SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ અ'ક ૧-૨] દશ શ્રાવકે [ ૧૮૯] જેવા કેલ્લાસન્નિવેશમાં આવેલી પૌષધશાલામાં આવ્યા. તે વખતે આનંદ શ્રાવક ગણધર ગૌતમ મહારાજાને આવતા જોઇને ઘણા જ ખૂશી થયા. અને ભાવથી વંદના નમસ્કાર કરી બોલ્યા: “હે પ્રભો, આકરી તપસ્યા કરવાથી હું ઘણો દુર્બલ થયે છું, તેથી આપની પાસે આવવા અસમર્થ છું. માટે આપ કૃપા કરીને અહી યા પારે.” આથી ગૌતમ સ્વામી જ્યાં આનંદ શ્રાવક રહેલા હતા ત્યાં આવ્યા. આનંદ શ્રાવકે વિધિપૂર્વક વંદન કરી પ્રશ્ન કર્યોઃ “હે ભગવન, શ્રાવકને અવધિજ્ઞાન થાય ખરૂં? ગૌતમસ્વામી બોલ્યા “ઉત્તમ શ્રાવકને થાય.” ત્યારે આનદ શ્રાવકે કહ્યું “મને અવધિજ્ઞાન થયું છે, હું એ જ્ઞાનથી ઉચે સૌધર્મદેવલોક સુધી, નીચે રત્નપ્રભા પૃથ્વીના લે લુચ્ચય (લેલક) નામના નરકાવાસ સુધી તથા તિર્લ્ડ લવણ સમુદ્રને વિષે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં પાંચસે જન સુધી અને ઉત્તર માં શુલ્લહિમાચળ સુધી રૂપી પદાર્થોની બીન જાણું છું.” આ સાંભળીને ગૌતમસ્વામીએ કહ્યું: “ હે ભક, ગૃહસ્થને અવધિજ્ઞાન થાય, પણ તમે કહ્યા પ્રમાણે એવું મોટું અવધિજ્ઞાન ન થાય, માટે તમે મિથ્યાદુકૃત આપ.” આનંદ શ્રાવકે કહ્યું કે “હે સ્વમિન અસત્ય બેલવાના પ્રસંગે તેમ કરવું ઉચિત ગણાય, માટે આપે મિથ્યાકૃત દેવે જાએ.” તે સાંભળી ગૌતમ મહારાજા શંકામાં પડયા, એટલે તેમણે પ્રભુ પાસે જઈને તેનું સ્વરૂપ પછયું. જવાબમાં પ્રભુદેવે આનદ શ્રાવકના કહેવા મુજબ જ જણાવ્યું એટલે ગૌતમ મહારાજે આનંદ શ્રાવકની પાસે આવીને મિથ્યાદુષ્કત આપ્યો. ધન્ય છે આ મહાપુરૂષોને કે જેઓ આવી ઉંચ કેટીને પામ્યા છતાં સત્ય વસ્તુ સમજાતાં નમ્ર બની ભૂલ ખમાવે છે. એ પ્રમાણે આનંદ શ્રાવક ૨૦ વર્ષ સુધી બહુ પ્રકારના શીલવતાદિ ધર્મકૃત્યની આરાધના કરી, છેવટે એક માસની સલેખનામાં કાલધર્મ ૫ મી સૌધર્મ નામના પહેલા દેવલોકના અરૂણ નામના વિમાનમાં દેવ થયા. ત્યાં ચાર પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તર શ્રાવક કુલમાં જન્મ પામી, અવસરે સંયમાદિની સાધના કરી સિદ્ધિપદ પામશે વિશેષ બીના શ્રી ઉપાસકદશાંગ, વર્ધમાનદેશના, ઉપદેશપ્રાસાદિ ગ્રોથી જાણી લેવી. ૨ શ્રી કામદેવ શ્રાવક ચંપાનગરીમાં કામદેવ નામના એક સંગ્રહસ્થ રહેતા હતા. તેમને ભદ્રા નામની સ્ત્રી હતી. અને તે અઢાર કરેડ સેનૈયાના સ્વામી હતા. તેમાં છ કરેડ સેનૈયા નિધાનમાં, છે કરોડ વ્યાજમાં અને છ કરોડ વ્યાપારમાં જોડાયેલા હતા. તે છ ગોકુલના અધિપતિ હતા. આ ચંપાનગરની નજીકમાં પૂર્ણભદ્ર નામનું ચય હતું, ત્યાં દેવાધિદેવ પ્રભુ મહાવીરદેવ પધાર્યા. આ ખબર સાંભળીને કામદેવ શ્રાવક ખુશ થયા. ભુને વંદના નમસ્કાર કરી તેમણે પ્રભુની દેશના સભળીને જિનધર્મની ઉપર અડગ શ્રદ્ધા રાખીને આનંદ શ્રાવકની પેઠે પ્રભુદેવની પાસે બારે વ અંગીકાર કર્યા. તે પ્રમાણે તેની સ્ત્રીએ પણ કર્યું. અને બન્ને જણ અપૂર્વ ઉલ્લાસથી વ્રતોની આરાધના કરી આત્માને નિર્મલ બનાવતા હતાં. એક વખત ધર્મજાગરિકા કરવાના પ્રસંગે કામદેવને આનંદ શ્રાવકની જે વિચાર થયે, જેથી તેમણે પિતાના મોટા પુત્રને કુટુંબની સંભાળ રાખવાની ભલામણ કરીને પૌષધશાલામાં આવીને દર્ભના સંથારા ઉપર બેસી પ્રભુદેવનું ધ્યાન કરતાં આનંદ શ્રાવકની જેમ તે કામદેવ શ્રાવક પ્રતિભાવહન કરવા લાગ્યા. એક વખત તે ધ્યાનમાં બેઠા હતા www.jainelibrary For Private & Personal Use Only Jain Education International
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy