________________
૧૮૫
તરંગલેલા સંતપ્ત એવી હું પણ સાંજની વેળાએ મારા પ્રિયતમને ઘરે પહોંચી. (૧૪૬ ૬). તે પછી વડીલના ડરે અમે બંને હોડીમાં બેસી નાસી ગયાં. ગંગાના વિશાળ તટ પર અમને ચોરોએ પકડય. (૧૪૬૭).
થાધને પૂર્વભવનું સ્મરણ
આ પ્રમાણે તે રમણીએ રડતાં રડતાં પોતાનાં આગલા સર્વ સુખદુઃખની ઘટમાળ યથાક્રમે, વિગત એ બંદિનીઓને કહી બતાવી. (૧૪૬૮). બંદિનીઓને રડતાં રડતાં આ પ્રમાણે તેણે પિતાને જે વૃત્તાંત કહ્યો તેથી મને મારા પૂર્વજન્મ સાંભરી આવ્યો અને એક ઘડી મને મૂછ આવી ગઈ. (૧૪૬૯). ભાનમાં આવતાં મને મારા પૂર્વજન્મનાં માબાપ, પત્ની, કુળધર્મ અને ચરિત્ર યાદ આવ્યાં. (૧૪૭૦). સંભારાતા સ્વપ્ન જેવો તેનો વૃત્તાંત સાંભળીને મારું હૃદય વાત્સલ્ય અને કરુણાના ભાવથી કમળ બની ગયું. (૧૪૭૧). હું મનમાં વિચારવા લાગે, “ગંગા નદીના આભરણરૂપ આ તે જ ચક્રવાકયુગલ છે જેને મેં અજાણતાં વધ કરેલો. (૧૪૭૨). કામગના રસના જાણીતા એવા મારા વડે, આ કામતૃષ્ણવાળા અને મહામુશ્કેલીઓ સંગમ પામેલા યુગલને ફરી પાછું હણવું એ યોગ્ય નથી. (૧૪૭૩). તે પછી મારા જીવિતને ભોગે પણ મારા પૂર્વના પાપને પ્રતિકાર ભલે થતો, હું તેમને જીવિતદાન દઈશ અને પછી પહેલેકની ચિંતા કરીશ. (૧૪૭૪).
તરુણ દંપતીને જીવિતદાન અને તેમની મુકિત
એ પ્રમાણે સંકલ્પ કરીને, તેમને સહાય કરવા હું કુટીરમાંથી બહાર નીકળ્યો, અને પેલા તરુણનાં બંધન ઢીલાં કર્યાં. (૧૪૭૫). પછી બખતર સજી, વેશ ધારણ કરી, છરી બાંધી, વસુનંદ અને તલવાર લઈને હું રાતની વેળા ગુપ્તપણે તેને તેની પત્ની સહિત પલ્લીમાંથી બહાર લઈ ગયે, અને અત્યંત ભયંકર અટવીમાંથી તેમને પાર ઉતાર્યા. (૧૪૭૬-૭૭). જંગલની બહાર ગામની પાસેની ધરતી સુધી તેમને પહોંચાડીને હું સંસારથી વિરક્ત બનીને મનમાં વિચારવા લાગ્યો. (૧૪૭૮), “આ અપરાધ કરીને ચોરપલ્લીમાં પાછું જવું અને જમદૂત જેવા સેનાપતિનું મોટું જેવું એ મારે માટે યોગ્ય નથી. (૧૪૭૯). ઈટ સુખના મૃત્યુ સમા લોભથી મેં જે પુષ્કળ પાપ કર્યા છે, તેમાંથી છોડાવનાર મોક્ષમાગ અનુસરો એ જ હવે મારે માટે યોગ્ય છે. (૧૪૮૦). સુખ મેળવવાના પ્રયાસમાં જે રાગમૂઢ માણસ બીજાને દુઃખ દે છે તે મૂર્ખતાથી પોતાના માટે જ ઘણું દુ:ખ સરજે છે. (૧૪૮૧).