SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ દીપાલિકા [ ૨૪૧ ]. જે આજ આબાલગોપાલ મશહુર છે. આવી રીતે દીપાલિકા પર્વની ઉત્પત્તિ પાવાપુરીમાં શ્રી મહાવીરના વિયોગ નિમિત્તે થઈ છે એમ એતિહાસિક રીતે સાબિત થાય છે. શ્રી. ધર્મચંદજી શ્રી દીપાલિકાપર્વના સ્તવનમાં નીચે પ્રમાણે કહે છે. - વીર નિર્વાણ ગૌતમ કેવળ, કલ્યાણક દિન જાણી રે, દ્રવ્ય ભાવ દેય ભેદે કીજે, દિવાળી ભવિ પ્રાણી. પ્રગટી દિવાલી રે, પામ્યા કેવળનાણું કર્મ પ્રજાલીછરે. કાર્તિક વદિ અમાવાસ્યા (ગુજરાતી આ વ. ૦)) ની રાત્રે છેલ્લી ચાર ઘડી રાત બાકી હતી ત્યારે રાત્રિના પાછલા પ્રહરે પ્રભુ નિર્વાણ પામ્યા તે વખતે સ્વાતિ નક્ષત્ર હતું, બીજો ચંદ્ર સંવત્સર હતું, પ્રીતિવર્ધન નામે માસ હત, નંદિવર્ધન પક્ષ હતા. ઉપશમ નામને દિવસ હતું, દેવાના નામની રાત્રિ હતી, સર્વાર્થસિધ્ધ મુહૂર્ત હતું, નાગ નામનું કારણ હતું અને પ્રભુ પદ્માસને બેઠા હતા. તે વખતે પ્રભુ અગી નામના ચૌદમાં ગુણસ્થાનક ઉપર આરૂઢ થયા. સર્વે વેગોને રૂંધી શેલેશીકરણ કરી વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર અઘાતીયાં કર્મોનો નાશ કરી મોક્ષ પધાર્યા. આ વખતે ઈકોએ પ્રભુના દેહને અગ્નિસંસ્કાર કર્યો. દેવોએ નંદીશ્વર દ્વીપમાં જઈને અમનિકા મહત્સવ કર્યો અને પછી સ્વસ્થાનકે ગયા. આ હેતુથી ચેકકસ સમજાય છે કે દીપાલિકા પર્વ પ્રભુના પાંચમાં નિર્વાણકાણુક રૂપ જ છે. લૌકિક અને લોકોત્તર પર્વનું પૃથકકરણ - લૌકિક પર્વ અને કેત્તર પૂર્વ એ બન્નેમાં ઘણું જ અંતર છે. કયાં એક નાનું ગામડું અને કયાં એક ઇંદ્રપુરી ! ટુંકાણમાં કહીએ તે જેમાં ખાન પાનાદિ ભાગો વડે કરીને પુદગલભાવ ધર્મના બહાને પ૧ ય તે લૌકિક પર્વ કહેવાય, જ્યારે કેન્દ્રર પર્વ તેનાથી તદ્દન વિપરીત છે. જેમાં તપ અનુષ્ઠાનાદિ વડે ભોમના ત્યાગની સાથે આત્મિક ભાવનું પષણ થાય તે લોકોત્તર પર્વ કહેવાય.. લૌકિક પર્વ–આ વિષયમાં બાર વ્રતની પૂજામાં કવિરત્ન શ્રીમાન વીરવીજયવા મહારાજ પ્રકાશે છે કે લૌકિક દેવગુરૂ મિથ્યાત્વ ત્યાસી ભેદે રે, તુજ આગમ સુણતાં આજ હેય વિચ્છેદે રે. વળી શ્રી શ્રાધ્ધપ્રતિક્રમણની ટીકામાં વંદિતાસૂત્રનું વિવેચન કરતી વખતે સમકિતના અતિચારોના વર્ણનમાં લાકિક દેવગુરૂ મિથ્યાત્વના ૮૩ ભેદો ગણાવ્યા છે. તેમાં ધર્મને બહાને પુદગલભાવને પિથી મિથ્યાત્વ પર્વનું સેવન થાય છે. મેટા અતિચારમાં પણ લાકિક પર્વ ગણાવ્યાં છે, જેવાં કે શ્રાદ્ધ, હોળી, બળેવ, ધનતેરસ વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy