SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ આ એક નાટક છે. આમાં પાંચ અંક છે. આ ગ્રન્થની એક માત્ર નકલ જેસલમેરના જ્ઞાનભંડારમાં સચવાયેલી છે. એ તાડપત્રની પોથી છે. બીજી એક કાગળની પિોથી પાટણના ભંડારમાં મળે છે, પણ તે તો આ જેસલમેરની નકલ માત્ર છે. કારણ કે જેસલમેરની પોથીની જેમ જ આ પણ અપૂર્ણ છે. આદિ-અન્ત ભાગ બરાબર મળે છે. વચ્ચે વચ્ચે પડ્યો નથી, ત્રુટિત છે. કુલ નવ પત્ર નથી. જેસલમેરની પોથી જ્યાં જે અક્ષરે અટકે છે તે જ અક્ષરે આ કાગળની પિથી પણ અટકે છે. જે ભાગ જેસલમેરની પોથીમાં આજે ઝાંખ, ઘસાઈ ગયેલે મળે છે, તે ભાગ એ કાગળની પિથીમાં મળતો જ નથી. આ કાગળની પોથી સોળમા સૈકાની લખાયેલી છે. તે પછી પણ પ્રવર્તક કાંતિવિજયજી મહારાજના પ્રયત્નથી ઉપયુક્ત તાડપત્રની પિથી ઉપરથી લખાયેલી કાગળની પ્રત મળે છે. તે ઠેઠ ઓગણીસમા શતકની છે. જે નવ પત્ર (૨ ૦૬, ૨૬, ૨૮, ૨૩, ૨૩, ૨૪૪, ૧૪૮, ૭૦, ૮) નથી તે તે ભાગ ગ્રન્થનો અત્યંત રસિક અને ઘટનાની દષ્ટિએ મહત્ત્વને ભાગ છે, એમ આગળ–પાછળના સંદર્ભથી સમજાય છે. ગ્રન્થકાર દેવચન્દ્રમુનિ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિના શિષ્ય છે. તેમના સમયમાં આ ગ્રન્થની રચના થઈ છે. આ ગ્રન્થના પ્રથમ અંકની પ્રસ્તાવનામાં એવો ઉલ્લેખ છે કે...“શ્રી કુપાત્રદેવને દ્રશ્ વરિષટા માઢક્ટોબર, ઘા શ્રી कुमारविहारे, बाभपाचवस्थितश्रीमद जितनाथदेवस्य सन्तोत्सवे त्रैविद्यस्य श्री देवचन्द्रમુને: તિ: રદ્રત્તાવિર્ય ના ગુજરાતષ્ણમિતિ ” આ ઉલ્લેખથી આને રચના સમય જાણી શકાય છે. વળી અર્ણોરાજની સાથેના યુદ્ધમાં સંપૂર્ણ વિજય પ્રાપ્ત કર્યા પછી આ ગ્રન્થની રચના થઈ છે. ઈ. સ. ૧૧૫૧માં એ વિજય થયો ગણાય છે. અને હેમચન્દ્રાચાર્યને કાળધમ ઈ. સ. ૧૧૭૩માં થયો છે. એટલે આ ગ્રન્થ તેઓના સત્તા સમય દરમ્યાન પણ રચાયાને ઇન્કાર ન કરી શકાય. ગ્રન્થને પ્રકાર નાટકનો છે એટલે આમાં સંસ્કૃત અને પ્રાકૃત બને ભાષા પ્રજાઈ છે. બન્ને ભાષામાં ગદ્ય અને પદ્ય છે. પ્રાકૃતિક વર્ણને મહાકવિના કાવ્યમાં મળે છે તેવી ઊંચી કક્ષાના છે. આચાર્ય હરિભદ્રસૂરિરચિત સમrજિલ્લામાં આના મૂળ સ્ત્રોતના અંશે મળે છે. અગિતાવી અને તેના મન્તાક્ષર અને તેમાંથી પંચપરમેષ્ઠિના અર્થ તારવવામાં વ્યાકરણના સહારે અથચમત્કૃતિના ઠેર ઠેર દર્શન થાય છે. આનું સંપાદનકાર્ય પૂરું થવામાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520501
Book TitleAnusandhan 1993 00 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages50
LanguageSanskrit, Prakrit
ClassificationMagazine, India_Anusandhan, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy