SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ લાડોલની આરસની જિનપ્રતિમાઓના દસ અભિલેખ લક્ષમણભાઈ ભોજક શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના સંગ્રહમાં લાડોલથી લાવવામાં આવેલ આરસની અભિલેખયુક્ત ૧૦ જિન પ્રતિમાઓના લેખ અહીં પ્રકટ કરવામાં આવી રહ્યા છે. લેખો સંવત (૧) ૩૧૩ (ઇ.સ. (૧) ૨૫૭) થી સં. ૧૩૩૭ (ઇ.સ. ૧૨૮૧) પર્યન્તની મિતી ધરાવે છે. અભિલેખો લાટાપલ્લી-હાલના લાડોલ-ના કાવ્યસહિકા ચૈત્ય અંદર (મોટે ભાગે ભમતી આદિ) માં પ્રતિષ્ઠિત થઈ હશે તેવી જિનમૂર્તિઓના સંબંધમાં છે. આઠ લેખોના પ્રતિષ્ઠિાપક આચાર્ય ચૈત્રવાલ-ગચ્છના શાલિભદ્રસૂરિના શિષ્ય ધર્મચન્દ્ર છે, જયારે બે પ્રતિમાઓ નાણકીય ગચ્છના ધનેશ્વરસૂરિદ્વારા પ્રતિષ્ઠિત થયેલી છે. લેખો સંબદ્ધ મુખ્ય હકીકતો નીચે તાલિકામાં દશવી પછી તેના મૂળ પાઠો સાલવારી અનુસાર પ્રસ્તુત કર્યા છે. ત્રણ લેખોમાં લાડોલનું પ્રાચીન નામ લારાપલ્લી હતું તેનો મહત્ત્વપૂર્ણ ઉલ્લેખ મળે છે; તદુપરાન્ત ત્યાં કાવ્વસહિકા નામનું જિનાલય હતું તેવી પ્રથમ જ વાર ભાળ ચાર લેખો દ્વારા મળે છે. ચૈત્રવાલ, ચૈત્ર (વા ચિત્રવાલક) ગચ્છ સંબંધિ સાહિત્યિક ઉલ્લેખો તો છે, પણ અહીં તેના સંબંધમાં અભિલેખીય પ્રમાણ મળ્યાં હોઈ તે વાત મહત્ત્વની બની રહે છે. પ્રતિમાના કારાપકો મોટે ભાગે ઉકેશવંશના (એટલે કે ઓસવાળ જ્ઞાતિના) છે, માત્ર સં. ૧૩૨૬ (લેખાંક ૫) ના કારાપક પલ્લિકાલ જ્ઞાતિના છે. સં. ૧૩૨૫ (લેખાંક ૪)ના કારાપકરૂપે શ્રેષ્ઠિ કાહૂના પુત્ર જસડનાં પૂનમાલાદિ પુત્રો છે અને તે લેખમાં સ્વકીય દેવગુરુખત્તકનો ઉલ્લેખ જોતાં સંભવ છે કે જે શ્રેષ્ઠિ કાહૂએ આ જિનાલય બંધાવ્યું હોય અને જેમના નામથી મંદિર કાવ્વસહિકા ચૈત્ય કહેવાતું હશે તેનો જ આ પરિવાર જણાય છે. તો પછી મંદિર સં. ૧૩૧૩ (ઇ.સ. ૧૨૫૭) થી લગભગ ત્રણેક દશકા પહેલાં તો બંધાઈ ચૂકયું હોવું ઘટે. આ લેખોથી ગુજરાતમાં વાઘેલાકાલીન અભિલેખોની સૂચિ વૃદ્ધિગત થાય છે. લેખાંક સંવત ગામનું નામ જિનાલયનું નામ પ્રતિમા નામ પ્રતિષ્ઠાપક આચાર્ય ૧ (૧)૩૧૩ લાટાપલ્લી કાવ્વસહિકાચૈત્ય અજિતસ્વામિ ધર્મચન્દ્રસૂરિ ૨ ૧૩૨૦ લાટાપલ્લી કાવ્વસહિકાચૈત્ય બિમ્બખત્તક ચૈત્રગચ્છીય શાલિભદ્રસૂરિ સહિત શિષ્ય શ્રીધર્મચંદ્રસૂરિ ૧૩૨૦ લાટાપલ્લી કાવ્વસહિકાચૈત્ય નેમિનાથ ચૈત્રગચ્છ શાલિભદ્રસૂરિશિષ્ય ખત્તક સહિત . શ્રીધર્મચંદ્રસૂરિ ૧૩૨૫ - સ્વકીય દેવ ગુખત્ત કે શાંતિનાથ ૫ ૧૩૨૬ ૧૩૨૬ - શાંતિનાથ ચૈત્રવાલગચ્છે શાલિભદ્રસૂરિ શિષ્ય ધર્મચંદ્રસૂરિ ૧૩૩૦ - ચૈત્રગથ્વીય સુવ્રતસ્વામિ નાણાકીયગર છે કાÇવસહિકા, ધનેશ્વરસૂરિ ૧૩૩૦ - ચંદ્રપ્રભસ્વામિ ” ૮ ૧૩૩૧ - અજિતસ્વામિ શાલિભદ્રસૂરિ શિષ્ય ધમચંદ્રસૂરિ ૧૩૩૧ આદિનાથ બિંબ ચૈત્રગચ્છ શ્રીધર્મચંદ્રસૂરિ ૧૩૩૭ બિંબ ૧૦ • દરેક લેખના આરંભે કૌંસમાં આપેલ સંદર્ભ લા.દ. સંગ્રહાલયમાંના મૂર્તિક્રમાંક દશાવે છે. - સંપાદક
SR No.520768
Book TitleSambodhi 1993 Vol 18
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages172
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy