________________
[૫૦]
શ્રી જેને સત્ય પ્રકાશ
[ વર્ષ :
ગત દષના જ ભેગ બનતાં પહેલાં પણ તેમણે વિચાર કરવો જોઇને હતો. આવી સુંવાળપ ખરે જ બહુ વિધાતક ગણાય !
અમને ભય છે કે કદાચ શ્રી. ગોપાળદાસ ભાઇએ આવી મુલાકાતને શાસ્ત્રાર્થનું રૂપ આપ્યું હોય, અને તેથી જ તેમનું મન પાછું પડ્યું હોય ! પણ અમારે કહેવું જોઈએ કે આમાં શાસ્ત્રાર્થ જેવું કશું જ નહોતું-નથી. એમની સાથે આવી જાતને શાસ્ત્રાર્થ હોઈ જ ન શકે ! આમાં તે ફકત પરસ્પરનું દૃષ્ટિબિંદુ સમજવા-સમજાવવાની જ વાત હતી.
આવી મુલાકાતનું પરિણામ એ આવત કે જે વાત તેમને હજુ ય સાચી લાગ્યા કરે છે તે તેઓ સમજાવી શક્યા હોત અથવા તે તેમને જે સત્ય લાગ્યા કરે છે તેમાં જ્યાં
માં ખલનાઓ માલૂમ પડે તેને તેઓ સુધારી શક્યા હતા. બાકી આમાં હારજીત જે કશે ય પ્રશ્ન ન હતું. સત્ય સમજવામાં એ હેઈ પણ ન શકે.
આ મુલાકાત ન ગોઠવાતાં અમને જે કંઈ નિરાશા થઈ છે તે ફક્ત એટલા જ પૂરતી છે કે શ્રીગોપાળદાસ ભાઈ “ ગમે ત્યાંથી અને ગમે તે રીતે સત્ય સમજવું જોઈએ ' એ માટે ઉદારતા નથી દાખવી શક્યા. આ સિવાય અમારે આ પ્રશ્ન અંગે નિરાશ થવાને કશું ય કારણ નથી. કારણ કે આ ચર્ચાના ઉત્તરરૂપે જે કંઈ શાસ્ત્ર અને દલીના આધારે લખાવું જોઈએ તે પૂરતા પ્રમાણમાં અમે, આપણું પરમપૂજ્ય વિધા આચાર્ય મહારાજા તથા મુનિ મહારાજ પાસે લખાવીને અત્યાર અગાઉ આ જ પત્રમાં પ્રસિદ્ધ કરી ચૂક્યા છીએ. બાકી જ્યાં બીજાના દષ્ટિબિંદુને સમજવું જ ન હોય ત્યાં કોઈ શું કરી શકે?
આ ચર્ચાને અત્યાર સુધીને ટુંક સાર નીચેના મુદ્દાઓમાં આવી શકે –
(1) શ્રી ગોપાળદાસ ભાઈ આ પ્રશ્નને સમજવાનું પિતાની જાત પૂરતું મર્યાદિત કરીને કોઈ પણ શાસ્ત્રણ આચાર્ય મહારાજ પાસે એને સમજવા તૈયાર નથી. આથી એક રીતે તેઓ આ પ્રશ્નને શોધખોળને વિષય મટાડીને અંગત બનાવી દે છે.
(૨) ઉપરના કારણે, શ્રીગોપાળદાસ ભાઈએ કરેલું માંસાહારનું વિધાન એ એમના પૂર્વગ્રહનું પરિણામ હોય એમ માનવાને કારણ મળે છે.
(૩) આ પ્રશ્ન વિશદ રીતે જાહેરમાં છણાઈ ગયા છે એટલે જાહેર જનતાને લાગે વળગે છે ત્યાં સુધી તે જનતા એનો સાચો અર્થ સારી રીતે જાણી શકી છે.
એટલે સ્વાભાવિક રીતે અત્યારે તે હવે આ અંગે અમારે જાહેર રીતે વધુ કરવાનું કશું રહેતું નથી. છતાં અમે જરૂર આશા રાખીએ છીએ કે આ અંગે અમારી સમિ તિને જે વખતે જે કંઈ પ્રયત્ન કરવા જે લાગશે તે અમે જરૂર કરીશું.
આ સિવાય શ્રી ગોપાળદાસ ભાઈએ લીધેલ વલણ માટે ઘણું ઘણું લખી શકાય એમ છે, છતાં જ્યારે તેઓ પોતાની વાતને છોડવ જ માગતા ન હોય અથવા તે તટસ્થતા પૂર્વક વિચારવા જ માંગતા ન હોય ત્યારે એ લખવાને વિશેષ કંઈ અર્થ નથી. છતાં આ નિવેદન પૂરું કરતાં પહેલાં એમના છેલ્લા “પ્રસ્થાન'ના પિષના અંકમાંના નિવેદન અંગે અમારે સ્પષ્ટ લખવું જોઈએ કે –
એ નિવેદનથી એમને એક ચર્ચા બંધ કર્યાનો ભલે સંતોષ થયે હેય પણ અમે તે એને એક મહત્ત્વની ચર્ચાના મઢે ડુચો માર્યા સમાન જ લેખીએ છીએ. તેમજ એ નિવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org