાર્ય થાય? આ ત્રણે પ્રશ્નોનો જવાબ “હા!” છે, અને એ કેવી રીતે બને છે, એ જાણવું જ હોય તો ઉપરનો ગ્રંથ મંગાવીને વાંચો કે જેમાં આચાર્ય દેવના જીવન પ્રસંગો સાથે સંબંધ ધરાવતા આઠ દસ આર્ટ પેપર ઉપર છાપેલા સુંદર ફોટોગ્રાફો છે !
સુંદર છપાઈ ! મનોહર ટાઈપ ! અલબેલું બાઈન્ડીગ ! આકર્ષક પુસ્તક ! જો તમોને વાંચનની જરા પણ કદર હોય તો સિધ્ધચક્રના ગ્રાહક થાઓ અને આ પુસ્તક આજે જ મેળવોઃ
લખો :- સિદ્ધચક્ર સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ મુંબઈ.