SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૧૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ જેમનાં વચના ઉચ્ચ દરજ્જાનાં છે એવા. સ` ભવ્ય જીવેાને અનુકૂલ નસીબ સમાન અથવા દેવગુરૂ વિષે શ્રદ્ધાવાળા શ્રાવકા તથા મુનિએમાં શ્રેષ્ઠ અથવા દેવામાં શ્રેષ્ઠ ગણુાએલા બ્રહ્માની પેઠે કાવાળા અથવા પરમાત્મા શ્રીવીતરાગને જ દેવ માનવાવાળા શ્રીકુમારપાળ રાજાથી માહાત્મ્ય અને આબાદી મેળવેલા. અથવા નમસ્કાર કરવા આવેલા સાધુએ અને શ્રાવકાના ઉદય કરનાર. અથવા કાટયાધિપતિ શ્રીમંત શ્રાવકોથી પ્રતિષ્ઠાને પ્રાપ્ત થએલા. અથવા વૈષ્ણવે એ પ્રણામ કરતી વખતે પૂજ્ય માનવાથી પ્રતિષ્ઠા અને ઉદય પ્રાપ્ત કરેલ. અથવા મહાકાળ સામનાથ વગેરે તીથૅમાં પ્રતિષ્ઠિત મહાદેવની પેઠે ઉદય મેળવેલ. અથવા અણુિમાદિ અષ્ટ મહાસિદ્ધિ પ્રાપ્ત કરેલ હાવાથી શ્રદ્ધેમચંદ્રાચાર્ય મહારાજને લોકો સાક્ષાત્ મહેશ્વર માનતા હતા. અથવા ભૌતિક, તાપસ વગેરે દાનિકોમાં પ્રતિષ્ઠા મેળવેલ. અથવા કાણિક હાવાથી બૌદ્ધની પેઠે ઉદય સપન્ન અથવા ધનદ કુબેરની પેઠે દાન દેવાની વેળાએ ભડાર હાવાથી અભ્યુદય મેળવેલા. અથવા સમુદ્રની પેઠે મર્યાદા ઉલ્લંધન નહિ કરનાર અને ગંભીર હોવાથી અભ્યુદયવાળા, અથવા શુકલપક્ષના ચંદ્રની પેઠે પ્રૌઢતા પ્રાપ્ત કરેલા. અથવા ઈંદ્ર પેઠે પરમૈશ્વર્યં સ ંપન્ન. અથવા પરમતરૂપી અંધકાર ટાળવાથી પ્રાપ્ત કરેલ છે. માહાત્મ્ય અને પ્રતાપના ઉદય જેમણે એવા. અથવા બૃહસ્પતિની જેમ બુદ્ધિ વિજ્ઞાન ધરાવનાર એ જ પ્રમાણે મેરૂ, કલ્પવૃક્ષ, ચિંતામણિ, કામધેનુ, લક્ષ્મી, સરસ્વતી વગેરે સકલ પદાર્થોની વિચારણા કરવાથી અનંત અર્ધો થઇ શકે છે. તથા સજ્જન પુરૂષોના હૃદયને અભિપ્રેત સુંદર કાર્ય કરનાર. અને યુગપ્રધાન હોવાથી આયાના (૩૬) છત્રીશ ગુણેની યુકત. (૧૦૯) વાગ્ભટ મંત્રી વણ'ન તથા આ જિનાલય વાગ્ભટ મત્રી સાથે સમાનતા ધરાવે છે. કે! છે વાગ્ભટ મંત્રી ? વેદ્યક્તિએ અથવા જૈન સિદ્ધાંત સાંભળવાથી ગભીર. શ્રુતધરાનીથી, અને શત્રુ ઉપર પણ અચિંતિત ઉપકાર કરવારૂપી સત્કર્તવ્યથી સમગ્ર દુનિયામાં પ્રખ્યાતિ મેળવેલ. મુનિઓને વસ્ત્ર, પાત્ર, શયન, આસન, ઔષધ અને પુસ્તકાદિ દાન આપનાર, સારા માણુસાથી આનંદ પામનાર, અને દયા, દાન, દાક્ષિણ્ય, ગાંભીય તથા સ્વૈર્ય, ઔદા, સૌન્દર્ય આદિ અનેક ગુણો રૂપી રત્નાની નિવાસભૂમિ ( રાહગિરિ ) સમાન. આ પ્રમાણે ત્રણ અતિહાસિક ઉલ્લેખામાં તેઓશ્રીએ પર્માત્ કુમારપળ “ પરમાત્માશ્રી વીતરાગને જ દેવ માનવાવાળા શ્રી કુમારપાળ રાજાથો ” સખાધન કરવાથી એમ સાબીત થાય છે કે આ કૃતિની રચના કુમારપાળ રાજાએ જૈનધર્માંનાં બારવ્રતા ઉર્યાં પછીથી થયેલી છે અને શ્રી હેમચંદ્રસૂરિ, કુમારપાળ રાજા અને વાગ્ભટ મંત્રીની હયાતિમાં જ એટલે વિ. સ. ૧૨૦૦ અને વિ. સ, ૧૨૩૦ ની વચ્ચેના જ કોઇ સમયમાં જ રચાએલી છે. વળી આ શબ્દો, કેટલાક લેખા તરફથી જે એમ સમજાવામાં આવે છે કે કુમારપાળ રાજાએ જૈનધર્મના સ્વીકાર કરવા સબંધી તેના સમકાલીન પુરાવા મલી આવતા નથી, તે વાતને ગલત સાબિત કરે છે, કારણકે એમ ન હોત તે। આકૃતિના લેખકને ઉપરના શબ્દોને ઉપયોગ કરવા ન પડત, પરંતુ તેના બદલે ખીજા જ શબ્દોના ઉપયોગ કરવા પડત. વળી લેખક પોતે શ્રી હેમચંદ્રસૂરિ ના જ શિષ્ય હેવાથી આ ઉલ્લેખ વધારે પ્રામાણિક કહી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy