SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ હૈ. નારાયણ કંસારા કે વૈદિક અને લૌકિક એવા ભેદ શબ્દની બાબતમાં નથી અને એને લીધે વૈદિક અને લૌકિક એવી બે ભિન્ન ભાષાઓ હોવાનું કહેવું એ બરાબર નથી. એ જ રીતે વૈદિક અર્થો કે પદાર્થો અને લૌકિક અર્થ કે પદાર્થ એવા ભેદ પણ પાડવા શકય નથી. વેદમાંને શબ્દ અંગે એવું કેઈ વધારાનું લક્ષણ નથી. તેથી પ્રથમ દૃષ્ટિએ તે એમ જ લાગે છે કે વૈદિક વિધાન અને લૌકિક વિધાન વચ્ચે શબ્દની દષ્ટિએ કે મહાને ભેદ ન હોઈ શકે. છતાં વેદ અને સ્મૃતિ વચ્ચે ખૂબ મોટો ભેદ રહે છે. શબરસ્વામી તે અર્થપૂર્ણ વિધાનના સંદર્ભમાં જ કહે છે કે વૈદિક અને લૌકિક શબ્દ વચ્ચે કેઈ ભેદ નથી એ વિધાન અર્થપૂર્ણ હોઈ શકે, પણ પ્રામાણિક જ હોય તેવું ન પણ બને. અર્થ બેધક ભાષા . ' શબરસ્વામી કહે છે કે પોતે પિતતાને પદ-અર્થ કહીને કામ કરતા અટકી જાય છે. ત્યાર બાદ, પદના અર્થો સમજાઈ જતાં, વાકયના અર્થને બંધ કરાવે છે. આ રીતે શબ્દ પતે એક જ અથને બધ કરાવતા હોઈ શબરવામીના મતે વૈદિક કે લૌકિક એ બંને પ્રકારનાં વિધાને અથયુક્ત હોય છે. આની સ્પરતા કરતાં શબરસ્વામી કહે છે કે જેમાં ધેળા’ કે ‘કાળે” એમ ગુણની પ્રતીતિ થાય છે ત્યાં એ શબ્દ ગુણવાળો અર્થ દર્શાવવા સમર્થ બને છે. તેથી ગુણવાળાની બાબતમાં અર્થ થાય એવું ઈચ્છનારા કેવળ ગુણવાચક શબ્દ ઉચ્ચારે છે. એમને ઇરિત અભિપ્રાય સફળ થશે. વિશિષ્ટ અને બેધ એ જ. વાકયને અર્થ છે.૮૪ આ ઉપરથી એમ ફલિત થાય છે કે, શબ્દને અલગ સ્પષ્ટ પ્રતીત ન થ હોય કે વાક્યને પદાર્થ તેમાંના વિશેષણયુક્ત અને વિશેષણવાચક શબ્દ કરતાં જુદો હોય તે વાક્યને પદાર્થની પ્રતીતિ થવી શક નથી. પછી શબરસ્વામી કહે છે કે જે વ્યકિત પદનું ઉચ્ચારણ કર્યા વિના પણ શુકલતા -- ધળાપણું–ઓળખી શકે છે તે ધેળા ગુણવાળા પદાર્થને પણ ઓળખે છે જ. તેથી પદાર્થની ઓળખ થવાથી વાક્યને અર્થ સમજાય છે; એને પદને સમુદાય સાથે સંબંધ નથી.૬૫ આ રીતે જ્યાં કેવળ પદાથને પ્રવેગ પણ સમાજના હોય છે કે અનર્થક હેતે નથી ત્યાં વાકથા સામાન્ય શ્રવણ થતાવેંત જ સમજાઈ જાય છે. આ વાત સ્વીકારીએ તે “બીજા ગુણને નિષેધ એ શબ્દાર્થ નથી ' એ દોષ પણ દૂર થઈ જશે. અહીં શબરસ્વામીએ “શબ્દ” શબ્દ “પદને અર્થમાં પ્રયા છે, પરંતુ શાબરભાવ્યમાં એકંદરે જોતાં તેમણે ‘પદ’ ઉપર બહુ લક્ષ ન આપતાં વાક્યાથના સંદર્ભમાં જ “શબ્દના મહત્ત્વને વિચાર કર્યો છે. શબ્દો કેઈ એક વસ્તુને અનુલક્ષીને સાર્થક એકમનું અભિધાન સ્વ-અર્થની સાથે સાંકળીને કરે ત્યારે જ તે વાક્ય ' બને છે. વધુ અને વાક્યા વચ્ચે સંબંધ માવનાને લીધે છે, આના અનુસંધાનમાં બિયા કહે છે કે, “ What is always important is that akşi is never kaown alone, but is always known with the individual or te individulas, that structures it. ...One could say, taken separately that, the word denotes all the individuals of the same aksti (i.e. consequently of the same class ), 'while the sentence has to limit its intrinsic value (portee).૮૬
SR No.520763
Book TitleSambodhi 1984 Vol 13 and 14
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ramesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages318
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy