SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ વડનગરનો સમ્મતિય સંઘારામ ર૦ ના મહેતા, મુનીન્દ્ર વે, જોષી, રતિલાલ સર ભાવસાર પ્રાસ્તાવિક મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાનું નાગરોત્પત્તિનું કેન્દ્ર, વડનગર, ઉત્તર ગુજરાતનું સુપ્રસિદ્ધ નગર છે. હાટકેશ્વર અને શૈવ સંપ્રદાયનાં આ ક્ષેત્રમાં શિવ, સ્કંદ, શક્તિ આદિ વૈદિક પરંપરાના સંપ્રદાયો સાથે જૈન પરંપરાનાં દેરાસરોની ઘણી માહિતી મળે છે. આ સાહિત્યના અવલોકનમાં બૌદ્ધોની પ્રવૃત્તિઓ સ્વાભાવિક રીતે ન દેખાય. | ગુજરાતની બૌદ્ધ પ્રવૃત્તિઓની કેટલીક નોંધ મળે છે. તેમાં આ પ્રદેશમાં આવેલા કે પ્રદેશથી પરિચિત યુવાન-સ્વાંગ, ઇસિંગ આદિ યાત્રીઓએ કેટલીક માહિતી સાચવી રાખી છે, તેમાં યુવાન સ્વાંગે એ-નાન-તો-પુલો જેવાં આર્નતપુર કે આનંદપુરનાં ચીની રૂપાંતર હેઠળ વડનગરના પ્રદેશની જે માહિતી આપી છે તેનો સારાંશ આ પ્રમાણે છે. આનંદપુરનગરનો ઘેરાવો આશરે ૨૦લી અર્થાત્ પાંચ કિલોમીટર જેટલો છે. તે નગરમાં બૌદ્ધોની સમ્મતિય શાખાના દશ સંઘારામો હતા તેમાં આશરે ૧૦૦૦ સાધુઓ વસતા હતા. ચીની યાત્રીની આ માહિતીને પુષ્ટ કરે તેવી કેટલીક વસ્તુઓ વડનગરમાંથી મળી છે. પ્રાપ્ત સામગ્રી - ઐતિહાસિક આ વર્ષના અર્થાત્ વિક્રમાર્ક ૨૦૪૮ = ઈ. સ. ૧૯૯૨ના ચોમાસામાં ખેતીની હળ ચલાવવાની પ્રવૃત્તિમાં શ્રી બાબુભાઈ પટેલને લાલ પથ્થરની એક પ્રતિમા મળી. આ પ્રતિમાની પ્રાપ્તિની હકીકત તેમણે વડનગર આર્ટ્સ અને કૉમર્સ કૉલેજના પ્રાધ્યાપક શ્રી રતિલાલ ભાવસારને કરી. આ પ્રતિમા માટે વધુ માહિતી મેળવવા તેમણે ગુજરાત રાજ્યમાં પુરાતત્વ ખાતાંનો સંપર્ક સાધ્યો. આ ખાતાના ઉત્તરવર્તુળના કાર્યકર શ્રી મુનીન્દ્ર વેટ જોષીને સ્થળ-તપાસની સૂચના મળતાં ૧૨ ઑગસ્ટ ૧૯૯૨ના રોજ તેમણે ત્યાં તપાસ કરી અને તે તપાસમાં મળેલી બુદ્ધની પ્રતિમાની પ્રસિદ્ધિ ગુજરાત સમાચાર'માં ૧૮ ઑગસ્ટ ૧૯૯૨ના રોજ થઈ. આ પ્રતિમા અને સાથે મળેલી સામગ્રીના વધુ અધ્યયન માટે શ્રી મુનીન્દ્ર જોષીએ ગૂજરાત વિદ્યાપીઠના ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગનો સંપર્ક સાધ્યો. તેમણે મેળવેલી માહિતીની વધુ તપાસ જરૂરી હતી. તેથી ૫ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ ગુજરાત વિદ્યાપીઠમાંથી પ્રા. ૨૦ ના મહેતા. ડૉ. પંકજ દેસાઈ તથા ગુજરાત રાજ્યના પુરાતત્ત્વ ખાતાના શ્રી મુનીન્દ્ર જોષી વડનગર કૉલેજના પ્રાધ્યાપક રતિલાલ ભાવસાર તથા બાબુભાઈ પટેલની મંડળીએ આ તપાસ હાથ ધરી. આ તપાસને પરિણામે સમ્મતિય શાખાના સંઘારામની મળેલી માહિતી અત્રે રજૂ કરી છે. અન્વેષણ ઑગસ્ટમાં મળેલી બૌદ્ધ પ્રતિમા પર ચૂનો ચઢાવેલો હતો, તેથી તેની પર કોતરેલા લેખના
SR No.520770
Book TitleSambodhi 1996 Vol 20
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1996
Total Pages220
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy