________________ 784 સાચા જ્ઞાન વિના અને સાચા ચારિત્ર વિના મુંબઇ, અસાડ સુદ 4, રવિ, 1953 સાચા જ્ઞાન વિના અને સાચા ચારિત્ર વિના જીવનું કલ્યાણ ન થાય એ નિઃસંદેહ છે. સપુરુષના વચનનું શ્રવણ, તેની પ્રતીતિ, અને તેની આજ્ઞાએ પ્રવર્તતાં જીવ સાચા ચારિત્રને પામે છે, એવો નિ:સંદેહ અનુભવ થાય છે. અત્રેથી ‘યોગવાસિષ્ઠાનું પુસ્તક મોકલ્યું છે, તે પાંચદશ વાર ફરી ફરી વાંચવું તથા વારંવાર વિચારવું યોગ્ય છે.