SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XL, 2018 ભારતીય તત્ત્વજ્ઞાનની રૂપરેખા 183 પહેલેથી આજ લગી એવા થતા આવ્યા છે, કે જેમણે પોતપોતાની પરંપરાની આત્મદષ્ટિ સ્વીકારીને તેની સત્યતાનો અનુભવ કરવા પ્રયોગો કર્યા છે. તેઓ માત્ર કલ્પનામાં વિહર્યા નથી, પણ તે તે આત્મદષ્ટિની યથાર્થતાનો અનુભવ કરવા બહુ મથ્યા પણ છે. એટલે ભારતીય આત્મદષ્ટિની પરંપરાઓને માત્ર કલ્પનામૂલક કહી અવગણી શકાય તેમ નથી, કેમ કે કલ્પનાઓ પ્રયોગની કસોટીએ કોઈ ને કોઈ રૂપે ચડી છે. એ પ્રયોગની કસોટી તે જ યોગવિદ્યાને નામે પ્રસિદ્ધ છે. યોગવિદ્યાનું મુખ્ય ધ્યેય જ પહેલેથી એ રહ્યું છે કે સાધક પોતાના ચૈતન્યનો અનુભવ કરે. આવો અનુભવ કરવાની પ્રયોગશાળા એ કાંઈ ભૌતિક પ્રયોગશાળા જેવી નથી હોતી, કે જેમાં દૂરદર્શક અને સૂક્ષ્મદર્શક યંત્રોની પૂરી સગવડ તેમ જ ગણિત આદિ વિદ્યાઓને બળે જ માત્ર આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર થઈ શકે. એની પ્રયોગશાળા એ સાવ નિરાળી રચના છે. આવા પ્રયોગમાં જેણે-જેણે ઝંપલાવ્યું તેઓએ પ્રથમ તો પોતાના મનને સ્થિર કરવા, શરીરને સમતોલ બનાવવા અને ચિંતનશીલ મનને વિઘ્નરૂપ થતા ક્લેશોને નિવારવાની યોજના કરી, અને તે દ્વારા આત્માનુભવનું એક શાસ્ત્ર ધીરે-ધીરે ખીલવ્યું. જે જે પ્રામાણિક સાધકો થયા તે બધાની આત્મદષ્ટિ ભલે નોખી-નોખી હોય, છતાં એના અનુભવ પ્રયોગોનાં મુખ્ય અને સ્થિર પરિણામો સરખાં જ આવેલાં નોંધાયા છે. સાધનાની પદ્ધતિ અને તેનાં ભિન્ન-ભિન્ન અંગો ઉપર ભાર આપવાની બાબતમાં તેઓ ભલે જુદા પડતા હોય, પણ એ સાધનાપ્રયોગનાં અંતિમ પરિણામો તેમ જ વચગાળાની વિકાસમુખી યા શુદ્ધિલક્ષી અવસ્થાઓમાં બધાનો જ અનુભવ એકસરખો નોંધાયેલો છે. તે ઉપરથી એમ કહી શકાય કે ભારતીય ચિંતકો અને સાધકોએ ભલે ભૌતિક વિશ્વની બાબતમાં કલ્પનાવિહાર કર્યો હોય, પણ જીવ, આત્મા યા ચેતનતત્ત્વની બાબતમાં એમણે માત્ર કલ્પનામાં રમણ નથી કર્યું, પણ પોતપોતાની કલ્પના યા Hypothesis અનુસરી એ અધ્યાત્મતત્ત્વને અનુભવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી જ આજેય ભારત એક આધ્યાત્મિક દેશ તરીકે જાણીતો છે. એની આ ખ્યાતિમાં જો કાંઈ પણ સત્ય હોય તો તે આત્મદષ્ટિ ઉપર પ્રયોગ કે યોગ કરવો એ છે. યોગની સાધના કરતાં કરતાં તેને ઉપયોગી થઈ શકે અને સામાજિક જીવનમાં પણ સહાયક થઈ શકે એવાં કેટલાંય શાસ્ત્રો ખીલ્યાં છે. માનસશાસ્ત્ર એ મનની શક્તિઓ અને મનનાં કાર્યોને લગતું શાસ્ત્ર છે. શરીરની અને પ્રાણવહનની ગતિ-વિધિને નિયમમાં રાખે એવું એક હઠયોગશાસ્ત્ર પણ અસ્તિત્વમાં આવ્યું છે. મનની અને ચૈતન્યની ગૂઢ શક્તિઓ કઈ રીતે ખીલે, એનાં આવરણો કઈ રીતે દૂર થાય, એને દર્શાવતું શાસ્ત્ર પણ રચાયું છે. આવાં શાસ્ત્રો પણ પરંપરાભેદે જુદાં જુદાં છે. પણ બધાંયનો સૂર એક જ છે તેથી તે યોગવિદ્યાને નામે, ધ્યાન કે સમાધિને નામે પ્રસિદ્ધ હોય છતાં એ છેવટે તો ચેતનના સ્વાનુભવની પ્રયોગવિદ્યા જ છે. પરમાત્મતત્ત્વ તત્ત્વજ્ઞાનનો ત્રીજો વિષય છે પરમાત્મતત્ત્વ. આ તત્ત્વ વિશે પણ તત્ત્વજ્ઞાનમાં અનેક પરંપરાઓ પ્રવર્તે છે. કોઈ ઇશ્વરતત્ત્વને જીવાત્માઓથી અને ભૌતિક તત્ત્વથી સાવ નિરાળું અને સ્વતંત્ર
SR No.520791
Book TitleSambodhi 2018 Vol 41
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2018
Total Pages256
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy