________________
વ્યાજની વાત
રસીલા કડીઆ
પ્રસ્તુત હસ્તપ્રતની નકલ લા. દ. ભા. સં. વિદ્યામંદિર, અમદાવાદના ત્રુટક પુસ્તકો પરથી કરી છે. પૃ. ૫-૬ ઉપર આ કૃતિ લખેલ છે. તેની ઉપર જાતક પદ્ધતિનો જ્યોતિષનો ગ્રંથ છે. આ ગ્રંથનું છેલ્લું વાય આ પ્રમાણે છે: “તિશ્રી નાતરુંપદ્ધતી યોધ્યાય સમાન " શ્રી વીસતના . ૧૮૧૨ ના માહ સુરિ . १५ वार भौम पं. श्री १०८ श्री पंडित प्रवरश्री जिनविजयजी । शिष्यं । पं. नवलविजय गणि लषी(खि)तं । અને વ્યાજની વાત'ની નીચે ‘પરમ પ્રભુ પરમેન નિણંદ્ર કૃતિ લખેલી છે. આ કૃતિ એક જ પત્ર પર છે તેથી તે સં. ૧૮૫૧ માં લખાયેલી નિશ્ચિત થાય છે. પ્રત પરિચય: પત્ર - ૨ (પૃ. ૫ અને પૃ. ૬) માપ ઃ ૨૫ સે.મી x ૧૧.૫ સે.મી. અક્ષરો : ૩૮ પંક્તિ : ૧૩ સ્થિતિઃ શ્રેષ્ઠ
હાંસિયાની બન્ને બાજુ ઊભી લાલ લીટીઓ છે. કૃતિમાં વચ્ચે જે જગ્યા છૂટેલી જણાય છે ત્યાં લાલ શાહીથી કરવા ધારેલા દંડ તથા કડી સંખ્યાના અંક લખવાના રહી ગયા હોવાથી હોઈ શકે તેમ લાગે છે.
પ્રસ્તુત કૃતિનું નિરૂપિત કથાવસ્તુ આમ તો છે દોઢસો-બસો વર્ષ પહેલાનું પણ આજે ય એની પ્રસ્તુતતા છે જ. બલ્ક પહેલાંથીય અદકેરી છે. વાત છે વ્યાજની. મૂડી ધંધામાં રોકાય તો રળાય છે પણ ફાજલ નાણાં વ્યાજ દ્વારા રળી આપે છે. આથી જ, કહેવત છે કે “મુદ્દલ કરતાં વ્યાજ વહાલું’.
વ્યાજે પૈસા ધીરવા માટે જો કોઈ યોગ્ય વ્યક્તિ કે સંસ્થા ન સાંપડે, એમાં ખોટા પડાય, વ્યાજે પૈસા લેનારો ખોટી દાનતવાળો હોય તો એની કેવી વલે થાય તે આ કૃતિમાં સુપેરે દર્શાવવામાં આવ્યું છે. વ્યાજના લોભે વ્યક્તિને મુદ્દલ પણ ગુમાવવાનો વારો આવે, આપીને દૈન્ય અનુભવવા મળે અને વ્યક્તિએ જીવનમાં કહ્યો ન હોય તેવો (Scene) સીન ઊભો થાય અને વિના વાંકે લોકોનાં વચનો સાંભળવા પડે અને પોતે હાંસીપાત્ર થાય તે નફામાં. આ બધું જ પ્રસ્તુત કૃતિમાં નાટ્યાત્મક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org