________________ 10 Errorl Reference source not found. Error! Reference source not found. 14 આયુઃકર્મ સંબંધી :- (કર્મગ્રંથ) (અ) અપવર્તન વિશેષકાળનું હોય તે કર્મ થોડા કાળમાં વેદી શકાય. તેનું કારણ પૂર્વનો તેવો બંધ હોવાથી તે પ્રકારે ઉદયમાં આવે, ભોગવાય. (આ) ‘ત્રટ્ય’ શબ્દનો અર્થ ‘બે ભાગ થવા’ એમ કેટલાક કરે છે; પણ તેમ નથી. જેવી રીતે “દેવું ત્રચ્યું’ શબ્દ ‘દેવાનો નિકાલ થયો, દેવું દઈ દીધું’ના અર્થમાં વપરાય છે, તેવી રીતે “આયુષ તૂટ્ય શબ્દોનો આશય જાણવો. (ઇ) “સોપક્રમ' = શિથિલ, એકદમ ભોગવી લેવાય તે. (ઈ) નિરુપમ નિકાચિત. દેવ, નારક, જુગલિયાં, ત્રેસઠ શલાકા પુરુષ ને ચરમશરીરીને તે હોય છે. (ઉ) પ્રદેશોદય= પ્રદેશને મોઢા આગળ લઈ વેદવું તે ‘પ્રદેશોદય’. પ્રદેશોદયથી જ્ઞાનીઓ કર્મનો ક્ષય અંતર્મુહૂર્તમાં કરે છે. (9) ‘અનપવર્તન’ અને ‘અનુદીરણા' એ બેનો અર્થ મળતો છે; તથાપિ તફાવત એ છે કે ‘ઉદીરણા'માં આત્માની શક્તિ છે, અને ‘અપવર્તનમાં કર્મની શક્તિ છે. (એ) આયુષ ઘટે છે, એટલે થોડા કાળમાં ભોગવાય છે. 15 અશાતાના ઉદયમાં જ્ઞાનની કસોટી થાય છે. 16 પરિણામની ધારા એ ‘થરમૉમિટર’ સમાન છે. મોરબી, અષાડ સુદ 10, શનિ, 1956 1 મોક્ષમાળામાંથી : અસમંજસતા =અમળતાપણું, અસ્પષ્ટતા. વિષમ=જેમતેમ. આર્ય = ઉત્તમ. ‘આર્ય’ શબ્દ શ્રી જિનેશ્વરને, મુમુક્ષને તથા આર્યદેશના રહેનારને માટે વપરાય. નિક્ષેપ-પ્રકાર, ભેદ, વિભાગ. ભયંત્રાણ ભયથી તારનાર, શરણ આપનાર.