SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXXVII, 2014 નગીન શાહ પ્રમાણે શાંકરવેદાન્તમાં અવિદ્યાવિચાર 125 પ્રમાવૃત્તિ વિષયાકારે કઈ રીતે પરિણમે? અદ્વૈતસિદ્ધિ પ્રમાણે “કોઈક વસ્તુ છે” તેવો તેની સાથે વ્યવહાર કરવામાં જે અજ્ઞાન અવરોધરૂપ હોય તેનું નિવર્તન કરવાની યોગ્યતા એટલે જ અન્તઃકરણવૃત્તિનું વિષયાકાર પરિણામ. અવિદ્યા કલ્પિત છે, છતાં અનાદિ છે. બધી કલ્પિત વસ્તુ સાદિ (અનાદિ ન હોય તેવી) હોતી નથી. અવિદ્યા અનાદિ છે. તેનું કોઈ કારણ નથી, છતાં, મિથ્યા જગતનું તે ઉપાદાનકારણ છે જ અને અવિદ્યા પોતે મિથ્થા વસ્તુ છે (શાહઃ પૃ.૧૭-૧૮). શાંકરવેદાન્તપણે આ બધું માનવું જ પડે. ન તો અવિદ્યા સત્ છે ન તો તે અસત્ છે. જ્ઞાનબાધ્ય હોવાથી તે સત્ નથી અને સર્વ કાર્યોની જનક છે તેથી તે વંધ્યાપુત્રાદિ જેવી અસત્ નથી (તે તુચ્છવિલક્ષણ છે). એ અર્થમાં તે અભાવવિલક્ષણ છે. તેથી તે અનિર્વચનીય છે. અદ્વૈતસિદ્ધિ મુજબ જેમ ગોવાભાવ અને અશ્વત્વાભાવ કાંઈ ઊંટમાં રહી શકે છે તેમ જ ભાવત્વનો તેમજ અભાવત્વનો અભાવ બન્ને અવિદ્યામાં રહી શકે છે (શાહ : પૃ.૨૧) જ્ઞાનના દરેક વિષયને તે અંગેની અન્તઃકરણવૃત્તિ(modification of mind)થી કઈ રીતે જાણી શકાય છે તે અંગેની વિચારણા એટલે પ્રતિકર્મવ્યવસ્થા. વ્યાકરણમાં કર્તા, કર્મ વગેરે શબ્દો જે અર્થમાં પ્રયોજાય છે તે અર્થમાં જ અહીં “કર્મ' શબ્દને સમજવાનો છે. કર્મ = ક્રિયા (action) એવો અર્થ અહીં સમજવામાં આવ્યો નથી. (કર્મ = જ્ઞાનનો વિષય). મધુસૂદન પ્રમાણે અન્તઃકરણ ચક્ષુની જેમ તેનોવવિ’ (luminous) છે. ઇન્દ્રિયદ્વારેથી અન્તઃકરણ ઇન્દ્રિયો સાથે જોડાયેલા એવા અજ્ઞાત સત્તા ધરાવતા સ્વતન્ત પદાર્થોને વ્યાપે છે; તે તે વિષયોનો તે તે વૃત્તિ આકાર ધારણ કરે છે. અન્તઃકરણનું ઇન્દ્રિયો દ્વારા વિષય સુધી પહોંચીને તેને વ્યાપવું અને તેનો આકાર ધારણ કરવો એ જ પ્રત્યક્ષ જ્ઞાન માટેની અન્ત:કરણવૃત્તિ છે. શુક્તિરજતપ્રતીતિ કે સ્વપ્ર વગેરેમાં પદાર્થોની અજ્ઞાત સત્તા જ હોતી નથી. તેથી, ત્યાં અજ્ઞાત પદાર્થ સાથે જ્ઞાતા જોડાતો જ નથી. વ્યાસતીર્થે ન્યાયામૃતમાં આ અંગે એવી આપત્તિ રજૂ કરી છે કે બધા જ પદાર્થો જો બ્રહ્મમાં અધ્યક્ત જ હોય તો તે બધા પદાર્થો અધ્યસ્ત હોવાથી જ પ્રતિભાસિક થાય અને વ્યાવહારિક/પ્રતિભાસિકનો ભેદ રદ થઈ જાય. . પ્રાતિમાસિક વસ્તુઓ બ્રહ્મજ્ઞાન સિવાયના જ્ઞાનથી નાશ પામે છે અને વ્યાવહારિક જગતની સ્વતન્ત્ર વસ્તુઓ બ્રહ્મજ્ઞાનથી જ નાશ પામે છે, કારણ કે, બધું બ્રહ્મમાં જ અન્ત તો અધ્યસ્ત હોય છે. જો કે પ્રશ્ન એ છે કે, જો તેમજ હોય, તો પ્રતિભાસિક વસ્તુઓ અને જ્ઞાતાનિરપેક્ષ વસ્તુઓ એવો ભેદ શા માટે પાડવો પડે? મધુસૂદન માને છે કે આવી કોઈ આપત્તિ જ નથી, કારણકે, ઘટ કે પટનું વૃત્તિજન્ય જ્ઞાન થાય તે પહેલાં જ તે વસ્તુઓ બ્રહ્મમાં અધ્યક્ત જ છે. હવે જો એમ પૂછો કે શા માટે બધું આમ અધ્યસ્ત છે તો શાંકર વેદાન્તમતે તો એવો ઉત્તર મળશે કે આચ્છાદિકા અને વિક્ષેપિકા એવી સર્વન્યાયવિરોધી અવિદ્યા અનાદિ જ છે અને પ્રપંચાધ્યાસનું તે ઉપાદાનકારણ છે પણ તેનું પોતાનું કાંઈ કારણ નથી. જો કે આવી રજુઆતો બધાને માન્ય થતી નથી.
SR No.520787
Book TitleSambodhi 2014 Vol 37
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages230
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy