SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ શાબરભાષ્યગત ભાષાવિચાર સાદડીની માફક રચવામાં આવેલ નથી. આ ચર્ચામાં શબ્દના મૂળભૂત ગુણધર્મ અને સ્વભાવને સંદર્ભ અભિપ્રેત છે. આના આધારે શબ્દને “નિત્ય સિદ્ધ કર્યો છે. છતાં, ઉપર જોયું તેમ - ખાસ યાદ રાખવાનું છે કે શખદને પ્રવેગ કાયમી અને સાતત્ય ધરાવે છે એ અર્થમાં તે . નિત્ય” છે, નહીં કે ત્રિકલાબાધિત ટિસ્થ નિત્ય, શબ્દનું આવું કુટસ્થ નિત્ય” સ્વચ્છ હોવાનું સિદ્ધ કરવાને પુરુષાર્થ ઉ રિલીન મીમાંસક કુમાલિ ભટ્ટ (ઈ.સ. ૬ર૦-૬૮૦) અપરિવર્તનીય વર્ણોના સંદર્ભમાં આદર્યો. બાકી શબ્દના અકયમાં કોઈ પરિવર્તન આવ્યું નથી કે આવતું નથી એ સંદર્ભમાં થયેલી શનિયંત્વની ચર્ચા ઉપરથી આવી સ્થનિયતા નથી ફલિત થતી કે નથી સિદ્ધ થતી. શબરસ્વામીએ કરેલી ‘શઃ '-ચર્ચા ઉપરથી ભાષાને પ્રયોગ અને અર્થ પ્રતીતિ વચ્ચેને પારસ્પરિક સંબંધ અત્યંત પટ થયો છે. આ અંગે શબરસ્વામીનાં નીચેના મંતવ્યો ખૂબ મહત્ત્વપૂર્ણ છે ? (૧) શબ્દ ઔપપત્તિક છે. અર્થાત્ અર્થ સાથે આંતરિક સહજ સંબંધ ધરાવે છે; (૨) શબ્દ નિત્ય છે. અર્થાત સ્વરૂપથી કાયમ રહે છે અને પ્રયોગમાં સ્થિરતા ધરાવે છે; (૩) શબ્દ અપૌરુષેય છે અર્થાત કોઈ મનુષ્ય એની રચના કરી નથી. શ દનું એકરૂપ્ય અને નિરવયવ તેની એના એ જ તરીકેની ઓળખમાં કારણભૂત છે અને આ બે ગુણધર્મો તેના ઉપરોક્ત ત્રિવિધ સ્વરૂપનું સમર્થન કરે છે. એ ત્રિવિધ રસરૂપનું પ્રતિપાદન શબ્દને અવિચ્છિન્ન પારંપાયના સંદર્ભમાં થયું છે, આ અર્થમાં શબ્દ વય સિદ્ધ કે સ્વયંભૂ છે પદાથ પ્રતીતિ સહચારી છે અને અનુભવગમ્ય કે ઈન્દ્રિયગ્રાહ્ય હોવાથી શ્રુતિથી વિરુદ્ધ નથી, . : શબરવાળીની “શદ ” અગેની આ વિભાવના મીમાંસાના મૂળભૂત પ્રયોજા- નિ: શ્રેય અને અન્યૂયાત્મક ધમ અંગેની જિતાસામાં કમ પ્રતિપાદક વચન જે તેને મૂળભૂત આધાર-- સાથે સુસંગત છે, કેમ કે શબરવામીનું એમાં શબ્દની ટનિત્યતા કરતાં વેદમાં થઇ દામાણ સિદ્ધ કરવાનું પ્રધાને લય છે. શબરસ્વામીએ વંદનું સર્વોપરી પ્રામાણ્ય પણ શબ્દની અથ પ્રતિપાદનને સંદર્ભમાં આપષત્તિકતા, નિત્યતા, અપીયતાના આધારે જ સિદ્ધ કર્યું છે. શબ્દનું મહત્ત્વ એ શબ્દ અને તેનાથી અભિહિત પદાર્થ વચ્ચેનું શુદ્ધ અને વાસ્તવિક સામંજસ્ય દર્શાવવામાં જ છે. શબ્દ ઓપનિક, નિત્ય અૌષ, એકરૂપ અને નિરવયવ હોય તે જ આ સગિક સામંતર સચવાઈ રહે અને તે કયાંય ર ન બને. ' . વૈદિક અને લૌકિક શબદ શબરસ્વામી વિવેદ, અદષ્ટને જ્ઞાન માટે એકમાત્ર વિશ્વસનીય પ્રમાણરૂપે રવીકારે છે. અદષ્ટમાં ધર્મ, વૈદિક કર્મો અને તેમનાં ફળની પ્રાપ્તિ–આ ત્રણ પાસાને સમાવેશ થાય છે. આ કારણે શબરરમીએ વૈદિક વિધિ તથા લોકિક વિધાન અને શદ તથા વેદ તરફ ખાસ લક્ષ આપ્યું છે. “શબ્દ” અંગે તે તે સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે જે લૌકિક શબ્દ છે, તે જ વૈદિક શબ્દો છે. એમના અર્થો પણ એના એ જ છે. આ રીતે હોય તો જે પ્રગવિધિ સંભવી શકે. જે તે જ શબ્દ અને તે જ અર્થે હોય તે જ. નહિ તર તે શબ્દ જુ હેવાથી અર્થની પ્રતીતિ ન થાય. માટે એક જ શબ્દ છે એમ માનવું જોઈએ, ૨ તાપ
SR No.520763
Book TitleSambodhi 1984 Vol 13 and 14
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ramesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages318
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy