SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧-૨] પાટલીપુત્ર [૧e ] કેવળજ્ઞાનને પામેલાં સારી પુ ચૂલા ગે ચરીના પ્રસંગમાં ગુરૂમહારાજને જે જે પસંદ હોય તે તે લાવી આપે છે. એક વખત ચાલુ વરસાદમાં આ સાવી ગોચરી લાવ્ય, ત્યારે ગુરૂમહારાજે કહ્યું કે હે મહાનુભાવ તમે શ્રવજ્ઞાનને જાણો છો છતાં પણ પા પરસદમાં ગોચરી કેમ લાવ્યા? આ બાબત કેવળજ્ઞાની માધ્વીજીએ હાથ જોડી જવાબ આપે કે હે ભગવન, જે રસ્તે અચિત્ત અપકાય વસતે હતું તે જ માર્ગે થઇ હુ ગેચરી લાવી છું, જેથી આ બાબતમાં લગાર પણ દેષાપત્તિ નથી. ત્યારે ગુરૂમહારાજે કહ્યું કે આવો બીના છદ્મસ્થ કેવી રીતે જાણી શકે? ત્યારે સાધ્વીજીએ કહ્યું કે મને કેવળજ્ઞાન થયું છે. કેવલજ્ઞાન થયેલ જાણુને આચાર્ય મહારાજે વિચાર્યું કે મેં કેવલીની આશાતના કરી તેથી મિચ્છામિદુકકડ દેવે જોઇએ, એમ વિચારીને મિચ્છામિ દુકકડ દીધો. ત્યારબાદ આચાર્ય મહારાજે પૂછયું કે હું મુક્તિ પામીશ કે નહીં, આના જવાબમાં કેવલજ્ઞાની સાધ્વીએ કહ્યું કે તમારે ઉતાવળ કરવી નહીં. જ્યારે તમે ગંગાનદી ઉતરશો ત્યારે તમને કેવળજ્ઞાન જરૂર થશે. એક વખત ગંગા નદીને ઉતરવા માટે આચાર્ય મહારાજ લોકોની સાથે નાવમાં ચડયા. ત્યાં બીના એવી બની કે જે જે બાજુ આચાર્ય બેસે તે તે તરફ વહાણ ડૂબવા માંડયું. તેથી આચાર્ય મહારાજ વચમાં બેઠા, ત્યારે આખુંએ વહાણ ડૂબવા લાગ્યું. આથી કંટાળીને લોકોએ આચાર્ય મહારાજને નદીમાં ફેંકી દીધા (આ વખતે આચાર્ય મહારાજની પાછલા ભવની પત્ની કે જે અણુમાનિતી હોવાને લઈને આચાર્ય મહારાજની ઉપર ઠેષ ધારણ કરતી હતી તે મરીને વ્યન્તરી થઈ હતી) આ વખતે આ વ્યત્રીએ પાણીમાં પડતા આચાર્યને શુળમાં પરોવ્યા. આવી તીવ્ર વેદના ભેગવવાના પ્રસંગે પણ આચાર્ય મહારાજ અપકાય છની ઉપર દયાના પરિણામ રાખતા હતા, પરંતુ પિતાને થતી વેદના ઉપર લગાર પણ લક્ષ રાખતા ન હતા. અનુક્રમે ભાવનાની વિશુદ્ધિ વડે ક્ષપકશ્રેણિમાં આરૂઢ થયા અને અન્તત કેળલી થઈને સિદ્ધિપદ પામ્યા. આવા ઉત્તમ પ્રસંગે નજીકમાં રહેલા દેવતાઓએ આચાર્ય મહારાજનો નિર્વાણ-મહોત્સવ કર્યો. આવી રીતે આ સ્થળે પ્રકૃષ્ટ (સર્વોત્કૃષ્ટ) યાગ (પૂજા) પ્રવર્તે માટે આ સ્થળ પ્રયાગ એ નામથી પ્રસિદ્ધિ પામ્યું. અને અન્ય દર્શનીઓ શ્રેલીમાં પરવાના પ્રસગને જોઇને ગાડરીયા પ્રવાહની માફક પિતાના ઉપર કરવત મુભવવા લાગ્યા. તે સ્થળે રહેલાં વડ વૃક્ષોને મેચ્યોએ ઘણી વાર કાપી નાખ્યા છતાં પણ તે વૃક્ષો વારંવાર ઉગે છે. નદીના પાણીમાં રહેલી આચાર્ય મહારાજની પરી માછલીઓના પ્રહારને સહન કરતી તેમજ પાણીના મેજાઓમાં તણાતી તણાતી નદીને કાંઠે આવી, છીપની માફક આમતેમ પછડાતી પછડાતી કોઈ એક ગુપ્ત પ્રદેશમાં ભરાઈ ગઈ. એ પરીના અન્દરના ભાગમાં એક વખત પાટલા (વૃક્ષ)નું બોજ પડ્યું. અનુક્રમે એ બીજ ખોપરીના કપરને ભેદીને જમણી હડપચીમાંથી પાટલાનું ઝાડ ઉગ્યું. એ ઝાડ મોટા સ્વરૂપે થયું. હે રાજન, આ પ્રમાણે આ મુનિનું વૃત્તાન્ત સાંભળીને તેમજ તે પસંગે પાટલાવૃક્ષ ઉપરના ચાષ પક્ષિની બીના ધ્યાનમાં લઈને તમારે આ સ્થાનનાં નગર વસાવવું જોઈએ અને શિયાળણીને શબ્દ સંભળાય તેટલી હદ સુધી સૂર (દેરી) દેવું જોઈએ. એટલે કે જમીનની હદ સમજવાને માટે લાઈનરી દેવી જોઈએ. આ વૃદ્ધ નિમિત્તયનું વચન સાંભળી રાજાએ તેમ કરવા માટે નિમિત્તિયાને હુકમ કર્યો. ત્યારબાદ તેઓએ પાટલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy