SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્દમનક્નિકૃત આનદની પ્રાપ્તિ સ ભવે (૧૮). આ કક્ષાએ પહોંચેલે માનવ પિતે પરમ તિ હોવાને અનુભવ કરે (૧૯). અપાર અંતર હોવા છતાં માનવ પ્રભુ સમક્ષ જાય છે અને પ્રભુ તેને નિરાશ નથી જ કરતા (૨૦). જડ જગત, તેના સંબંધે, દેહ અને તેનાં લક્ષણો આત્માને કાંઈ કરી શકતાં નથી (૨૧). સતત સંતૃતતા અને જાગ્રતનાથી જ ઉન્નતિ સંભવે. આત્મપ્રતિ સવસમર્પણના ભાવમાં જ સાચું સુખ છે (૨૨), માનવચેતના પ્રભુ થાય, તે તે જિનેશ્વરની જ કુપા ગણાય માનવે આત્મા સામે જિનેશ એ પરમાત્મા છે (૨૩). બંધનાત્મક એવા જગતના સ બંધ તેજી પ્રભુપરાયણ થવામાં જ સાચુ સુખ છે (૨૪) . સ સારનાં સર્વ આકણો અનર્તા છે. આ બન્ધન વિવેકરૂપી ખગથી જ તૂટે છે (૨૫). સ સારમાં રાગ પાદિ અને કમથી પ્રેરી દુ:ખપરમ્પરા છે એ સમજીને પૂરા પ્રયત્નપૂર્વક વિદ્વાને તેને ત્યાગ કરે (૨૬). શુદ્ધ આત્માને સાધક પામે અને આનન્દના અમૃતરૂપ સાગરમાં નિમન થાય, તે મોક્ષ સાથે એકતા અને સાચું સુખ તેને મળે (૨૭). પ્રભુચરણની કૃપા વાછતા માનવને પ્રભુ જ સંસારરૂપી શત્રુથી બચાવે. આથી માનવે સતત પ્રભુપરાયણ બનવું જરૂરી છે (૨૮). દૈત એટલે સંસાર, અત એ જ અમૃત. આથી માનવ અદ્વૈતની સિદ્ધિને અથે જિનનું, પ્રભુનું અલખન લે (૨૯). પુષ્યને યોગે પ્રભુમાં ભક્તિ દઢ થાય, તો સ સારસાગર તરી શકાય (૩૦). માનવ પ્રભુને પ્રાર્થો અને વાંછે કે સમ્યફ દર્શનથી સિદ્ધ પદવી (૩૧), પ્રભુકૃપા અને કેવલ્ય પ્રાપ્ત થયા પછી ત્રિલેકનું રાજ્ય પણ રસ જન્માવતુ નથી (૩૨), આમ, અતિ અગત્યની એ વાત છે કે જીવનમાં પ્રભુબતા, ખાંડાની ધાર જેવો. તીક્ષણ માગ અનુસરવે કડણ લાગે ત્યારે જિનેશ્વર પ્રત્યેની ભક્તિ એ જ સાચે ઉર્ષને ભાગ છે. આ ભક્તિ આત્માને નવું બળ, નવી શ્રદ્ધા, નવો વિશ્વાસ આપે છે. તેત્રીસ કોના આ ભક્તિકાવ્યમાં જે વિચારે, ભાવનાઓ અને દશનને કવિ વાચા - આપે છે તેને સાર શુદ્ધ તાત્ત્વિક દષ્ટવા આપણે કરીએ. માનવને માટે, તે સાધક બનવાને નિર્ણય કરે, બને, તે પછી પણ સંસાર અત્યન્ત તાપકર, બન્ધનાત્મક, મોહમાં નિમગ્ન કરનાર હોય છે. મોક્ષની પ્રાપ્તિ એ સાધકના અને તેની પાછળ સર્વ માનવના જીવનનું અન્તિમ લક્ષ્ય છે, સૌ માનવ “ આત્મકામ ” છે. આ આમકામના, એટલે કે આત્મદર્શનની સિદ્ધિને માટે પ્રથમ પગલું છે તે સારને સર્વાગીણ પરિત્યાગ. આ પરિત્યાગને માટે જિનેશ ભગવાને સાધકની ઉફર્વમાગી ગતિને જે કમિક માગ દેરી આપે છે. તેનાં પગલાં આ છે-નિ:સંગd, અરાગિતા, સમતા, કમક્ષય, આત્મબેધ, મેક્ષ. આ નિયન માગે સાધક ગતિ કરી શકે કે તે તેને પરમ ઉલ્કા તે નિભીક રીતે સાધી શકે. પરંતુ સાધકને ધીરજ ન હોય તો ? આ અતિ કઠણ માગે ગતિ કરવાની તેનામાં પૂરી હિંમત ન હોય તે ? તેનામાં આત્મવિશ્વાસ ન જાગ્યો હોય તે ? જવાબ સ્પષ્ટ છે કે મોક્ષને એટલે કે આત્મસ્થાન અને આત્માના સમ્યફ દશનને જીવનના અંતિમ લક્ષ્ય તરીકે સ્વીકારી, તેની સાધના માટે તે જિનેશ્વર પ્રભુ પ્રતિ નમ્ર બને, પ્રભુને શરણાથી થાય, પ્રભુભક્તિમાં રત થાય, પ્રભુને માગે ગતિ કરવા કટિબદ્ધ થાય, ભક્તિ, સર્વસમર્પણભાવ,
SR No.520762
Book TitleSambodhi 1983 Vol 12
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1983
Total Pages326
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy