________________
પૂ.સ્વ. શ્રી નગીનદાસભાઈ શાહને સ્મરણ સુમનાંજલિ
પારુલ માંકડ
પૂ.સ્વ.શ્રી નગીનભાઈને સન્ ૧૯૭૩ થી ૧૯૭૫ના મારા એમ.એ.ના અભ્યાસકાળ દરમિયાન ભાષાસાહિત્ય ભવનમાં સંસ્કૃત વિષયમાં સાંખ્ય યોગ દર્શન ભણાવવા માટે મુલાકાતી અધ્યાપક તરીકે વર્ગ લેવા આવતા-જતા ત્યારે હું તેમને એક ધીર-ગંભીર છતાં અલ્પદાસી વ્યક્તિ તરીકે જોતી. બધાં શાસત્રોના વર્ગો હંમેશા એક સાથે ચાલતા એટલે એ સમયે એક સન્નિષ્ઠ અધ્યાપક સિવાય મારે તેમની સાથે બીજો કોઈ પરિચય ન હતો. અર્થાત્ વાતચીતનો સંબંધ ન હતો અને એક આદરણીય અધ્યાપક તરીકે મને તેમના પ્રત્યે માન ઉપજતું, ભલે દર્શન મારો વિષય નહતો. આમ તેમના શાંત-ગંભીર વ્યક્તિત્વની છાપ મારા ચિત્ત પર જરૂર પડી હતી. હોશિયાર સહાધ્યાયીઓ પણ તેમના દર્શનશાસ્ત્રના જ્ઞાન અંગે હંમેશાં પ્રશંસાના પુષ્પો પાથરતા રહેતા અને સામાન્ય વિદ્યાર્થીઓને તેમની વાણી થોડી અઘરી પણ લાગતી.
ટૂંકમાં તેમના વ્યક્તિત્વને “વારિતસમરિ’ (નારિયેળના જેવા)ની ઉપમા આપી શકાય. તેઓ બહિર્ગભીર-બહારથી ગંભીર પ્રકૃતિના અને આંતરિક રીતે ઋજુ, સહૃદયી વ્યક્તિ હતા. જો કે તેમના સ્વભાવના સ્નેહાળ, સહૃદયી. પાસાંનો પરિચય મને છેક ઇ.સ. ૧૯૮૫માં જ્યારે મેં પોસ્ટ ડૉક્ટરલ રીસર્ચનું કાર્ય - યુ.જી.સી.ની યોજના હેઠળ “રીસર્ચ એસોસીયેટશીપ' (R.A.)નું કાર્ય શરૂ કર્યું ત્યારે થયો. આ કાર્ય દરમિયાન યુ.જી.સી.ના નિયમ પ્રમાણે રીસર્ચ એસોસીયેટે કાર્ય કરવા માટે એક સંસ્થા પસંદ કરવાની હોય છે. જે યુનિવર્સીટી સાથે સંલગ્ન હોય અને એ જ સંસ્થાના કોઈ પણ પ્રોફેસરને સુપરવાઈઝર' તરીકે પસંદ કરવાના હોય છે.
હવે મારા વિદ્યાગુરુ સ્વ.ડૉ.તપસ્વી નાન્દીસાહેબ જેઓ સ્વ.ડૉ.નગીનભાઈ શાહના પણ મિત્ર હતા, તેમનો આગ્રહ હું વિશ્વવિખ્યાત એલ.ડી.ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડોલોજીને સંસ્થા તરીકે પસંદ કરી રીસર્ચ એસોસીયેટશીપનું કાર્ય કરું તેવો હતો. તેઓશ્રી એ સમયે ભાષા સાહિત્ય-ભવનમાં (એલ.ડી.નું લીએન.પૂરું થતાં) સંસ્કૃતના અધ્યાપક તરીકે પુનઃ જોડાવા જઈ રહ્યા હતા. તેમણે મને ડૉ.નગીનભાઈ શાહ જેઓ એલ.ડી.માં દર્શનશાસ્ત્રના પ્રોફેસર તરીકે સેવા બજાવતા હતા મારા સુપરવાઈઝર તરીકે યોગ્ય છે તેવું સૂચન તેઓશ્રી નાન્દી સાહેબે કર્યું. પરંતુ હું મુંઝાઈ ગઈ કારણ કે તે સમયે પણ મને તેમનો