________________
106
વસંત પરીખ
SAMBODHI
કેન્દ્રિત કરે છે અને તેથી હજારો હસ્તપ્રતોમાં નિહિત મૂલ્યવાન વાડ્મય અંધારામાં જ રહી જાય છે ત્યારે નગીનભાઈનું સ્મરણ તીવ્રતાથી થઈ આવે છે. વિચિત્રતા તો એ છે કે હસ્તપ્રતવિદ્યા વિષે વર્કશોપ થાય છે. પુસ્તકો પણ લખાય છે પણ ખરેખર કોઈ હસ્તપ્રત મેળવી – એની અન્યત્ર રહેલી પ્રતોને પ્રયત્નપૂર્વક મેળવી – શાસ્ત્રીય રીતે સંપાદન કરનારા અભ્યાસીઓ તો દુર્લભ જ રહે છે ! શ્રી નગીનભાઈએ એ દિશામાં નોંધપાત્ર કાર્ય કર્યું છે. એમની પ્રેરણાથી એ પ્રકારના ત્રણ મહત્ત્વના સંપાદનો કરવામાં હું જોડાયો હતો, તે સ્મરણ મને તેમનો ઋણી બનાવે છે.
એમનું ધર્ય પણ અમાપ હતું. જ્યાં સુધી આવશ્યક સર્વ ગ્રંથો-લેખો વગેરે ન મળે ત્યાં સુધી પુસ્તકને અંતિમ રૂપ ન જ આપવું એવો તેમનો આગ્રહ રહેતો અને તે માટે તેઓ ધીરજપૂર્વક સતત ઉદ્યમશીલ રહેતા. પરિણામે એમનો ગ્રંથ હંમેશા આધારભૂત સંદર્ભગ્રંથની ઊંચાઈને પામતો.
એમને જ્યાં કેવળ સપાટી પરની ચર્ચા કે વાગ્વિલાસ થતો હોય તેવા સમારંભોથી દૂર રહી વિવિક્ત દેશ સેવિત અધ્યયનમાં જ વિશેષ રૂચિ હતી. આ વૃત્તિ આજે વિરલ થતી જાય છે. તો પણ અંગત રીતે એ સહુ કોઈને સ્નેહથી જ મળતા, સુખદુઃખમાં ભાગ લેતા અને સલાહ આપ્યા વગર પણ સન્માર્ગે વાળતા.
- વર્તમાન અને ભવિષ્યના વિદ્યાપ્રેમી જિજ્ઞાસુઓ અને સંશોધકોને શ્રી નગીનભાઈનું ચિંતન અને કાર્ય નિરંતર અમ... પ્રેરણા આપ્યા કરો એવી અભ્યર્થના.
#
#