________________
તરંગલોલા
૧૮
નિરીક્ષણ કરવા છતાં પણ અહીં મને ભવનોનો સમૂહ દેખાતો નથી (૨) વળી આ પહેલાં આ ઉદ્યાન કદી મારા જેવામાં નથી આવ્યું.” (૧૪૯૬). એટલે હું અભ્યાગત છું એમ જાણીને એ સ્થળના જાણકાર એક જણે મને કહ્યું, “આ ઉદ્યાનનું નામ શકટમુખ છે. (૧૪૯૭). કહેવાય છે કે ઈવાકુ વંશનો રાજવૃષભ, વૃષભ સમી લલિત ગતિવાળો વૃષભદેવ ભારતવર્ષમાં પ્રવીપતિ હતો (?). (૧૪૯૮) તે હિમવંત વર્ષના ધણુએ, મંડલ રૂપી વલયવાળી, ગુણેથી સમૃદ્ધ અને સાગરે રૂ પી કટિમેખલા ધરતી પૃથ્વી રૂપી મહિલાને ત્યાગ કરીને, ગર્ભવાસ અને પુનર્જન્મથી ભયભીત થઈને, ફરી જન્મ ન લેવું પડે તે માટે તેણે ઉઘત બનીને અસામાન્ય, પૂર્ણ અને અનુત્તર પદ પ્રાપ્ત કરવાની કામના કરી. (૧૪૯૯-૧૫૦૦). તે પછી કહેવાય છે કે સુર અને અસુરથી પૂજિત એવા તેમને, તેઓ અહીં વડની નીચે બેઠેલા હતા ત્યારે, ઉત્તમ અને અનંત જ્ઞાન તથા દર્શન ઉત્પન્ન થયાં. (૧૦૧). એટલે તે લોકનાથને આજે પણ આ રીતે મહિમા કરાય છે અને ભવને ક્ષય કરનાર એવા તેમની આ દેવળમાં પ્રતિમા સ્થાપેલી છે. (૧૫૦૨).
શ્રમણનાં દર્શન : પ્રવજ્યા લેવાની ઈચછા
એ પ્રમાણે સાંભળીને મેં ત્યાં વડને અને પ્રતિભાને વંદન કર્યા. ત્યાં બાજુમાં જ મેં ઉત્તમ ગુણેના નિધિરૂપ એક શ્રમણને જોયા. (૧૫૦૩). ચિત્તમાં પાંચેય ઇન્દ્રિો સ્થાપીને તે સ્વસ્થપણે શત ભાવે બેઠા હતા અને આધ્યાત્મિક ધ્યાનમાં અને સંવરમાં તેમણે ચિત્તને એકાગ્રપણે નિરોધ કરેલ હતો. (૧૫૦૪). તે નિષ્પાપ હૃદયવાળા શ્રમણ પાસે જઈને મેં તેમનાં ચરણ પકડ્યાં અને સંવેગથી હસતા મુખે, હાથ જોડીને હું બેલ્યો. (૧૫૦૫). “હે મહાયશસ્વી, માન અને ક્રોધથી મુક્ત થયેલે, હિરણ્ય અને સુવર્ણથી રહિત બનેલે, પાપકર્મના આરંભથી નિવૃત્ત એ હું તમારી શુશ્રુષા કરનાર શિષ્ય બનવા ઇચ્છું છું. (૧૫૬). જન્મમરણરૂપાં વમળાવાળા, વધબંધન અને રોગ રૂપી મગરોથી ઘેરાયેલા સંસારરૂપી મહાસાગરને તમારી નૌકાને આધારે તરી જવા ઇચ્છું છું. (૧૫૦૭). ...ને રેકીને તેણે કાન અને મનને શાતા આપતાં વચનો કહ્યાં, “શ્રમણના ગુણધર્મ જીવનના અંત સુધી જાળવવા દુષ્કર છે. (૧૫૦૮). રકંધ ઉપર કે શીશ ઉપર ભાર વહે સહેલું છે. પણ શીલનો સતત ભાર વહેવો દુષ્કર છે.” (૧૫૦૯). એટલે મેં તેમને ફરી કહ્યું, “નિશ્ચય કરનાર પુરુષને માટે કશું પશુ ધર્મના કે કામને વિષયમાં કરવાનું દુષ્કર નથી. (૧૫૧).