SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતાકાર : એક અપ્રસિદ્ધ વૈયાકરણ નીલાંજના સુ. શાહ સાયણરચિત “માધવીયા ધાતુવૃત્તિમાં જે અનેક અપ્રસિદ્ધ વૈયાકરણના મત મળે છે તેમાંના સમ્મતાકાર એક છે. તેમણે પાણિનીય ધાતપાઠ પર “સમ્મતા'નામની વ્યાખ્યા લખી જણાય છે, કારણ કે સાયણ, માધા, વૃત્તિમાં તેમના મતે ટાંકતી વખતે, કેટલીક વાર “સમ્મતા'નો કેટલીક વાર તેના કર્તાનો – સમ્મતાકારનો નિર્દેશ કરે છે. પાણિનીય ધાતુપાઠને લગતા હાલ ઉપલબ્ધ, ગ્રંથો જેવા કે ક્ષીરસ્વામી રચિત “ક્ષીરતરંગિણી', મૈત્રેયરચિત “ધાતુપ્રદીપ કે દેવકૃત દેવ' (પુરુષકાર સહિત) વગેરેમાં તેમના નામનો કે તેમના મતનો નિર્દેશ મળતો નથી. તેથી તેમના વિશેની કશી માહિતી આપણને પ્રાપ્ત થતી નથી – તેમના સમય વિશે એટલું જ કહી શકાય કે તેઓ સાયણ પહેલાં એટલે કે ચૌદમી સદી પહેલાં થઈ ગયા છે. યુધિષ્ઠિર મીમાંસકે પણ તેમના હિંદીમાં લખેલા “સંસ્કૃત વ્યાકરણના ઇતિહાસમાં, તેમનો માધા, વૃત્તિમાં મળતા એક મતનો ઉલ્લેખ કરીને તેમને પાણિનીય ધાતુપાઠના એક અપ્રસિદ્ધ વ્યાખ્યાતા તરીકે દર્શાવ્યા છે (ભા. ૨, પૃ. ૧૪૧) સમ્મતાકારના એકત્રીસ મત “માધા, વૃત્તિમાં જે ક્રમે મળે છે તે ક્રમે તેમને અહીં રજૂ કર્યા છે અને ક્ષીરતરંગિણી (૧૧મી સદી) ધાતુપ્રદીપ (૧૨મી સદી), બોપદેવના “કવિકલ્પદ્રુમ' (૧૩મી સદી) વગેરેમાં મળતા જે તે ધાતુઓ વિશેના મત સાથે તેમને સરખાવ્યા છે : - ૧, , હુર્ત, ગુર્ત મુદ્ર ઝીલાયમેવ | ગ્વાદિગણના આ ધાતસૂત્રની વ્યાખ્યામાં સાયણ માધા, વૃત્તિ(૫૦ ૬૧)માં સમ્મતાકારનો મત આપે છે. તે જણાવે છે કે કેટ, પુરષકાર અને મૈત્રેય વગેરે ત્રીજા ધાતુ ગુનો આ સૂત્રમાં પાઠ કરતા નથી, પણ હકીકતમાં કયટ મોડનાને | (૮ ૨૪૮) સૂત્ર પરની પ્રદીપ વ્યાખ્યામાં અને કૃષ્ણ લીલા શુક “પુરુષકાર'(પૃ. ૧૦)માં ચારે ધાતુનો પાઠ કરે છે. તેમણે નોંધ્યા પ્રમાણે મૈત્રેય 'નો પાઠ કરતા નથી (પૃ. ૫). સાયણ એ જણાવે છે કે સમ્મતાકાર મોઘવિસ્તર અને ચાન્દ્ર વૈયાકરણો પૂર્વ, રઘુ અને મુદ્દે – એ ત્રણ ધાતુનો જ પાઠ કરે છે. તેઓ ગુર્વ ધાતુનો આ સૂત્રમાં સમાવેશ કરતા નથી. સાયણ બીજો નિર્દેશ એ કરે છે કે મૈત્રેય-સમ્મતા-મોઘ વિતરાયતું તીર્થમિચ્છનત | આ ધાતુઓનાં રૂપો ઉપધાયાં ૨ | (૮.૨.૭૮) સૂત્રથી દીર્ઘ થાય છે, જેમકે વૃદ્ધત રપૂર્વત વગેરે. આ ધાતુઓના દીર્ઘત્વ વિશે વૈયાકરણોમાં મતભેદ પ્રવર્તે છે. સાયણે ખૂન ધાતુની વ્યાખ્યામાં (પૃ. ૧૦૧) મૈત્રેયનો આ બાબતનો મત ટાંક્યો છે. મૈત્રેયે કહ્યું છે કે ૩૫ધાયાં રૂતિ તીત્વમત્ર વૈશ્વિને ધ્યતે | તન્મતે ઉતે ત . (પૃ. ૫) ક્ષીરસ્વામી પણ કોઈનો આ પ્રકારનો મત નોંધે છે. કેટલાક વૈયાકરણો માને છે કે, ૩પધાયાં ૨ | (પૃ. ૧૯) સૂત્રથી આ ધાતુઓનાં રૂપો દીર્ઘ થવાનાં જ હતાં, છતાં જ્ઞ ધાતુને દીર્ઘ ઉપદેશવાળો કર્યો, તે દર્શાવે છે કે “પધાયાં !' સૂત્રથી થતું દીર્ધત્વ અનિત્ય છે.
SR No.520770
Book TitleSambodhi 1996 Vol 20
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1996
Total Pages220
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy