________________
તરંગલેલા
૨૦૫ નિર્વાણ પહોંચવાને આતુર બનેલી એવી હું તેના પગમાં પડી. (૧૬૧૫). મનથી દરેક વિષયનું સ્પષ્ટ ગ્રહણ કરતી એવી તે પ્રશસ્ત શ્રમણીએ મને આશિષ દીધી, “આ ઉત્તમ, પણ કઠિન આચરણવાળા શ્રમણજીવનને તું સફળતાથી પાર કર. (૧૬૧૬). અમે તો કેવળ તારા ધર્મમાર્ગના ઉપદેશક છીએ. તું જે તે પ્રમાણે આચરીશ, તે મોક્ષમાર્ગે લઈ જનારું કલથાણ તું પામીશ.” (૧૬૧૭). એટલે મેં તે પ્રશસ્ત શ્રમણને કહ્યું, “જન્મમરણ પરંપરાના કારણરૂપ સંસારવાસથી હું ભયભીત બનેલી હેવાથી તમારું કહ્યું અવશ્ય કરીશ. (૧૬૧૮).
ગણિનીની સાથે નગરવેશ શાસ્રાધ્યયન અને તપશ્ચર્યા
તે પછી ઉત્તમ તપ અને સંયમથી સમૃદ્ધ, પ્રજવલિત અગ્નિ સમા તેજસ્વી, અને તપ અને સંયમના માર્ગદર્શક તે શ્રમણને વિનયથી સંકુચિત બનીને મે વંદન કર્યો, (૧૯૧૯). તે પછી કામવૃત્તિથી મુકત બનેલા તે સાર્થવાહપુત્રને વંદન કરીને મેં શ્રમણીની સાથે નગરીમાં પ્રવેશ કર્યો. (૧૬૨૦). ત્યાં તે આર્યાની સાથે હું વિહરવાયોગ્ય અનેક અચિત્ત પ્રદેશવાળા અને સ્ત્રીઓને હરફર કરવા માટે અનુકૂળ એવા કેકાગારમાં અનાસકતપણે ગઈ. (૧૬ર૧). તે વેળા તેજોમંડળ વિલાતાં સુવર્ણના ગોળા સામે બનેલે, ગગનતિલક સૂર્ય પશ્ચિમ સંધ્યાએ પહોંચ્યો. (૧૯૨૨)તે સ્થળે ગણિનીની સાથે મેં આલોચન, પ્રતિક્રમણ અને દુષ્ઠ નિંદા કર્યા ધર્માનુરાગથી રંગાયેલી હેઈને મને રાત્રી કયારે વીતી ગઈ તેની ખબર પણ ન પડી. (૧૬૨૩) બીજે દિવસે તે શ્રમણની સાથે સાર્થવાહપુત્ર ધરતી પર અરિથર રહેઠાણમાં વાસ કરતા ત્યાંથી વિહાર કરી ગયો. (૧૯૨૪). હે ગૃહસ્વામિની ! તે ગણિનીની પાસેથી મેં બંને પ્રકારનું શિક્ષણ લીધું. તપશ્ચર્યા અને અનુષ્ઠાનમાં નિરત બનીને હું વૈરાગ્યભાવ પામી. (૧૬૨૫). વિહારવિધિ પ્રમાણે વિહાર કરતાં અમે અહીં આવી પહોંચ્યાં, અને આજે છઠનું પારણું કરવા હું ભિક્ષાએ નીકળી. (૧૬૨૬).
વૃત્તાંતની સમાપ્તિ : શ્રોતાઓને વૈરાગ્યભાવ
તમે મને પૂછયું એટલે આ પ્રમાણે જે કાંઈ સુખદુઃખની પરંપરા મેં આ લેક અને પરલેકમાં અનુભવી તે બધી મેં કહી બતાવી. (૧૬૨૭).
એ પ્રમાણે તે તરંગવતી શ્રમણીએ પોતાનું વૃત્તાંત કહ્યું એટલે તે ગૃહસ્વામિની વિચારવા લાગી, “અહો, કેવું કઠિન કાર્ય આણે કર્યું ! (૧૬૨૮). આવી તરુણ વયમાં, એવું દેહસુખ અને એ પૈભવ હોવા છતાં આવું દુષ્કર તપ કરી રહી છે .” (૧૬૨૯). પછી તે શેઠાણીએ કહ્યું, “હે ભગવતી ! તમે પિતાનું ચરિત કહીને અમારા પર ભારે અનુગ્રહ કર્યો. તમને કષ્ટ આપ્યા બદલ ક્ષમા કરો. (૧૬ ૩૦). એ પ્રમાણે કહીને દુસ્તર ભવસાગરથી ભયભીત