SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર તા. ૨૭-૧૧-૩૨ માટે તો ઉપદેશ માલામાં “જીનેશ્વર મહારાજા જે વખત મોક્ષ પામ્યા તે વખતે શાસન આચાર્યને સોંપ્યું” એમ સ્પષ્ટ છે. પર્યુષણામાં સાંભળો છો ને? જ્યારે ભગવાને ગણધરને અનુજ્ઞા કરી ત્યારે શું કહ્યું ! દ્રવ્ય ગુણપર્યાયે કરી હું તીર્થની આજ્ઞા આપું છું ! આ પછી તીર્થ ગણધરના હુકમમાં પ્રવર્ચે ! જે હુકમમાં તીર્થકરોએ તે તીર્થ ગણધરને આપ્યું તે જ તીર્થ ગણધર મહારાજા દ્વારા આચાર્યોથી ધારણ કરાયું ! નામના આચાર્યની સાથે શાસનને કાંઈ સંબંધ જ નથી. આ આ બધું તો ઠીક પણ આ સ્થાને એ તો અવશ્ય ધ્યાનમાં રાખવાનું છે કે શેઠીયાઓ ભલે મુનિમને સંપૂર્ણ અખત્યાર આપે છે પણ તેનો અર્થ તે રકમ જ ઉચાપત કરવાનો નથી ! એટલું ખરું કે શેઠ જે મુદ્દાથી દુકાન ચલાવી રહ્યા છે તે મુદ્દા પુરસર તે મુનિમની જ ભલે સહી હોય તો પણ શેઠવત્ દરેક કાર્યવાહી ચાલે. શેઠે વિશ્વાસથી વહીવટ ચલાવવા સોપેલી રકમ મુનિમ પોતાના નામે જ ચડાવી દે તો તે મુનિમને તે સ્થાન પર ઘડીભર પણ નભાવી લેવાય ખરો કે? શેઠે ઓર્ડર કયા મુદાથી આપ્યો હતો ? દુકાન ચલાવવા કે ગુંજા ભરવા ? શ્રી જીનેશ્વર દેવે મોક્ષાર્થીના પરમ આલંબન ભૂત જે તીર્થ સ્થાપ્યું છે, તેની દરેક મુખત્યારી ગણધર તેમજ આચાર્યને પણ આપી ખરી પણ તે અમર્યાદિતપણે તો નહીં જ ! આથી આચાર્યોએ તે તારકના હોદા ઉપર આવીને તેના મૂળ ધ્યેયથી વિમુખ બની ન જવાય તેની સંપૂર્ણ કાળજી રાખવાની છે ! શાસનના ભોગે સ્વમત ચલાવી એમની આજ્ઞાનું અલ્પાંશે પણ ઉલ્લંઘન કરનાર આચાર્યનું તો મુખ જોવાથી પણ પાપ લાગે ! આ પણ જોડે જ હોવાથી નામના આચાર્યની સાથે તો શાસનને કાંઈ સંબંધ જ નથી ! કેટલી પામરતા તીર્થકર અને ગણધર મહારાજ હૈયાત ન હોય તો તીર્થ આચાર્યના ભરોસે જ ચાલે છે; અને તેથી તો આચાર્ય કોને કહેવા તે બહુ બહુ સમજવાની આવશ્યકતા છે. પંચાચાર પવિતે' જેનાં પાંચે આચારો પવિત્ર ! અહીં કોઈ શંકા કરે કે આચાર્ય એ પંચાચારે જ પવિત્ર જોઈએ ? જ્ઞાન, હુંશિયારી અને બુદ્ધિની જરૂર નહીં ? અને જો જ્ઞાનની પણ જરૂર જ હોય તો તેનું પહેલું વર્ણન કરવું જોઈએને ? કારણ કે આપણે “પઢમંનાણું તઓદયા.” એ વાક્ય જગા જગા પર બોલીએ છીએ તો આચાર્યમાં પ્રથમ જ્ઞાનને બદલે આચારને કેમ સ્થાન આપ્યું? એટલે કે પંચ આચારે પવિત્ર એમ કેમ કહેવાયું ? વાત બરાબર છે પણ પઢમં-એટલે શું સમજ્યા ? વ્યવહારમાં પણ પ્રથમ સ્ત્રી અને પછી પુત્ર, પ્રથમ ચૂલો અને પછી રસોઈ, પ્રથમ વ્યાપાર અને પછી નફો. એમ છે ને ? અહીં શું કહેશો ? સ્ત્રી ચૂલો અને વ્યાપાર કરતાં પુત્ર, રસોઈ અને નફાની કિંમત શું ઓછી છે ? ના, તેમ નથી જ ! તો હવે સમજ્યા હશો કે આચાર્યના વિષયમાં પણ માત્ર કાર્ય કારણ ભાવ જ સમજાવ્યો છે! પ્રથમ જ્ઞાન અને પછી દયા એ જગા પર જ્ઞાનથી દયા એમ સમજવાનું નથી ! પઢમં-એ જણાવ્યું તેનો અર્થ એટલો જ કે જેમ છોકરાના અર્થીને પ્રથમ તો સ્ત્રીની જરૂર. તેમ અહીં પણ આચારના અથને પણ જ્ઞાનની તો જરૂર જ છે. અને આથી તો શાસ્ત્રકાર મહારાજા જણાવે છે કે નયંવરે નયંત્રી-પાવંવાં વંથ” એટલે કે જયણાથી ચાલવું, જયણાથી ઊઠવું, બેસવું, ખાવું બોલવું, તેથી કરીને પાપ બંધાતું નથી !! વળી, આમાં પણ શંકા થશે કે બધુંએ જયણાપૂર્વક
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy