________________
130
કમલેશકુમાર છે. ચોક્સી
SAMBODHI
ઈશ્વરની સર્વજ્ઞતા અને જીવનું કર્મ-સ્વાતન્યઃ
ઈશ્વરને સર્વજ્ઞ માનવામાં આવ્યો છે. હવે જો ઈશ્વર સર્વજ્ઞ એટલે કે બધું જ જાણનારો હોય, તો તેને એનું પણ જ્ઞાન હોય જ કે અમુક જીવ અમુક પ્રકારનું કર્મ કરવાનો છે. આમ, જીવ જે કર્મ કરનાર હોય છે, તેને ઈશ્વર જાણતો જ હોય અને જો આમ હોય તો જીવનું સ્વાતંત્ર રહે જ નહીં. કેમકે ઈશ્વરે પોતાના જ્ઞાનથી જે નક્કી કર્યું હશે, તેવું જ જીવ કરશે અને તેથી પાપનો ભાગીદાર પણ જીવ બનશે. નહીં.
જો કોઈ આવો પ્રશ્ન કરે, તો તેનો ઉત્તર આપતાં સ્વામી દયાનન્દ જણાવે છે કે -
ઈશ્વરને ત્રિકાલદર્શી કહેવો મૂર્ખતાનું કામ છે. કેમકે જે હતું તે ન રહે તે ભૂતકાળ અને જે ન હતું તે થાય તે ભવિષ્યકાળ કહેવાય છે. શું ઈશ્વરમાં કોઈ જ્ઞાન થઈને નથી રહેતું તથા ન હતું તે થાય છે? એટલા માટે પરમેશ્વરનું જ્ઞાન સદા એકરસ, અખંડિત, વર્તમાન રહે છે. ભૂત, ભવિષ્ય તો જીવોને માટે છે. હા, જીવોનાં કર્મની અપેક્ષાથી ત્રિકાલજ્ઞતા ઈશ્વરમાં લાગે છે ખરી, પણ તે સ્વતઃ નથી. જેમ સ્વતન્નતાથી જીવ કરે છે, તેમ સર્વજ્ઞતાથી ઈશ્વર જાણે છે, અને જેમ ઈશ્વર જાણે છે, તેમ જીવ કરે છે. અર્થાત્ ભૂત, ભવિષ્ય, અને વર્તમાનનું જ્ઞાન અને ફળ આપવામાં ઈશ્વર સ્વતન્ત્ર છે અને જીવ કિંચિત વર્તમાન અને કર્મ કરવામાં સ્વતંત્ર છે. ઈશ્વરનું અનાદિ જ્ઞાન હોવાથી, જેવું કર્મનું જ્ઞાન છે; તેવું જ દંડ દેવાનું પણ જ્ઞાન અનાદિ છે. એ બેઉ જ્ઞાન તેમના સત્ય છે. શું કર્મજ્ઞાન સત્ય અને દંડજ્ઞાન મિથ્યા કદી થઈ શકે છે? એટલા માટે એમાં કોઈપણ દોષ આવતો નથી.” (સ. પ્ર. પૃ. ૨૯૯)
આ રીતે જીવ કર્મ કરવામાં સ્વતંત્ર અને ફળ ભોગવવામાં પરતંત્ર છે; એવી માન્યતાને સ્વામી દયાનન્દ દઢ કરી આપી છે. કર્મનું ફળ ઈશ્વરીય વ્યવસ્થાથી ?
જીવે કરેલાં કર્મોનું ફળ જીવ પોતે જ ભોગવતો નથી. વળી, કર્મ પોતે પણ ફળતાં નથી. જીવે કરેલાં કર્મોનું ફળ તો ઈશ્વરની વ્યવસ્થાથી મળે છે; એવું સ્વામી દયાનન્દનું મન્તવ્ય છે.
જે લોકો કર્મને જ કર્મ ફળદાતા માને છે, તેમના મત પ્રત્યે અણગણી વ્યક્ત કરતાં તેઓ જણાવે છે કે -
“જો સર્વકાંઈ કર્મથી થાય છે, તો કર્મ કોનાથી થાય છે? જો કહો કે જીવ વગેરેથી થાય છે; તો જે શ્રોત્રાદિ સાધનોથી જીવ કર્મ કરે છે, તે શાથી થયાં? જો કહો કે અનાદિકાળ અને સ્વભાવથી થાય છે; તો તે અનાદિનું છુટવું (એટલે કે કર્મોનું છૂટવું) અસંભવ થઈને તમારા મતમાં મુક્તિનો અભાવ થશે. જો કહો કે પ્રાગભાવવત્ અનાદિ સાત્ત છે; તો યત્ન વિના સર્વનાં કર્મ નિવૃત્ત થઈ જશે” (સ. પ્ર. પૃ. ૬૬૪)
વળી, મદ નશાની માફક કર્મનું ફળ આપમેળે પ્રાપ્ત થાય છે; ફળ આપવામાં બીજાની આવશ્યકતા જ નથી; એમ કહેવામાં આવે; તો તેવા મતાગ્રહી તરફ સ્વામી દયાનન્દનું કથન છે કે -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org