________________
[ ૫૮૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ n =
શિષ્ય એ કુવામાંથી અમૃતના પ્યાલા ભરી ભરીને પાવે છે અને આનંદ અનુ ભવે છે પણ નગુર તા તરસ્યા પાછા જાય છે.
ગગન મંડલમે ગઉઆ વહાણી, ધરતી દુધ જમાયા; માખન થા સેા વિરલા પાયા, છાસે જગત ભરમાયા. ૫ અ ૪ ૫
શ્રી જિનેશ્વર દેવેના મુખરૂપ ગગન મંડળમાં વાણીરૂપ ગાય વિહાણી. એ ગાયમાંથી નીકળેલા ઉપદેશરૂપ દુધના માનવલેાકમાં જમાવ થયા. અને એ દુધમાંથી જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ માખણુની ઉત્પત્તિ થઈ એ માખણને કાઇક વિરલા પુરૂષો પામ્યા—પામે છે અને પામશે. બાકી મિથ્યાત્વના પંજામાં સપડાયેલા જીવા, સ્વમત કદાગ્રહ, કલેશ અને વિતંડાવાદરૂપ ખાટી છાશથી ભરમાયા, ભરમાય છે અને સરમાશે.
થડબિનુ પત્ર પત્ર બિનુ તુબા, ખિનજીભ્યા ગુણ ગાયા, ગાવનવાલેકા રૂપ ન દેખા, સુગુરૂ સાહી બતાયા. ॥ અ॰ ૫૫
તપુરા તુંબડામાંથી બને છે અને તુબડાના વેલાને તેા થડ-પત્ર-પુષ્પ હાય છે પણ આ આત્મારૂપ તખુરાને એવું કંઇ નથી એને આત્મારૂપ ગવેચા વગાડે છે અને તેથી એ આત્મારૂપ તપુરા પ્રભુના ગુણુગાન ગાય છે. તુખડાના તખુરાની જેમ આત્મારૂપ તબુરો કેાઇનાથી ઉત્પન્ન નથી, અને તેનુ રૂપ પણ દેખાતુ નથી. એવા આત્મા સુગુરૂએ બતાવ્યા છે.
આતમ અનુભવ બિન નહિં જાને, અંતર જ્યોતિ જગાવે; ઘટ અંતર પરખે સાહી મૂરતિ, સ્પાનન્દધન પદ્ય પાવે. ॥
અ ૬ ॥
માનવી સમ્યગ્ જ્ઞાન વિના જીવાજીવાદિ નવ તત્ત્વના સૂક્ષ્મ વિચારેને જાણુવા શક્તિમાન થતા નથી. જ્યારે શક્તિમાન ધાય છે ત્યારે જ આત્મ તત્ત્વના નિશ્ચય કરી શકે છે. અને ત્યારપછી આત્માનો જ્ઞાન જ્યાતિના પ્રકાશ કરે છે. આવી રીતે ઘટરૂપ શરીરમાં રહેલા જ્ઞાનાદિ ગુણાવાળા અન્તર આત્માને જે પરખી શકે છે તે જ વ્યક્તિ શાશ્વત આનદથી વ્યાપી મેાક્ષ પદ પામે છે.
[આ પદની આ છઠ્ઠો કડીના છેલ્લા ચરણમાં કવિએ પેાતાનુ નામ સૂચળ્યું છે. ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org