SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ માંસાહારને પ્રશ્ન [ અક ) 0] આ બન્ને યોગની વક્તવ્યતા આ પ્રમાણે છે. જ્યાં સુધી આર્ય વજસ્વામી હતા ત્યાં સુધી કાલિકાનુયોગને અપૃથર્વપણું હતું, તે પછી કાલિકસૂર અને દૃષ્ટિવાદમાં પૃથવાનુયોગ થયો. માટે “માંસ, કપોત,' “ માર વગેરે શબ્દો, બીજા અનુયોગમાં ઉપયોગી હેવાને કારણે વપરાયેલ અને તે જ કારણે સૂત્રોના શબ્દો પારવર્તનને અસહ્ય હેઈ એક અનુયોગમાં આગમે નિયત કરાયા છતાં કાયમ રહ્યા છે. અનેકાર્થક વાકયોની રચનામાં તેમજ તેની વ્યાખ્યા કરવામાં ઉપર્યુક્ત રીતિ ચાલુ સંસ્કૃત તેમજ લોક ભાષામાં પણ જોવાય છે. કવિશ્રી ધનપાલ “તિલકમંજરીની શરૂઆતમાં એક ઠચર્થક શ્લોકથી કાદમ્બરીકાર બાણકવિને પરિચય આપતાં केवलोऽपि स्फुरन् बाण : करोति विमदान कवीन् ॥ किं पुन: फ्लप्तसंधान : पुलिन्ध्रकृतसन्निधि : ॥ આ સ્થળે બાણ શબ્દને અર્થ તીર અને બાણુકવિ, કવિશબ્દથી કવિઓ અને કુત્સિત પક્ષિઓ, સંધાન શબ્દથી ધનુષ્ય સાથે જોડાણ અને કાદમ્બરી ગ્રન્થનું અનુસંધાન અને પુલિ% શબ્દથી ભિલ્લ અને બાણને પુત્ર (શબ્દ સમાનતાથી) લેવાય છે. ભાષામાં પણ– चरण धरंत चिन्ता करत त्यागत शोरषकोर ॥ सुवर्णकुं ढुंढत फीरत कवि व्यभिचारी चोर ॥ એ સૂકતમાં “ચરણ” અને “સુવર્ણ” એ શબ્દોના ભિન્ન ભિન્ન દૃષ્ટિએ ભિન્ન ભિન્ન અર્થે લેવાય છે. તે શબ્દને સ્થાને (સુવર્ણને સ્થાને) સુશબ્દ, સુરૂપ કે કાંચન વગેરે શબ્દોની યોજના યોગ્ય નથી. કારણ કે એમ કરવા જતાં એના બીજા બીજા અર્થ કાઢવા અશક્ય થઈ પડે છે. તે ચાર ચાર અર્થવાળા આગમોમાં તેવા શબ્દો હેય તેમા શંકા જેવું નથી. શ્રી. ગોપાળજીભાઈ પટેલે ભગવાન મહાવીરના વ્યાધિ અને તેના ઉપચાર અંગે– ભગવાન મહાવીર સ્વામીને વ્યાધિ તેજલેશ્યાજન્ય હતું, તેલેસ્યા એ અલૌકિક વસ્તુ હતી, એટલે એ વ્યાધિને ઉપચાર પણ અલૌકિક હોઈ શકે, એ ઉપચારની ચર્ચા વૈદ્યક શાસ્ત્રની દષ્ટિએ ન કરી શકાય–વગેરે મતલબનું લખાણ લખી એ વાતને વિશેષ વિચાર કરવા માંડી વાળ્યું છે. પણ સૂક્ષ્મ દૃષ્ટિથી વિચાર કરતાં એમણે જે કારણે એ વિચાર કરે પડતું મૂકયો છે એ બરાબર નથી, અને સંભવતઃ એ જ કારણે–વૈદ્યક શાસ્ત્રમાં વર્ણિત વસ્તુના ગુણ દેજના વિચારની ઉપેક્ષા કરીને તેમણે ભાસહારનું વિધાન કરતે અર્થ સ્વીકાર ગ્ય ગણ્યો છે. એમણે એ વ્યાધિ અને એ ઉપચાર અંગે જે વિચાર *791 4341 2 1 à 241 s Private & Personal Use Only www.jainelibrary.org Jain Education Internations
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy