________________
અલ્કેશા ડી. વિણક
SAMBODHI
ગુરૂ સાચું બોલો, ધર્મનું આચરણ કરો સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરો. માતા-પિતા-આચાર્યઅતિથિને દેવતા સમાન સમજો વગેરે ઉપદેશ આપતા.
224
વૈદિક સમયમાં સ્ત્રીઓ પણ પુરુષોની સમાન શિક્ષા પ્રાપ્ત કરતી. ગાર્ગી, વાચકનવી અને મૈત્રેયી વગેરે નારીઓમાં તત્ત્વજ્ઞાન જેવા ગૂઢ વિષયોમાં પોતાની અમીટ છાપ છોડી છે. જેને લોકો આજે પણ યાદ કરે છે.
નિવાસ-વ્યવસ્થા :
વેદકાલીન સમાજમાં લોકો ગ્રામ અને નગર બંનેમાં રહેતા. ઘણા સમય સુધી પશ્ચિમી વિદ્વાનો વૈદિક સંસ્કૃતિને ગ્રામીણ જ સમજતા પરંતુ હવે તેમનો આ ભ્રમ દૂર થયેલ છે. કોઈપણ સંસ્કૃતિ ન તો ફક્ત ગ્રામમાં જ વિકસે છે. ન ફક્ત કેવળ નગરોમાં વૈદિક સમયમાં દુર્ગોનું અસ્તિત્વ હતું. લોદુર્ગનો ઋગ્વેદ–૪.૩૦,૨૦
ગતમમન્વયીનાં પુરામિત્રો વ્યાસ્વત્ નિવોવાસાય વષ માં નિર્દેશ છે. ઋગ્વેદ-૧. ૧૧૬.૮
हिमेनाग्निं ध्रंसमेवारयेथां पितुमतिमूर्जमस्मां अद्यतं ।
ऋबीसे अत्रिमाश्विनावनीतमुन्निन्यथुः सर्वगणं स्वस्ति ॥१६
માં પણ કિલ્લાંનો ઉલ્લેખ છે. ઇન્દ્રે દસ્યુરાજ શંબરના કિલ્લાઓને ધ્વસ્ત કર્યો હતો. વૈદિક આવાસ ગૃહ બધી જ આવશ્યક્તાઓથી યુક્ત હતા. ગૃહ નિર્માણની સામગ્રીમાં વાંસ, મિટ્ટી, લાકડા, પથ્થરો તથા ઈંટોનો વિશેષરૂપમાં પ્રયોગ થતો. ઘરના વિભિન્ન કક્ષ-અગ્નિશાળા, ભાંડારકક્ષ, અંતઃપુર, બેઠકરૂમ, અતિથિકક્ષ વગેરેનો નિર્દેશ છે. ગૃહના અધિષ્ઠાતા દેવતાના રૂપમાં વૈદિક સાહિત્યમાં ‘વાસ્તોતિ’ દેવ વાસ્તુદેવનો ઉલ્લેખ છે.
ભોજન અને પીણાં-પેય પદાર્થો :
જવ, ચાવલ-ચોખા, ઘઉં, મગ, અડદ વગેરે ધાન્યો ખેતી દ્વારા કરવામાં પ્રાપ્ત કરવામાં આવતા હતા. આ સિવાય ઘી, દૂધ, દહીં વગેરે ભોજન-સામગ્રી પરં ઉપયોગમાં લેવામાં આવતી. ‘સોમરસ' એ તત્કાલિન સમાજનું પ્રિય પીણું હતું. યજુર્વેદમાં ૧૮.૧૨
व्रीहयेश्च मे यवांश्च में माषाश्च मे तिलाश्च मे मुङ्गाश्च में खल्वाश्च मे प्रियङ्गावश्च
suraश्च मे श्यामाकाश्च मे नीवाराश्च मे
गोधूमाश्च मे मसूरांश्च मे यज्ञेन कल्पन्ताम् ॥१७
માં તત્કાલીન સમાજના-વિભિન્ન ધાન્યોનો સુંદર ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
આ ઉપરાંત ઋગ્વેદ-૧.૬૨.૨, ૩.૫૩.૩, ૩.૫૨.૫. તથા ૬.૨૯.૪ માં પણ ધાન્યાદિનો નિર્દેશ પ્રાપ્ત થાય છે. ઋગ્વેદ-૧.૧૮૭.૧૬ માં પૂષનૂ દેવને પ્રસન્ન કરવા શેકેલા જવના લોટનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org