________________
* *
* * *
પર્વાધિરાજ -
પર્યુષણ પર્વ.
* * * * * *
* * *
* * * * * * *
* * * * * * * * *
* * *
* * * * *
* * * * * * * * * *
*
* * * * * * *
આસન્નોપકારી ચરમતીર્થંકર પ્રભુ મહાવીરદેવને આજે ૨૪૦૦ વર્ષ ઉપરાંત થઈ ગયાં છે, છતાં એ લોકોત્તર વિશિષ્ટ વ્યક્તિના વિસ્તારપૂર્વક જીવનરહસ્યો, પુરિપાદાની પ્રભુ પાર્શ્વનાથાદિ ત્રેવીસ તીર્થકરોનાં ઝળહળતાં જીવનો, અને એ જ જીવન-રહસ્યોને ઝીલનારા અનેક મહાત્માઓના મહાન જીવન પ્રસંગોના પૂનિત વારિપ્રવાહો સમસ્ત જૈન સમાજને પાવન કરે છે, કર્યા છે અને કરશે એ નિર્વિવાદ છે અને તેનું જ નિયત શ્રવણ જેમાં થાય અ ત જ આ પર્યુષણા પર્વ છે ! ! !
પાપ પ્રક્ષાલન કરવા માટે, પુણ્યભંડાર ભરવા માટે, સંવરની સુંદર સરિતામાં નિમજ્જન કરવા માટે અને નિર્જરાના નિર્મળ ઝરણાં ઝરાવવા માટે આ પૂનિત દિવસો પરમ મહર્ષિઓએ નિયત કર્યા છે અને તેનું જ નામ પર્યુષણ પર્વમય અણન્ડિકા છે એ સર્વ કોઈ સારી રીતે સમજે છે.
શાસ્ત્રકારોએ સૂચન કરેલાં વિધાન મુજબ ભવ્યાત્માઓ જો ત્રિકરણ યોગે એ આઠ દિવસમાં કમ્મર કસે, મોહરાજની સામે ધશે અને ઈષ્ટ સિદ્ધ કરવાને યથાશક્તિ ઉદ્યમ કરે તો જરૂર પર્યુષણાપર્વની આરાધના ફળવતી બને તેમાં શંકાને સ્થાન જ નથી ! ! !
પર્યુષણાના પૂનિત દિવસો, અને તે અંગે કલ્પવાચન-મનન-તપ-જપ આદિમાં એકતાર બનેલો ચતુર્વિધ સંઘ કેટલો ભાગ્યશાળી છે તે કહેવું અકથ્ય છે એમ કહી દેવામાં લેશભર અતિશયોક્તિ નથી.
પર્યુષણ પર્વની આરાધનામાં લીન બનેલા ભાગ્યશાળીઓ આ મહા પર્વને નિર્જરાનું અમોધ સાધન માનીને નિર્વિબ પાર પડે તે હેતુથી ભવ્યાત્માઓ મહિના-પંદર દિવસ પહેલાં નવજલધર માટે મોરની જેમ ઝંખના કરે છે.
એ પર્વાધિરાજ પર્યુષણ પર્વ પ્રબળ પુણ્ય સાંપડ્યું છે. આરાધના કરી કૃતાર્થ થવું એ જ પુણ્યાત્માઓનું કર્તવ્ય છે.
ચંદ્રસા.
* * * *
* * * * *
*
* *
* * * * * * * * * * * * * * * * * * *
* * *
* *
* *