SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ હૈ , છે નારાયણ કંસારા વિરોધી સ્મૃતિઓ પ્રમાણહીન છે, કારણ કે એમાં લેભ, અગવડ અને અશક્તિના માનવીય દથી વાસ્તવિકતા સાથે ચેડાં કરવામાં આવ્યાં છે. મનુસ્મૃતિમાં આવી વાસ્તવિકતાથી વિમુખ તિવિરુદ્ધ સ્મૃતિઓને તગેનિક નિષ્ફળ કુદષ્ટિ તરીકે ઓળખાવી છે. ૧૫ આ દષ્ટિબિંદુ લક્ષમાં રાખી તે ભાષાનું પાયાનું કાર્ય વાસ્તવિકનું દર્શન, નિદર્શન, બેધન અને અભિવ્યક્તિ કરવાનું છે, તેથી તેને માત્ર એક સાધન તરીકે ન મૂલવી શકાય. ભાષાનું આ પ્રજનન સમજીબ તે સાબરભાબમાંની ભાષા અને વાસ્તવિકતા એ બંનેની માનવી અનુભવમાંની અખિલાઈ ઉપર આધારિત ભાપની વિભાવના સમજમાં નહી આવે ભાષા (રા) અને વાસ્તવિકતા ( ૧) એ બંને એક અખિલાઈરૂપે કર્યું છે. શબરસ્વામીને ચર્ચાનો વિષય આ છે, કેમ કે માનવીના અનુભવની કે તેના વિચાર અને વાણીની ઉત્પત્તિ, તેનું ક્ષેત્ર અને તેના લયની અભિવ્યક્તિ ભાષા અને વાસ્તવિકતા એ બંનેની ન તરીકે લેખીને જ થઈ શકે છે. ભાષા દ્વારા અથ બાધમીમાંસા શબરસ્વામીના મતે ભાષા અને વાસ્તવિકતા એ અર્થ બોધમીમાંસાનું હાદ છે. માનવીય અનુભૂતિના એક પાસા તરીકે ભાષા આપણું ખાસ ધ્યાન ખેંચે છે, કારણ કે પ્રત્યક્ષ ઇન્દ્રિયગમ્ય અનુભવ કરતાં ભાષાનું ક્ષેત્ર વધુ વિશાળ છે. ઇન્દ્રિયપ્રત્યક્ષની તે વાસ્તવિકતાના કેવળ - દષ્ટ પરિમાણમાં ગતિ છે, ત્યારે ભાષાની તે વાસ્તવિકતાનાં દષ્ટ અને અદષ્ટ બંને પરિમાણમાં ગતિ છે, તેથી શ મનુષ્યની જિજ્ઞાસા ન ઉત્તેજે ત્યાં સુધી સમગ્ર વાસ્તવિકતા મનુષ્ય સામે આંશિક રૂપે જ પ્રગટ થવાની, ખરું જોતાં ભાષા તે જિજ્ઞાસાને મૂળભૂત પાયે છે, કેમ કે એના ઉપર જ્ઞાતિ અને જ્ઞાતવ્યને સાચે આવાર છે. જ્ઞાતિ અને અજ્ઞાત વચ્ચેના સંઘર્ષ કે તનાવમાંથી જ જિજ્ઞાસા –જાણવાની ઈચ્છા-- ઉદ્દભવે છે. એ સત્યને અર્થાત્ ભાષા અને વાસ્તવિકતાના સાચા સ્વરૂપને જાણવાની ઈછા અને ઉત્સુકતા જ છે. મનુષ્ય સામે વાસ્તવિકતા સ્પષ્ટ ન હોય ત્યારે પદાર્થ પ્રત્યે અનુરાગ અને તેની અધૂરી જાણકારી જિજ્ઞાસા ઊભી કરીને નવી દષ્ટિને જન્મ આપે છે. એમાંથી એક નવું એકીકરણ (integration) ઉદ્દભવે છે, મનુષ્ય ઉચિત અભિગમપૂર્વક બેલે અને રાંભળે તે જ આ એકીકરણ શક બને છે. ભાષા માટે આ જરૂરી છે. ભાષાને સમજવી એટલે સભાન રીતે તેના પ્રભાવને વશ થવું તે જ રામજ કાર્યાન્વિત બને છે, ભાષા અને વાસ્તવિકતા બંને મળીને એક જ ઘટકરૂપે પ્રતીત થાય તે જ એ સમજ યથાર્થ ઠરે, ભાષા સ્વાભાવિક રીતે જ પિતાની અંદર વાસ્તવિકતાનું નિદર્શન કરે છે, કેમ કે ભાષા અને વારાવિકતા વચ્ચેનો રસંબંધ સ્વરૂપગત છે, નહીં કે આગંતુક, તેથી ભાષા એ અર્થબોધશાસ્ત્ર માટેની દીવાદાંડી છે, ભાષાથી અલગ રીતે કોઈ અધધમીમાંસા સંભવિત નથી, શ્રવણના અને વચનના આ ઉચિત અભિગ પૂર્વક ભાષાના પ્રભાવને સભાન રીતે વશ વર્તવું, આ મથે પ્રક્રિયા મારફ્ત થાય છે, શા મારફત આ રીતે પદાર્થના મૂળભૂત સ્વભાવને પકડીને ભાષામાં રજુ કરવો એને જ અથધશાસ્ત્રીય દષ્ટિ કહીશુ. આ દષ્ટિએ જોતાં જણાય છે કે ભાષા વાસ્તવિકતાને રજૂ કરતી વેળાએ તેના મૂળ સ્વભાવથી તે વાસ્તવિકતાને નથી કર્મરૂપ આપતી કે નથી કસ્તૂરૂષ આપતી. શબરવામી આ દષ્ટિબિંદુ અપનાવીને એમ
SR No.520763
Book TitleSambodhi 1984 Vol 13 and 14
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ramesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages318
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy