SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ મૂયોવિદ:' “રિપતઃ વિદ્વાન શ્રી નગીનભાઈ શાહ લમેશ જોષી “ન્યાયશાસ્ત્રની એક હસ્તપ્રત મેં જોઈ છે. તમે તેનું સંપાદન કરશો તો એક સારું પુસ્તક ઉમેરાશે” – આવા અર્થના શબ્દો, જ્યારે હું નગીનભાઈને, વાલકેશ્વર સોસાયટીમાં તેમના ઘરે છેલ્લે મળવા ગયો હતો ત્યારે કહ્યા હતા! તેમની સાથેની વાતચીતમાં શાસ્ત્રના અર્થો, હસ્તપ્રતો, નવા પ્રકાશિત થયેલા ગ્રંથો વગેરે આવે. તેમના લેખનમાં, પ્રવચનમાં અને વાર્તાલાપમાં પણ જે કહે તેનો આધાર આપે અને અનાવશ્યક વિસ્તાર ન કરે. પ્રસિદ્ધ ટીકાકાર શ્રી મલ્લિનાથની ઉક્તિને, જાણ્યે-અજાણ્યે નગીનભાઈ અનુસરતા હોય તેમ આપણને લાગે. (નામૂર્વ તિર્થતે ચિત્ નાનપેક્ષિતમ્ ૩mતે – અર્થાત્ અમૂલમૂળ કે આધાર વિનાનું કાંઈ લખાય નહીં; અને અપેક્ષિત ન હોય તેવું વર્ણવાય નહીં – શ્રી મલ્લિનાથ) સાંખ્યયોગ, ન્યાય-વૈશેષિક વગેરે તેમના ગ્રંથોમાં પુષ્કળ પાદટીપો જોવા મળે છે. . નગીનભાઈ વાફ-પ્રયોગ વિષે વિચારતાં, ઋગ્વદની એક ઋચા યાદ આવે છે - सक्तुमिव तितउना पुनन्तो, यत्र धीरा मनसा वाचमक्रत अत्रा सखायः सख्यानि जानते, भइयां लक्ष्मीनिहिताधि वाचि ॥ - ઋગ્વદ મંડલ ૧૦, સૂક્ત ૭૧, ઋચા ૨. અર્થાત્ સત્ને, સાથવાને કે લોટને, તિતથિી-ચાળણીથી (sieve) જેમ લોકો પવિત્ર કે શુદ્ધ કરતા હોય છે તેમ જ્યાં ધીર પુરુષો મનથી – મનની ગળણીથી ગાળીને, વાણીને – શબ્દરચનાને રચે છે. અહીં સમાન જ્ઞાનવાળા મિત્રો સમાન જ્ઞાનની વસ્તુઓને જાણી શકે છે. એમની વાણીમાં કલ્યાણ કરનારી લક્ષ્મી સ્થાપિત થયેલી હોય છે. વળી, યાસ્કમુનિ તો ઉત્ત-ત-૩ની વ્યુત્પત્તિ આપતાં કહે છે કે આવી ચાળણીનાં કાણાં કે છિદ્રો, તલનાં માપ જેવડાં ખૂબ નાનાં હોય છે (તિત૩.તિનમાત્ર/ત્રમ્ રૂતિ વા – નિરુક્ત ૪-૨-૯) , નગીનભાઈના વાફ-પ્રયોગને આ નિરૂપણ લાગુ પડે તેવું છે. નગીનભાઈએ પીએચ.ડી.નો મહાનિબંધ પં.સુખલાલજીના માર્ગદર્શન નીચે તૈયાર કર્યો હતો
SR No.520787
Book TitleSambodhi 2014 Vol 37
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages230
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy