SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) મન યાંત્રિક થવા લાગે અને વિચારશક્તિ કુંઠિત થઈ જાય. સંવેદનશીલતા અને ઊર્મિશીલતા ઘટતાં માનવ સંબંધોની કુણાશ, અને ઉમા ના રહે. પરિણામે માનવવ્યવહારો બરછટ બનવા લાગે. (૩) યંત્રની અસર માણસની જીવનદષ્ટિ પણ બદલી નાખે. (૪) યંત્રનું ગુલામ માનસ બની જાય. મશીનના સતત સહવાસથી હૃદયને જીવંત સ્પર્શ ચાલી જતાં હદય કઠોર બની જાય. (૬) જીવનની કાવ્યમયતા કરમાઈ જાય. પ્રતિભાવ : તેમાંથી બચવાના ચાર ઉપાધે રાધાકૃષ્ણન સૂચવે છે : (૧) માહિતીલક્ષી શિક્ષણ સાથે મૂલ્યલક્ષી શિક્ષણને અનુબંધ. (૨) સંવેદનશીલતા જીવંત રાખવા માટે વિજ્ઞાન શિક્ષણની સાથોસાથ સાહિત્ય શિક્ષણની જરૂરિયાત. (૩) મહાકાવ્યોના શિક્ષણ દ્વારા વિષ્ટિનું આપાદન. • (૪) ધ્યાનના શિક્ષણ વડે મનને યાંત્રિક બનતું અટકાવવું. મહાકાવ્યોના શિક્ષણ દ્વારા ગ્રાહ્ય–અગ્રાહ્ય વચ્ચે અને પ્રેય-શ્રેય વચ્ચે વિવેકદષ્ટિ ખીલવી શકાય છે, કારણ કે મહાકાવ્યો વ્યક્તિને જીવન કેવી રીતે જીવવું જોઈએ તેની સૂઝ આપે છે. રેજ થોડીક મિનિટેના નિયમિત ધ્યાનાભ્યાસને પરિણામે ચિત્ત સ્વસ્થ શાંત બનતું જાય છે જેને લઈને વ્યક્તિ પોતાના મનના ઊંડાણમાં અવગાહન કરતાં અને પિતાના મનની યાંત્રિક પ્રતિક્રિયાઓનું અવેલેકન કરતાં શીખે છે. રાધાકૃષ્ણનના 210 Hi : "We must not turn men into mechines, fragment their natures and destroy their wholeness. The best way to preserve intellectual integrity is by the study of classics and meditation for a few minutes. These are our defences against the assaults of mass communication." સમસ્યા : ૪ આપણી યુવા પેઢીને મૂળવિહીનતાને અનુભવ : નિરૂપણ: આપણુ કમનસીબી એ છે કે વર્તમાન યુવાપેઢી પોતાને મૂળવિહીન અનુભવે છે. પ્રતિભાવ : આ અંગે પિતાના વિચારોની સ્પષ્ટતા કરતાં રાધાકૃષ્ણન કહે છે કે, જે પ્રત્યેક યુવક પિતાના રાષ્ટ્રની સંસ્કૃતિ કે સાંસ્કૃતિક પરંપરા સાથે ભાવાત્મક રીતે જોડાયેલું રહે, તે જ તે મૂળવિહીનતાની લાગણીથી બચી શકે. આ સંદર્ભમાં વિદ્યાલયનું વિશ્વવિદ્યાલયોનું એ કર્તવ્ય છે કે, યુવાનોને આપણે સાંસ્કૃતિક ઇતિહાસ તથા મહાકાવ્યના શિક્ષણ દ્વારા આપણું દેશની સાંસ્કૃતિક પરંપરાથી સુપરિચિત કરવા તથા આ પરંપરાના પ્રાણવાન,
SR No.520766
Book TitleSambodhi 1989 Vol 16
Original Sutra AuthorN/A
AuthorRamesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages309
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy