SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧-૨] યુકિતપ્રબંધ નાટકને ઉપમ [ ૧૩૧] મુગ્ધ આત્માઓને ભ્રમિત કરે છે તે પ્રમાણે આ બનારસીદાસ માટે બન્યું હોય અર્થાત્ તેમના દ્રવ્ય અધ્યાત્મથી મુગ્ધ લોકોની લાગણી તેમના તરફ આકર્ષણ હોય અને તેઓને શુદ્ધ માર્ગે લાવવા માટે સત્ય વસ્તુને સ્ફટ કરવા સારૂં ઉપાધ્યાય શ્રીમાન મેઘવિજયજી મહાત્માને આ ગ્રન્ય બનાવવાનો પ્રયત્ન કરવો પડે છે, તે તે અવાસ્તવિક નથી. ગમે તેમ છે, પણ એટલું તે જરૂર કહેવું પડશે કે આ બનારસીદાસ એક મહાન કવિ અને લેકસમૂહનું આકર્ષણ કરવામાં સમર્થ હતા એમ કુંદકુંદાચાર્યવિરચિત “સમયસાર” નામના ગ્રન્થને ઘણી જ સુંદર ભાષામાં કવિત્વ રૂપે રચેલ “સમયસાર નાટક” નામના ગ્રન્થ ઉપરથી સમજી શકાય છે. આ સમયસાર નાટક” એટલું પ્રસિદ્ધ છે કે તે પર વિવેચન કરવાની આવશ્યકતા રહેતી નથી. એનાં કાવ્યનું માધુર્ય અને પદલાલિત્ય ગભીર તેમજ અસરકારક હોવા ઉપરાંત વિષયને અતિશય ઉદ્દીપન કરે તેવું છે. તેઓ આ “સમયસાર નાટક' ગ્રન્થની પ્રશસ્તિમાં જણાવે છે કે–આગ્રા શહેરમાં રૂપચંદ, ચતુર્ભુજ વગેરે પાંચ વિદ્રાને ધર્મકથા કરવામાં બહુ પ્રવીણ હતા. પરમાર્થની ચર્ચા કરનારા હોવાથી શુદ્ધ વાતમાં તેઓને કદી પણ રસ પડતે નહિ. કોઈ વખત તેઓ નાટક સાંભળતા, કઈ વખત સિદ્ધાન્તરહસ્ય વિચારતા અને કોઈ વાર દેહરા બનાવતા. આ જ સમયમાં એ જ આગ્રા નગરમાં એક સામાન્ય જ્ઞાનવાળો બનારસી નામે લઘુ ભાઈ હતા, એનામાં કવિત્વશક્તિ જોઈ ઉક્ત પાંચે જ્ઞાનરસિકો તેની પાસે હૃદય ખોલીને વાત કરતા હતા. એક વખત સંદરહુ સમયસાર ગ્રન્થને ભાષામાં સુંદર કવિતામાં ગોઠવવામાં આવે તે ઘણું પ્રાણીઓ એને લાભ લઈ શકે એમ તેઓએ બનારસીદાસ પાસે જણાવ્યું. બનારસીદાસે તેમની ઈચ્છા જાણી ઉપરની વાત મનમાં ધારણ કરીને સમયસાર નાટક ગ્રન્ય કવિતા રૂપે બનાવ્યું. તે ગ્રન્થ સંવત ૧૬૮૩ના આસો સુદિ ૧૩ રવિવારે સમાપ્ત કર્યો. આ ગ્રન્થ પૂર્ણ કર્યો ત્યારે શહેનશાહ શાહજહાનને રાજ્યઅમલ ચાલતું હતું. આ સર્વ વર્ણન “ સમયસાર નાટક’ની પ્રશસ્તિમાં સવિસ્તર સુંદર કવિતામાં રજુ કરેલ છે, જે આ બનારસીદાસના જીવનચરિત્ર સંબધી પ્રકાશ પાડવામાં ઘણું સહાયક થાય છે. ગ્રન્થકાર મહર્ષિ શ્રીમાનુ મેઘવિજયજી ઉપાધ્યાય ગ્રન્યકાર, મહર્ષિ શ્રીમાન મેઘવિજયજી ઉપાધ્યાય મહારાજા છે એ બાબત પ્રસંગે પ્રસંગે એકથી વધારે વખત કહેવાઈ ગયેલ છે. તેઓને સત્તાસમય સોળમી શતાબ્દીના ઉત્તરાર્ધથી લઈન સત્તરમી શતાબ્દીના પ્રારંભકાળ પર્યત હોવાનું આ ગ્રન્થની રચના ઉપરથી જણાય છે. યદ્યપિ ગ્રન્થના અન્ત ભાગમાં અપાયેલ પ્રશસ્તિમાં ગ્રન્થપારંભને કે પર્યાપ્તિને સંવત આપવામાં આવ્યો નથી, તે પણ ગ્રન્થની આદિમાં રહેલ નિમ્ન જણાવેલ અવતરણમાં ' तथाप्यधुना द्वेधापि उग्रशेनपुरे वाणारसीदासश्राद्धमतानुसारेण प्रवर्त्तमानैराध्यात्मिका वयमित वदद्भिर्वाणारसीयापरनामभिर्मतान्तरीयैर्विकल्पनाजालेन विधीयमानं कतिपयभव्यजनव्यामोहनं वीक्ष्य तथा भविष्यत्श्रमणसङ्गसन्तानिनां एतेऽपि पुरातना जिनागमानुगता एव, सम्यक् चैषां मतं, न चेत् कथं 'छवाससएहिं नवोत्तरेहिं सिद्धिं गयस्स वीरस्स। तो बोडियाण दिट्ठी रहवीरपुरे समुप्पण्णा ॥१॥' इत्युत्तराध्ययननिर्युक्ता श्रीआव श्यकनियुक्तैा च इत्यादिवत् .. कुत्रापि श्रीश्रमणसंघधुरीणैरेतन्मतोत्पत्ति-ainelibrary.org Jain Education international
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy