________________
Vol. XXXVI, 2013 ધનપાલ : પાણિનીય ધાતુપાઠના એક અપ્રસિદ્ધ વૃત્તિકાર
237 મળે છે તેમ યુધિષ્ઠિર મીમાંસકે તેમના ઉપર્યુક્ત પુસ્તકમાં નોંધ્યું છે : વ્યુત્પત્તિર્ધનપાનતઃ | હેમચંદ્રાચાર્યના આ વિધાનથી તેમની વ્યુત્પત્તિવિષયક વિદ્વત્તાનો ખ્યાલ તો આવે છે, પણ તે વિધાન તેમની ઉત્તરસીમા નક્કી કરવામાં ખાસ કામ લાગે છે. હેમચંદ્રાચાર્યનો સમય ઇ.સ. ૧૦૮૮-૧૧૭૨ છે, તેથી ધનપાલ મોડામાં મોડા અગિયારમી સદીના ઉત્તરાર્ધ પહેલાં થઈ ગયા જણાય છે. તેમના સમયની પૂર્વસીમા નક્કી કરવા માટે વિચારવું પડે કે તે જે શાકટાયનીય ધાતુપાઠના વૃત્તિકાર હતા. તે શાકટાયન ક્યારે થઈ ગયા? કા. વા. અથંકર શાસ્ત્રીએ તેમના Dictionary of Sanskrit Grammer નામના ગ્રંથમાં જણાવ્યું છે કે શાકટાયન નામના બે વૈયાકરણ થઈ ગયા છે. એક શાકટાયન પાણિનિ પૂર્વે થઈ ગયા છે, જેમનો નિરુક્તમાં ઉલ્લેખ મળે છે, જયારે બીજા પાલ્યકીર્તિ શાકટાયન નામના જૈન વૈયાકરણ, રાષ્ટ્રકૂટ રાજા પ્રથમ અમોઘવર્ષના રાજયકાળ (ઇ.સ. ૮૫૭-૮૭૭) દરમિયાન થઈ ગયા છે. પ્રા. મ.દા. સાઠેએ મરાઠીમાં લખેલા ‘પાણિનિ અને પાણિનીય વ્યાકરણ સંપ્રદાય' નામના ગ્રંથમાં એ જ લખ્યું છે કે આ અર્વાચીન શાકટાયમને પાણિનિપૂર્વ શાકટાયન સાથે કોઈ સંબંધ નથી અને તેમણે શાકટાયન શબ્દાનુશાસન લખ્યું છે. આ પરથી જણાય છે કે ધનપાલ આ નવમી સદી દરમિયાન થઈ ગયેલા શાકટાયનના વૃત્તિકાર છે. આમ માનીએ તો એમના સમયની પૂર્વસીમા દસમી સદીનો પૂર્વાર્ધ ગણાય. ટૂંકમાં તે દસમીથી અગિયારમી સદી સુધીમાં થઈ ગયા હશે એમ જણાય છે નોંધવું ઘટે કે અનુકમે ઇ.સ.ની અગિયારમી અને બારમી સદીમાં થઈ ગયેલા “ક્ષી.ત'ના કર્તા ક્ષીરસ્વામી અને મૈત્રેયરક્ષિત - . આ બંને વૈયાકરણોએ ધનપાલનો એકપણ મત ટાંક્યો નથી.
આ લેખમાં ધનપાલના ‘માધવીયા ધાતુવૃત્તિઅને ‘પુરુષકાર વાર્તિક માં મળતાં કુલ ૪૫ મતની ચર્ચા કરી છે, જેની વિગત આમ છે – “દેવ’ પરના પુરુષકાર વાર્તિકમાં ધનપાલના ૪૪ મત મળે છે, જ્યારે મા.ધા.વૃ.'માં તેમના ૩૦ મત મળે છે. પુરુષકાર વાર્તિકમાં જે ૪૪ મત મળે છે, તેમાંના ૨૯ મત મા.ધા.વૃ.'માં તે જ પ્રમાણે, તો ક્યારેક સહેજ ફેરફાર સાથે ધનપાલના નામે જ મળે છે. સાયણનો સમય, લીલાશુકના સમય પછીનો હોવા છતાં, પુનરુક્તિ ટાળવા અને ધાતુપાઠનો ક્રમ - જાળવવા, મા.ધા.વૃ.ના ધાતુપાઠના અનુક્રમે પ્રથમ ધનપાલના ૩૦ મત આપ્યા છે. તેની સાથે જ પુરુષકારમાં મળતા ધનપાલના ૨૯ મત, તે તે મતની ચર્ચામાં પુરુષકારના નામ સાથે દર્શાવ્યા છે (ચૌરાદિક ધાતુ ધ્વઃ વિશેનો ધનપાલનો મત માત્ર “મા.ધા.વ.'માં જ મળે છે.) પુરુષકારના બાકી રહેલા ૧૫ મત માં.ધા.વૃ.ના ૩૦ મત પછી ૩૧ થી ૪૫ મત તરીકે ‘પુરુષકાર વાર્તિક'ના ક્રમે દર્શાવ્યા છે.
પાણિનીય ધાતુસૂત્રો વિશેના ધનપાલના મતોને નોંધીને, “ક્ષી.ત’ અને ‘ધા. પ્ર'માંના તે તે ધાતુસૂત્રમાં મળતાં પ્રસ્તુત મત સાથે તેમને સરખાવ્યા છે અને તે ઉપરાંત ‘પદમંજરી’ કે ‘ન્યાસ’ વગેરેમાં મળતા ઉપયોગી મતોનો પણ ટૂંકમાં નિર્દેશ કર્યો છે.
૧. મતિ ગતિ વધે તે મન્નતિ મતિ (મા.વા.. પૃ.૭૬) સત્ર ધનપાન: – તાતં દ્રજીમડા पठन्ति, आर्यास्तु दान्तम् इति । उभयमिति मैत्रेयस्वामिकाश्यपसम्मताकारादयः ।
ગ્વાદિગણના સાયણે ટાંકેલા ધનપાલના આ ધાતુ વિશેના મત પ્રમાણે, દ્રમિડો ગતિ અને આર્યો 'ગતિ પાઠ કરે છે. પુરુષકાર (પૃ.૬૮)માં આ મત આ જ પ્રમાણે ધનપાલના નામે મળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org