SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ શાકભાષ્યગત ભાષાવિચાર સમાવેશ થાય છે. આ બંનેનું હાર્દ છે –“અલંબન” અર્થાત્ “આધારભૂત પદાય. આ સંદર્ભમાં “શબ્દ”નું મહત્ત્વ નાભિથાનીય છે, કારણ કે અંતે તે શબ્દ જ સર્વ અનુભવને આકાર અને ઘાટ આપી. તેની સાથે સંકળાયેલ સવ વસ્તુઓને વાચા આપે છે. માનવીના અનભવ અને તેને અભિવ્યક્ત કરવાની માનવીની પ્રવૃત્તિના વિકાસ માટે આ શની વિભાવના ચાવીરૂપ છે. - શખસ્વામી કહે છે કે લેકવ્યવહારમાં કમ અર્થ-વસ્તુને અનુલક્ષીને થાય છે, નહીં કે શબ્દને અનુલક્ષીને. જેવું અથવસ્તુ હોય તે રીતે કામ કરવામાં આવે છે, રાખ્યા હોય તે અનુસાર નહીં', વેદમાં તે શબ્દને અનુસરીને જે અર્થ-વસ્તુ સમજવામાં આવે છે, અને એ પ્રમાણે જ આચરણ કરવાનું હોય છે. તેથી શબ્દની હયાતી હોય તે અનુસાર કર્મ કરવું જોઈએ. અહીં શરિરવાની અથ–વસ્તુનું અને માનવીની અનુભૂતિ સાથે રબ્દની પ્રસ્તુતતાનું મહત્ત્વ પ્રગટ કરે છે, શબરસ્વામીના ભાષ્યમાં ૩૫ર્થ’ શબ્દ સામાન્યતઃ પદાર્થ', ‘વસ્તુ, ‘ઉદ્દેશ”, “પ્રજન', રાષ્નાથ”, “ભાવાર્થ' વગેરે અર્થોમાં પ્રવેશે છે, છતાં તે મોટે ભાગે યજ્ઞ માટે જોઈતા ‘પદાર્થ કે વસ્તુના અર્થમાં વધુ પ્રમાણમાં પ્રજા છે. શબરને મત એ છે કે પદાર્થ કે વસ્તુઓ સ્પષ્ટ રીતે સૂચિત કરી શકાય કે વણવી રાકય તેવાં હાવા જો એ, પ્રત્યેક બાહ્ય પદાર્થ કે વસ્તુને અમુક આકાર હોય છે અને તે બાઘુ આકાશે સાથે સીધા સંપર્કમાં રહેલ દેખાય છે. તેથી પ્રત્યક્ષ બુદ્ધિને વિષય ‘અર્થ છે, નહીં કે બીજી બુદ્ધિ, આ ઉપથી ફલિત થાય છે કે આકાર વગર વસ્તુનું વાસ્તવિક આકલન થઈ શકતું નથી. આ રીતિ શારસ્વામીએ પદાર્થને આકાર અને ઘડતરની ઇન્દ્રિ દ્વારા ગ્રહણરૂપ પ્રત્યક્ષ પ્રમાણે ઉપર ભાર મૂકયો છે. ‘મ ાર' શબ્દના સંસ્કૃતમાં “રૂપ’, ‘ઘાટ', 'આકાર', લંબાઈ-પહોળાઈ જાડાઈ', દેખાવ' એ અર્થો પ્રચલિત છે. ઈન્દ્રિયોને પન્નાથને આ પાસાનું જ સીધું ગ્રહણ થાય છે. આને આધારે જ વસ્તુ સાચી અને ઇન્દ્રિયપ્રયંકા ગણાય છે. જે વસ્તુ કે પદ્યાર્થ ઇન્દ્રિયપ્રત્યક્ષને વિષય ન બની શકે તે ઈન્દ્રિયપ્રત્યક્ષ કે આવી વસ્તુને સાચા જ્ઞાનની ખાતરી ન કરાવી શકે. તેથી ઇન્દ્રિયપ્રત્યક્ષને વિષય બની શકે તે પદાર્થ કે વસ્તુનું જ અનુભૂતિજન્ય વાસ્તવિક જ્ઞાન થઈ શકે. પદાર્થો કાંઈ નિન્ય હેતા નથી, અર્થાત્ તેમને આરંભ થાય છે, તેઓની હયાતી ટકે છે અને તેઓને અંત આવે છે. પરંતુ આ પદાર્થો કે વસ્તુઓ નિત્ય આમાના સંપર્કમાં હોય છે. વસ્તુને જાણવાને એક જ ઉપાય અનુભવ પર આધારિત છે કે, 'દરેક વસ્તુ જેવી અનુભવાય છે, તેવી છે. આત્માને લીધે પુરમ ચેતન છે અને માનવદેહ એ આત્મા અને " અથવચ્ચેની કડી છે. આત્મા અને અથ' 'વિને કઈ જ્ઞાન સંભાતું નથી, તેથી જ્ઞાન યથાર્થ હોવા માટે મનુષ્યને પ્રાપ્ત થવું જોઈએ. અર્થ અને પુરુષ આત્મા સાથે એક પામે ત્યારે જ એ ઉદ્દભવે છે. આ રીતે સન -તત્ત્વનાં બે પરિમાણે મનુષ્યમાં એકાગ્ર થયેલાં છે : એમાં નિત્ય (= કાયમી કે ત્રિકાલાબાધિન) અને ‘ ય’ (= પુરુષ કે દેવ દ્વારા ઉત્પન્ન કરવામાં ન આવેલું) એ એક અદષ્ટ) પરિમાણ અને અનિત્ય છતાં સ્થિર પદાર્થ (દષ્ટ) એ બીજું પરિમાણ છે. અનિત્ય પદાર્થો ‘દષ્ટ હોવાથી અદષ્ટ' નિત્યને અને 'અપીમેય’ સંપર્કમાં આવે - છે. અદ અને દેટ બંને મળીને એક વાસ્તવિકતા છે, સત-તત્વ છે, છતાં એ બે એકબીમાં ભળી જતા નથી. જ્ઞાનના અનુપગે આ સતતવનાં આ બે પાસાં એકબીજાથી અવિભાજ્ય
SR No.520763
Book TitleSambodhi 1984 Vol 13 and 14
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ramesh S Betai, Yajneshwar S Shastri
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages318
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy