________________
Vol. XX, 1996 અમદાવાદની કેટલીક ઉમા..
129 છે. વાહન નંદિ સાથે ઘણી વાર આ સમૂહમાં ગણેશ, કુમાર, ભૃગી વગેરે અનુચરો પણ હોય છે.
ગુજરાતમાંથી ઉમા-મહેશ્વરની પ્રતિમાઓ રોડા, કદવાર, રૂહાવી, પાટણ, વડનગર, ખંભાત, પ્રભાસ-પાટણ, ધુમલી, કપડવંજ, ભરૂચ, વડોદરા, સિદ્ધપુર, ડભોઈ વગેરે સ્થળોએથી મળી આવી છે.
અત્રે અમદાવાદના જુદા જુદા વિસ્તારમાંથી મળી આવતી કેટલીક પ્રતિમાઓ વિશે વિગતો જોઈએ.
(૧) અમદાવાદના સારંગપુર વિસ્તારમાં સરકીવાડના એક મકાનના પાયામાંથી અન્ય પ્રતિમાઓ સાથે ઉમા-મહેશ્વરની બે યુગલ પ્રતિમાઓ પણ મળી હતી, જે હાલ સરકીવાડના નાકે, આવેલ હનુમાનજીના મંદિરમાં રાખવામાં આવી છે. સફેદ આરસામાં (૦.૫૧ સે. મી. ઊંચી અને ૦.૨૯ સે. મી. પહોળી) કંડારેલ આ પ્રતિમામાં મહેશ્વર નંદિ ઉપર અર્ધપર્યકાસનમાં બિરાજમાન છે. મસ્તકે જટામુકુટ, કાનમાં કંડલ, કંઠમાં ગ્રંવેયક, હાર ધારણ કરેલ છે. ચતુર્ભુજના અનુક્રમે બીજપૂરક, ત્રિશુલ, નાગેન્દ્ર અને ચોથો હાથ દેવીને આલિંગન આપતો બતાવ્યો છે.
મહેશ્વરના ડાબા ઉસંગમાં શિવના મુખને નિહાળતાં ઉમાં લલિતાસનમાં બેઠેલ છે. ઉમાના મસ્તકે જટામુકટ, કર્ણમાં કંડલ કંઠમાં હાર, હસ્તવલય, પાદવલય વગેરે અલંકારો ધારણ કરેલ છે. દેવીના હાથનો એક હાથ મહેશ્વરને આલિંગન આપતો દર્શાવ્યો છે. બીજા હાથનું આયુધ સ્પષ્ટ થતું નથી. આ યુગલ-પ્રતિમાની બંને બાજુના પરિકરમાં પરિચારકોનું શિલ્યાંકન નજરે પડે છે. પરિકરમાં નીચે ડાબી બાજુ ગણપતિને ઊભેલા બતાવ્યા છે જ્યારે જમણી બાજુ કાર્તિકેય છે.
(૨) ઉક્ત યુગલ-પ્રતિમાની બાજુમાં બીજી એક ઉમા-મહેશ્વરની સપરિકર યુગલ-પ્રતિમા આવેલી છે. સફેદ આરસની (૦.૪૯ સે. મી. ઊંચી અને ૦.૨૬ સે. મી. પહોળી) પ્રતિમામાં નંદી ઉપર મહેશ્વર બેઠેલા છે. મસ્તકે જટામુકુટ અને અન્ય અલંકારો ધારણ કરેલ છે. મહેશ્વરના ચાર હાથ પૈકી જમણો નીચલો હાથ વરદ મુદ્રામાં, ઉપલા જમણા હાથમાં ત્રિશૂલ છે ડાબો ઉપલો હાથ ઉમાના ખભા પર મૂકેલ છે. અને ડાબો નીચલો હાથ દેવીના સ્તનને સ્પર્શતો બતાવ્યો છે.
મહેશ્વરના ડાબા ઉત્સંગમાં લલિતાસનમાં ઉમા બેઠેલા છે. દેવ તરફ મુખ રાખેલ છે. દેવીના મસ્તકે જટામુકુટ, કાનમાં કુંડલ, કંઠમાં હાર જેની સેર બે સ્તન વચ્ચેથી છેક નાભિ સુધી લટકતી જોઈ શકાય છે.
દ્વિભુજ દેવી એ જમણા હાથે દેવને આલિંગન આપેલ છે અને ડાબા હાથમાં દર્પણ નિહાળાય છે. પરિકરમાં ઉપરના ભાગે જમણી બાજુ કાર્તિકેય અને ડાબી બાજુ ગણેશની પ્રતિમાઓ મૂકેલી છે.
ઉપરોક્ત બંને પ્રતિમાઓની ઘડતર શૈલી અને અલંકરણોની કલાશૈલીની દષ્ટિએ આ પ્રતિમાઓને ઈ. સ. ૧૨મી સદીના અંત ભાગની કે ઈ. સ. ૧૩મી સદીની શરૂઆતની ગણવી જોઈએ.