________________ પ૬પ જે પ્રકારે બંધનથી છુટાય તે પ્રકારે મુંબઈ, ફાગણ સુદ 12, શુક, 1951 જે પ્રકારે બંધનથી છુટાય તે પ્રકારે પ્રવર્તવું, એ હિતકારી કાર્ય છે. બાહ્ય પરિચયને વિચારી વિચારીને નિવૃત્ત કરવો એ છૂટવાનો એક પ્રકાર છે. જીવ આ વાત જેટલી વિચારશે તેટલો જ્ઞાનીપુરુષનો માર્ગ સમજવાનો સમય સમીપ પ્રાપ્ત થશે. આ૦ સ્વ૦ પ્રણામ.