SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ 132 - નીલાંજના શાહ SAMBODHI ગૃહસ્થીઓ માટે દેશવિરતિવ્રત એટલે કે પોતાની પરણેતર કે પતિને સંપૂર્ણપણે વફાદાર રહેવાનું વ્રત હોય છે. શી. મા.”માં સ્વાભાવિક રીતે શીલને બાકીનાં ત્રણે દાન, તપ અને ભાવ કરતાં સર્વોપરિ દર્શાવવામાં આવ્યું છે, જે નીચેની ગાથાઓ પરથી જણાય છે. સાઇન - તવ - ભાવાર્ફ - થર્મોહિંતો સુદ સી ! इय जाणिय भो अइजत्तं कुणह तत्थेव ॥१०॥ तं दाणं सो अ तवो सो भावो सं वयं खलु पमाणं । जत्थ धरिज्जइ सीलं अंतर - रिउ - हिययनवकीलं ॥११॥ (દાન, તપ, ભાવના વગેરે ધર્મોના (પાલન) કરતાં શીલનું પાલન અતિદુષ્કર છે, એ. જાણીને હે ભવ્ય જીવો, તેને પાળવા માટે ખૂબ પ્રયત્ન કરો.) (તે દાન, ને તપ અને તે ભાવના, આ દરેક વ્રત ત્યારે જ પ્રમાણભૂત (ફળીભૂત) થાય છે, જ્યારે આંતરિક શત્રુઓ માટે નવા ખીલાસમાન શીલવ્રતનું આચરણ થાય છે.) શીલનો ભંગ કરવાથી બાકીનાં ચારે અણુવ્રતોનો કેવી રીતે ભંગ થાય છે તે ૨૩-૨૫ ગાથાઓમાં દર્શાવ્યું છે : अबंभं पयडं चिय अपरिग्गहियस्स कामिणी नेय ।। इय सील-वज्जियाणं कत्थ वयं पंचवयमूलं ॥२५॥ (સ્ત્રી સેવનારાને બ્રહ્મચર્યનું ખંડન સ્પષ્ટ છે, જ્યારે પરિગ્રહરહિત પુરુષને સ્ત્રી નથી જ. આમ શીલરહિત મનુષ્યો માટે પાંચ વ્રતોના મૂળરૂપ આ વ્રત ક્યાં રહ્યું ?) : “શી. મા.”માં મળતી કથાઓ : શી. મા.”ની ગાથાઓમાં સૂચવેલાં દષ્ટાંતોને સમજાવતાં “શી. મા.ના કર્તાએ કુલ ૪૩ કથાઓ આપી છે. આ ગ્રંથની શરૂઆતમાં શીલના પ્રતાપે મોક્ષસુખ મળે છે તે વાત જણાવી છે. કથાઓના પ્રારંભમાં ગુણસુંદરી સતીની કથા મળે છે અને ત્યારબાદ શીલભષ્ટ થયેલા વૈપાયન અને વિશ્વામિત્ર ઋષિની કથા છે. આ બધાને ઉદ્દેશીને એક ગાથા(૨૫)માં તો સ્પષ્ટ કહ્યું છે કે ઉત્તમ દાતા કે ઉગ્ર તપ કરનાર તપસ્વી કે નિર્મળ ભાવનાશાળી પુરુષ પણ જો શીલરહિત હોય તો તેને અસામાન્ય મોક્ષસુખ મળતું નથી. તે પછી સ્ત્રીના દાસ થયેલા રિપુમર્દન વગેરે રાજાની તથા હરિ, હર, બ્રહ્મા વગેરે પૌરાણિક દેવોને લગતી કથાઓ છે. તે દેવોને પૂજતા લોકો પર કટાક્ષ કરતી એક ગાથા નીચે પ્રમાણે છે. पूइज्जन्ति शिवत्थं कोहि वि जइ कामगद्दभा देवा । गता सूयर-पमुहा कि न हु पूर्वति ते मूढा ॥२१॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520778
Book TitleSambodhi 2005 Vol 28
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, K M Patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2005
Total Pages188
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy