________________
ક સિદ્ધચક્ર છે
(પાક્ષિક)
ઉદેશ વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦
છુટક નકલ રૂા. -૧-૬ આ પાક્ષિક પત્ર મુખ્યતાએ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે -
दुष्कर्मसानुभिद्वजं सर्वसंपत्तिसाधकं ।
आगमोपनिषद्भूतं सिद्धचक्रं सदाऽऽद्रिये ॥१॥. ભાવાર્થ- દુષ્કર્મોન ભેદવામાં વજસમાન, સર્વ સંપત્તિનું સાધક,
આગમોના સારભૂત શ્રી સિદ્ધચક્રનો સર્વદા આદર કરું છું. “આગમોદ્વારક.”
પ્રથમ વર્ષ
અંક ૮મોઇ. તે
મુંબઇ, તા. ૨૫-૧-૩૩, બુધવાર.
' પોષ-વદ-0))
વિીર સંવત્ ૨૪૫૯ | વિક્રમ ,, ૧૯૮૯
કાયરતાના કારણે !
અ) ખિલ વિશ્વમાં જેનો જોટો નથી એવા, ત્રિલોક પૂજ્ય શ્રી જિનેશ્વર દેવે પ્રરૂપેલ VT 8 લોકોત્તર શાસન પ્રત્યે આજે ચોમેરથી પારાવાર આક્રમણો અને તે પણ (લખતાં '
' લેખિની પણ પૂજે છે કે) ઘરના જ કેટલાક ટુંક ભંડોળીયા તરફથી થઈ રહ્યા છે,
એ જાણી પ્રભુશાસનને શિરસાવંઘ માનનાર કયા જૈનને આઘાત ન થાય ? છેલ્લા કેટલાક વર્ષોથી એક યા બીજા રૂપે આક્રમણોની પરંપરા ચાલુ જ છે. એકપણ દિવસ એવો નથી જતો કે જે દિવસે કોઈપણ જાતનો ઉત્પાત ન હોય! જુદા જુદા રૂપે એ બહુરૂપીઓ બધું કરી ચૂક્યા છે. અદ્યમતા ી અવધિએ પહોંચેલ વર્ગને દેવ. ગુરુ, તથા ધર્મ પોતાના સ્વચ્છેદ-પથમાં સંપૂર્ણ સાલે છે;