________________ Errorl Reference source not found. Error! Reference source not found. 5 વાણિયા અક્ષર બોડા લખે છે, પણ આંકડા બોડા લખતા નથી. ત્યાં તો બહુ સ્પષ્ટપણે લખે છે. તેવી રીતે કથાનુયોગમાં જ્ઞાનીઓએ વખતે બોડું લખ્યું હોય તો ભલે. બાકી કર્મપ્રકૃતિમાં તો ચોક્કસ આંકડા લખ્યા છે. તેમાં જરા તફાવત આવવા નથી દીધો. 25 મોરબી, અષાડ વદ 11, રવિ, 1956 1 જ્ઞાન એ દોરો પરોવેલ સોય જેવું છે, એમ ‘ઉત્તરાધ્યયનસૂત્રમાં કહેલું છે. દોરો પરોવેલ સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલું પડાતું નથી. 26 મોરબી, અષાડ વદ 12, સોમ, 1956 1 પ્રતિહાર તીર્થકરનું ધર્મરાજ્યપણું બતાવનાર. પ્રતિહાર=દરવાન. 2 શૂળ, અલ્પ-સ્થૂળ, તેથી પણ સ્થળ, દૂર, દૂરમાં દૂર, તેથી પણ દૂર; એમ જણાય છે; અને તે ઉપરથી સૂક્ષ્મ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ આદિનું જ્ઞાન કોઈકને પણ હોવાનું સિદ્ધ થઈ શકે છે. 3 ‘નગ્ન' એ “આત્મમગ્ન.” 4 ઉપહત હણાયેલા. અનુપહત નહીં હણાયેલા. ઉપષ્ટભજન્ય આધારભૂત. અભિધેયક વસ્તુધર્મ કહી શકાય એવો. પાઠાંતર =એક પાઠની જગોએ બીજો પાઠ આવે છે. અર્થાતર કહેવાનો હેતુ બદલાઈ જાય છે. વિષમયથાયોગ્ય નહીં, ફેરફારવાળું, વત્તેઓછું. આત્મદ્રવ્ય એ સામાન્ય, વિશેષ ઉભયાત્મક સત્તાવાળું છે. સામાન્ય ચેતનસત્તા એ દર્શન. સવિશેષ ચેતનસત્તા એ જ્ઞાન. 5 સત્તા સમુદભૂત=સમ્યફપ્રકારે સત્તાનું ઉદયભૂત થવું, પ્રકાશવું, સ્ફરવું, જણાવું તે. 6 દર્શન = જગતના કોઈ પણ પદાર્થનું ભેદરૂપ રસગંધરહિત નિરાકાર પ્રતિબિંબિત થવું, તેનું અસ્તિત્વ જણાવું; નિર્વિકલ્પપણે કાંઈ છે એમ આરસીના ઝળકારાની પેઠે સામા પદાર્થનો ભાસ થવો એ ‘દર્શન.’ વિકલ્પ થાય ત્યાં “જ્ઞાન” થાય. 7 દર્શનાવરણીય કર્મના આવરણને લઈને દર્શન અવગાઢપણે અવરાયું હોવાથી, ચેતનમાં મૂઢતા થઈ ગઈ, અને ત્યાંથી શૂન્યવાદ શરૂ થયો. 8 દર્શન રોકાય ત્યાં જ્ઞાન પણ રોકાય.