________________
૧૨૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૧૨-૩૨
,
,
,
,
છે; પણ હમારું વાચકોને કહેવાનું તાત્પર્ય એ છે કે અપાવા જોઈતા શિક્ષણને પુરું પાડવા, એ શિક્ષણનો તથા ઉચ્ચ સાહિત્યનો પ્રચાર કરવા તથા શાસનને માનનાર વર્ગ ઊભો કરવા એટલે કે હાલ જે બાલવર્ગ છે તેને સ્થિર કરવામાં આવી પાઠશાળાઓને સમૃદ્ધ બનાવવા માટે કરવા લાયક બધું કરી છૂટવા દરેકે પ્રયત્નશીલ થવું ઘટે છે. કોઈપણ સંસ્થાને તોડવાનો ઉદેશ રાખતાં પહેલાં તેમાં રહેલી ત્રુટિનું નિવારણ કરી એ જ સંસ્થાઓ પ્રભુશાસનની સેવામાં પોતાનો હિસ્સો આપે તેવી બને એવા પ્રયત્નો આદરવા જોઈએ. આ રીતે જો યોગ્ય કરવામાં આવે તો જરૂર શાસનનો માર્ગ નિષ્ઠટક બને ! મોક્ષમાર્ગ નિષ્કટક રહે ને એમાં જ પોતાનું, પરનું અને વધીને કહીએ તો જગતભરનું એકાંત કલ્યાણ છે. કલ્યાણાર્થી માત્ર કલ્યાણપ્રદ કાર્યમાં કર્તવ્યપરાયણ થવું જ જોઈએ.
લેખકોને સૂચના ]
આથી દરેક લેખકોને આમંત્રણ આપીએ છીએ કે તેઓ શ્રી નવપદજીના સંબંધમાં એટલે નવે પદો સુરક્ષિત રાખવા અને તેના પ્રત્યે સન્માન તેમજ પૂજ્યભાવ વધારવાને અંગે જે કાંઈપણ લખાણો એક બાજુ સૌમ્ય એ રસમય ભાષામાં સારા અક્ષરે શાહીથી લખીને મોકલાવશે તો તે સહર્ષ સ્વીકારી યોગ્ય જગ્યાએ જલદી પ્રગટ કરવા ઘટતું કરવામાં આવશે. ' તા. ક. પ્રશ્નકારો પણ શ્રી નવપદજીના સંબંધમાં ઉદભવતા પ્રશ્નો પત્રકારોએ લખી મોકલશે તો સમાધાન મેળવી શાસનના હીત ખાતર પ્રગટ કરવામાં આવશે.
-
તંત્રી.
તમોને શાની જરૂર છે ! જૈનધર્મનાં પ્રાચીન અને અર્વાચીન જૈન સાહિત્યની જરૂર છે? તો તુરત નીચેના સરનામે પત્રવ્યવહારથી પૂછો
દેવચંદ લાલભાઈ. જૈન પુ. ફંડ ગોપીપુરા, સુરત.