SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ અક | જેનદશનમાં માંસાહારની ભ્રમણ [૪૧] કહેવામાં આવે કે જેનું કારણ અલૌકિક હોય તે કાર્ય પણ અલૌકીક કહેવાય, અર્થાત કારણમાં રહેલ જે અલોકિકત્વ તેને કાર્યમાં ઉપચાર કરીશું. તે આ પણ વ્યાજબી નથી, કારણ કે આનું કારણ તેજોલેસ્યાસમ્બધી તેજ:પુંજ છે અને આ પુંજ લેકે દેખી શકે છે માટે અલૌકિક નથી. આ પુંજ જનતા દેખી શકે છે તેને માટે ઉત્તરાધ્યયનસૂત્રના ચિત્રસંભૂતિ અધ્યયનની વૃત્તિ જોઈ લેવી. કદાચ એમ કહેવામાં આવે કે આ તેજ:પુંજ પણ તપજન્ય વિશિષ્ટ શક્તિથી જ ઉપયોગમાં લઈ શકાય છે અને આ વિશિષ્ટ શક્તિ અલૌકિક છે માટે તેજ:પુંજ પણ અલૌકિક અને આ તેજ:પુંજના સંસર્ગથી થયેલ પિત્તવર તે પણ અલૌકિક છે. આ વાત પણ વ્યાજબી નથી. કારણ કે આમ માનવામાં સારાંશ એ આવ્યો કે પિતાના કારણનું પણ કારણ અલૌકિક હેય તે પિતે અલૌકિક કહેવાય છે. અને તેમાં વૈદ્યક પ્રક્રિયા કામ આવી શકતી નથી. આ સારાંશ કોઈ પણ રીતે ઘટી શકે તેમ નથી. જેમ કે માણસે પાપકર્મના ઉદયે કુપ સેવ્યું અને તાવ આવ્યો. આ સ્થલમાં તાવનું કારણ કુપથ્ય અને તેનું કારણ પાપકર્મ, આ પાપકર્મ અલૌકિક હોવાથી આ તાવ પણ અલૌકિક કરશે, અને અલૌકિક માનવા જતાં વૈદ્યક પ્રક્રિયાથી ફાયદો ન થ જોઈએ અને થતે દેખીએ છીએ. ઉપર જણાવેલ પ્રકરણના પરિચયથી પાઠકગણુ સમજી શકશે કે વિવાદગ્રસ્ત શબ્દોને કેળાપાક અને બિજોરાપાક અર્થ કર ઉચિત છે. કદાચ કોઈ આગ્રહવશ બની માંસાહારને લગતો જ અર્થ લેવા લલચાય તે તે યુકત નથી, કારણ કે તેમાં દરેક શબ્દની સાર્થકતા થઈ શકતી નથી અને વાકયાર્થ બાધિત છે. જુઓ કપાતને અર્થ કબૂતર લેવામાં આવે તે શરીર શબ્દ નકામો પડે છે, કારણ કે બે કબુતર તૈયાર કરેલ છે, એ વાત જણાવવાની છે. શરીર શબ્દ સાથે જોડાયેલ હોવાથી બે કબુતરનાં શરીર તયાર કર્યો છે એ અર્થ થાય, અને શરીરમાં તે પિંછાં ચાંચ પગ વગેરેનો પણ સમાવેશ થાય છે, અને તેને ઉપયોગ હાઈ શકતા નથી. વનસ્પતિને લગતે અર્થ લેવામાં કોઈ પણ શબ્દ નકામો પડતે નથી તેમજ વાયાર્થ પણ અબાધિત રહે છે, કારણ કે કબૂતરના શરીર જેવા વર્ણવાળાં બે કેળાં તૈયાર કરેલ છે, એવો અર્થ લેવાય છે. તથા કુકકુટમાંસ શબ્દને કુકડાનું માંસ એ અર્થ લઈએ તે મારફત જે વિશેષણ છે તેને સંબંધ ઘટી શકતે નથી. કારણ કે ભારતને સીધે અર્થ તે એ નીકળે છે કે બિલાડે બનાવેલું, અને કુકડાનું માંસ કેઈ બિલાડે બનાવેલ નથી, પરંતુ કુકડાના છ જ શરીર બાંધતા સાથેસાથ બનાવેલ છે. કદાચ એમ કહેવામાં આવે કે માજીકૃત–એટલે બિલાડ મારેલું તે પણ ઘટી શકતું નથી. કારણ કે કુકડાના માંસને કાંઈ ભરવાનું હોઈ શકતું નથી, કિંતુ કુકડાને મારવાનું હોય છે. કદાચ એમ કહેવામાં આવે કે ભારતને અર્થ બિલાડ મારેલ એ જે થાય છે, તેનો સંબંધ કુકકુડમાંસમાં નહિ કરતાં એક વિભાગ જે કુકકુડ તેમાં કરીશું. ત્યારે અર્થ એ થશે કે બિલાડ મારેલ જે કુકડે તેનું માંસ.. આ વાત પણ વ્યાજબી નથી, કારણ કે વિશેષણનો વિશેષ્યના એક દેશમાં સંબંધ થઈ શકતો નથી. જેમ “વિનયયુક્ત રાજપુત્ર” આ સ્થળમાં વિનયુક્ત એ વિશેષણ આ છે તેને સમ્બધ રાજપુત્રમાં થતું હોવાથી રાજપુત્ર વિનયવન્ત છે, એ અર્થ Jain Education international For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy