________________ Errorl Reference source not found. 20 Error! Reference source not found. 9 દર્શન અને જ્ઞાનની વહેંચણ કરવામાં આવી છે. જ્ઞાન, દર્શનમાં કાંઈ કટકા થઈ જુદા પડી શકે એમ નથી. એ આત્માના ગુણો છે. રૂપિયાના બે અર્ધા તે જ રીતે આઠ આના દર્શન અને આઠ આના જ્ઞાન છે. 10 તીર્થકરને એક સમયે દર્શન અને તે જ સમયે જ્ઞાન એમ બે ઉપયોગ દિગંબરમત પ્રમાણે છે, શ્વેતાંબરમત પ્રમાણે નથી. બારમા ગુણસ્થાનકે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અને અંતરાય એમ ત્રણ પ્રકૃતિનો ક્ષય એક સાથે થાય છે; અને ઉત્પન્ન થતી લબ્ધિ પણ સાથે થાય છે. જો એક સમયે ન થતું હોય તો એકબીજી પ્રકૃતિએ ખમવું જોઈએ. શ્વેતાંબર કહે છે કે જ્ઞાન સત્તામાં રહેવું જોઈએ, કારણ એક સમયે બે ઉપયોગ ન હોય; પણ દિગંબરની તેથી જુદી માન્યતા છે. 11 શૂન્યવાદઃ કાંઈ નથી એમ માનનાર; એ બૌદ્ધ ધર્મનો એક ફાંટો છે. આયતન કોઈ પણ પદાર્થનું સ્થળ, પાત્ર. ફૂટસ્થ અચળ, ન ખસી શકે એવો. તટસ્થ = કાંઠે; તે સ્થળે. મધ્યસ્થ = વચમાં. 27 મોરબી, અષાડ વદ 13, ભોમ, 1956 1 ચયાપચય =જવુંજવું, પણ પ્રસંગવશાત આવવુંજવું, ગમનાગમન. માણસના જવાઆવવાને લાગુ પડે નહીં. શ્વાસોચ્છવાસ ઇત્યાદિ સૂક્ષ્મ ક્રિયાને લાગુ પડે. ચયવિચય = જવુંઆવવું. 2 આત્માનું જ્ઞાન જ્યારે ચિંતામાં રોકાય છે ત્યારે નવા પરમાણુ ગ્રહણ થઈ શકતા નથી; ને જે હોય છે તેનું જવું થાય છે તેથી શરીરનું વજન ઘટી જાય છે. 3 શ્રી ‘આચારાંગસૂત્ર'ના પહેલા અધ્યયન શસ્ત્રપરિજ્ઞામાં અને શ્રી ષદનસમુચ્ચયમાં મનુષ્ય અને વનસ્પતિના ધર્મની તુલના કરી વનસ્પતિમાં આત્મા હોવાનું સિદ્ધ કરી બતાવ્યું છે, તે એવી રીતે કે બન્ને જન્મ છે, વધે છે, આહાર લે છે, પરમાણુ લે છે, મૂકે છે, મરે છે, ઇત્યાદિ. 28 મોરબી, શ્રાવણ સુદ 3, રવિ, 1956 1 સાધુ સામાન્યપણે ગૃહવાસ ત્યાગી, મૂળગુણના ધારક તે. યતિ ધ્યાનમાં સ્થિર થઈ શ્રેણિ માંડનાર. મુનિ =જેને અવધિ, મન:પર્યવ જ્ઞાન હોય તથા કેવળજ્ઞાન હોય તે. ઋષિ બહુ ઋદ્ધિધારી હોય તે. ઋષિના ચાર ભેદઃ (1) રાજ૦ (2) બ્રહ્મ0 (3) દેવ૦ (4) પરમ૦ રાજર્ષિ ઋદ્ધિવાળા. બ્રહ્મર્ષિક અક્ષીણ મહાન ઋદ્ધિવાળા. દેવર્ષિ આકાશગામી મુનિદેવ, પરમર્ષિ કેવળજ્ઞાની.