________________
118
આર. પી. મહેતા
SAMBODHI
કરે છે મા ટેકાળે ટુરીઝદી સંપ્રદાયવાનામો વોટી ત૨ કરે છે જે સ્વધર્મ ને સ્વામીનારાયણ, જે शैव, के वैष्णव, के हिंदु, के मुसलमान, जे पोताना बापनो होय ते धर्म, ने परधर्म एटले तेथी बीजो; पण अधिकार संबंधे आखा अध्यायनो विषय छे, ने जे उपक्रम को हतो ते ज वातनो अत्रे उपसंहार छे, के अधिकार परत्वे व्यवहार राखवो, तेमां संप्रदायो क्यांथी आवी पड्या !!! आवा दुराग्रहोथी ज आपणा शास्त्रोने मचडी नाखी नकामो विरोध स्वार्थी आचार्योए पेदा कर्यो छे, बाकी तत्त्वग्रहणमां धर्म के संप्रदाय कांई छेज નહિં શ્રી મણિલાલ દ્વિવેદીનો આક્રોશ વ્યાજબી છે. એમની દૃષ્ટિએ બાબત આ જ છે - પોતાનાં વર્ણાશ્રમ તથા પોતાના અધિકારને યોગ્ય જે વ્યવહાર હોય તે પાળવાનો. આમાં ધાર્મિક સંપ્રદાયોની કોઈ વાત આવતી જ નથી.
આવા સરસ વિચાર ધરાવતા શ્લોક (૩-૩૫) નો પોપટિયો પાઠ જ કરવાનો હોય અને જીવનમાં ઉતારવાનો ન હોય, તો એનું કોઈ મહત્ત્વ નથી. શ્રી એ. પાર્થસારથિનો આ માટે અભિપ્રાય 9 - The Valuable advise contained herein is often quoted but rarely followed. Everyone must choose a field of activity in life according to his SVADHARMA, Which means 'One's own nature'.15
પોતાનો જે ધર્મ હોય, એને જ લક્ષ્યમાં રાખવો જોઈએ. એનાં પાલનમાં સહેજ પણ વિકંપની અનુભવવું ન જોઈએ. જેમ કે ક્ષત્રિય. ધર્મપૂર્વકના યુદ્ધ સિવાય એને માટે બીજું કાંઈ વધુ સારું નથી. ક્ષત્રિય જો આમ ન કરે તો એણે પોતાનો ધર્મ છોડ્યો કહેવાય. એનાથી એને અપયશ મળે અને પાપની પ્રાપ્તિ થાય. પોતાનો ધર્મ સાર વગરનો લાગે, બીજાનો ધર્મ ‘સારી રીતે આચરી શકાય તેવો છે એમ લાગે; તો પણ પોતાનો ધર્મ એના કરતાં વધુ સારો. પારકાંનો ધર્મ અનર્થકારક જ ગણાય. એના કરતાં, પોતાના ધર્મનું આચરણ કરતાં કરતાં કાળક્રમે ઉત્તરાવસ્થાની સમીપે મૃત્યુ આવે તેમાં શ્રેય છે. પોતાની પ્રકૃતિથી સ્વભાવથી-નિશ્ચિત થયેલો પોતાનો ધર્મ છે; એ આચરવામાં કોઈ દોષ લાગતો નથી.
પોતાને ભાગે આવતી ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવી અને બીજાની કામગીરીમાં બિનજરૂરી રસ ન લેવો - જીવનમાં સુખી થવાનો મંત્ર આનાથી બીજો કયો હોઈ શકે? ભારતમાં કુટુંબપ્રથા કે સમાજ વ્યવસ્થા અદ્યાવધિ ટકી રહ્યા છે; કારણકે એના પાયામાં ગીતા અને અન્ય એવા ગ્રંથોમાં નિરૂપિત આ પ્રકારનાં જીવનમૂલ્યો પડ્યાં છે.
ટિપ્પણોઃ + પરિસંવાદ-‘ભારતીય દર્શનોમાં કર્મમીમાંસા' શ્રી લા.દ. પ્રા. વિદ્યામન્દિર, અમદાવાદ માટે પ્રસ્તુત * નિયામક, મહર્ષિ વેદ વિજ્ઞાન અકાદમી, અમદાવાદ. ૧. શ્રીમદ્ ભાવીતા - મોતીલાત વનાણીવાસ, વિકી - ૨૧૮૨; પુનર્મુદ્રણ -આધારસ્થાન 2. MLBD Newsletter; vol. XXV no.3, March 2003- Motilal Banarasidass,
Delhi; p-3 ૩. ઠાકર (ડૉ.) ધીરૂભાઈ- ગુજરાતી વિશ્વકોશ ખંડ ૯; ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ, ૧૯૯૭; પ્રથમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org