SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૧૨] શ્રી જેન સત્ય પ્રકાશ -- - - બાલબ્રહ્મચારી વાસ્યાયન ઋષિ પિતાના તપોબળથી દેહ સહિત સ્વર્ગલોકમાં ગયો. ત્યાં સભાપતિ ઈદે કહ્યું કે આ સ્વર્ગમાં શી રીતે આવ્યો? આના પાસે પૈસે ન હોવાને લીધે એણે કઈ દેવ મંદિર, પરબ, તળાવ વગેરે ધર્મસ્થાન બંધાવ્યાં નથી, તેમજ કોઈ પણ નવીન ગ્રંથની રચના કરી નથી. દુનિયામાં પ્રશંસા પ્રાપ્ત થાય એવાં કંઈ પણ કામ કર્યા સિવાય માનવદેહ સહિત સ્વર્ગમાં પ્રવેશ કરી શકે નહિ. પરંતુ આ પિતાના તપબળથી જ દેવાંગનાઓને પ્રિય થવા જાય છે એ યુક્ત નથી. એમ કહી ઘરે હુંકાર કર્યો અને સભાસદોએ પણ હુંકાર કર્યો, તેથી વાસ્યાયન ઋષિ પવને ઉડાવેલા આકડાના રૂની માફક પાછો પૃથ્વી ઉપર પડયે, અને વિચાર કર્યો કે દરેક પ્રકારનાં ધર્મ શાસ્ત્રી તે પૂર્વ પુરૂષોએ બનાવેલાં છે, માટે કામશાસ્ત્ર રચું. પછી કામશાસ્ત્ર રચવાની ઈચ્છાથી પરકાયાપ્રવેશ વિધાના બળથી મૃત્યુ પામેલી રાજાની પટ્ટરાણુના શબમાં પ્રવેશ કરીને રાજા પાસેથી સર્વ કામવિદ્યા શીખીને રાણીના દેહને ત્યજીને ફરી મહર્ષિ બનીને કામશાસ્ત્રની રચના કરી અને પછી માનવ દેહયુકત દેવલોકમાં પ્રવેશ કર્યો. તેથી કામશાસ્ત્રને રચનાર હોવાથી તે બુધ કહેવાય છે. વળી કે વાસ્યાયન ઋષિ? રાજાએ કહેલા અનેક પ્રકારના કામશાસ્ત્રના રહસ્યને ઉપદેશ સાંભળવાથી ગંભીર, શ્રેષ્ઠ બ્રહ્મચર્ય પાલન કરવાથી માહામ્ય મેળવેલા વચ વાળ, અનુકૂલ નસીબની માફક વિષયી માણસો અને સવે સ્ત્રીઓને સુરત, આલિંગન, ચુંબન, નનક્ષત વગેરેથી આનંદ ઉપજાવનાર, અને ઘણા ગુણોથી સંપન્ન. ઉપર્યુકત ઉલ્લેખ પરથી આ અને કાર્ય કૃતિની રચના કરનાર શ્રી વર્લ્ડ માનગણિ પૌરાણિક ગ્રંથ, કામશાસ્ત્રના ગ્રંથે, વ્યાકરણના ગ્રંથો તથા જ્યોતિષાદિક ગ્રંથોના જાણકાર હેવાની ખાત્ર થાય છે. આ ઉપરથી એમ પણ સાબિત થાય છે કે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિની માફક તેઓશ્રીની શિષ્ય પરંપરાના સાધુઓ પણ વૈયાકરણીઓ અને બહુશ્રતધારીએ હતા. શ્રી વર્ધમાનગણિની રચેલી ઉપયુંકત કુમારવિહારપ્રશસ્તિની સંપૂર્ણ કૃત્તિ જે મલી આવે તે તેની બીજી કૃતિઓને પણ ઉલ્લેખ કદાચ એમાં હેવાને સંભવ છે; અને તે ઈતિહાસ ઉપર વધુ પ્રકાશ પાડી શકે. આ અનેકાર્થ કૃતિના કરતાં પણ વધુ એતિહાસિક ઉલ્લેખ શ્રી કુમારપાળ પ્રતિબોધના કર્તા સેમપ્રભસૂરિ વિરચિત શતાથી માં દષ્ટગેચર થાય છે. તેનું વર્ણન યથા સમયે આ માસિકમાં જ આપવાને મારો ઇરાદે છે. અંતમાં આ કૃતિ વિદ્વાનોમાં આદર પામે એવી ઇચ્છા રાખતો હું વિરમું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy